SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 142 નિસીહ- 171259 આદાનપ્રદાન થતું હોય તેવા સ્થાનો ના શબ્દો ને કાન દ્વારા શ્રવણ કરલા ઈચ્છા કે સંકલ્પ-પ્રવૃત્તિ કરે-કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસા-૧૨ માં સૂત્ર-૭૩ થી 774 એ બાર સૂત્રોમાં આ બધાં પ્રકારના સ્થાનોની વ્યાખ્યા કરાયેલી છે. તે પ્રમાણે જાણી-સમજી લેવી. તફાવત માત્ર એટલો છે કે બારમાં ઉદેશામાં આ વર્ણન ચક્ષુઈન્દ્રિય ને આશ્રિને જોવા માટેના સંકલ્પ તરીકે વર્ણવેલું છે જે અહીં શ્રવણ-ઈન્દ્રિયને આશ્રિને સાંભળવા ની ઈચ્છા કે સંકલ્પના દોષ રૂપે જાણવું-સમજવું. વિરપી જે સાધુ-સાધ્વી ઈહલૌકિક કે પારલૌકિક, પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા શબ્દોને વિશે સજ્જ થાય. રાગવાળા થાય, વૃદ્ધિવાળા થાય કે અત્યંત આસકત થાય, કોઈને સજ્જ થવા-રાગ થવા વાળા આદિ માટે પ્રેરે કે તે રીતે રાગાસકત આદિ થયેલાની અનુમોદના કરે તો. એ પ્રમાણે ઉદેસા-૧૭ માં જણાવેલા કોઈપણ દોષનું જે કોઈ સાધુ-સાધ્વી પોતે સેવન કરે બીજા પાસે સેવન કરાવે કે તે-તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જે “લઘુ ચૌમાસી પ્રાયશ્ચિતુ તરીકે પણ ઓળખાય છે. સતરમાં ઉદેસાની મુનિદીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા" પૂર્ણ (ઉદ્દેસોઃ 18) નિસીહ સૂત્રના આ ઉદેમાં 1260 થી ૧૩૩ર એટલે કે કુલ 73 સૂત્રો છે. જેમાં કહેલા કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને પાયમસિય રહાણા યાતિય નામક પ્રાયશ્ચિત્ આવે. [1260 જે સાધુ-સાધ્વી અતિ-આવશ્યક પ્રયોજન સિવાય નૌકાવિહાર કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [121-1264] જે સાધુ-સાધ્વી મૂલ્ય આપીને વાવ-ખરીદી. - - ઉધાર લઈ - * પરાવર્તીત કરી, - - કે છીનવી લઈને તેના ઉપર આરોહણ કરે અથતુ ખરીદવા વગેરે દ્વારા નૌકાવિહાર કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસા-૧૪ ના સૂત્ર 863 થી 866 માં આ ચારે દોષનું વર્ણન કરાયેલું છે તે મુજબ જાણી-સમજી લેવું તફાવત એટલો કે ત્યાં પાત્ર માટે ખરીદી વગેરે દોષ જણાવેલા છે તે અહીં નૌકા-હોડી માટે સમજી લેવા.) [125-1271] જે સાધુ સાધ્વી (નૌકાવિહાર માટે) નાવ ને સ્થળમાંથી અર્થાતુ કિનારેથી પાણીમાં - - પાણીમાંથી કિનારે મંગાવે, - - છિદ્રાદિકારણે પાણીથી ભરાયેલ નાવમાંથી પાણી બહાર કાઢે, - - કાદવમાં ફસાયેલ નાવ બહાર કઢાવે, - - અડધે રસ્તે બીજો નાવિક મને લેવા આવશે તેમ કહી અર્થાત્ મોટી નાવમાં જવા માટે નાની નાવમાં બેસે, - - ઉર્વ એક યોજના કે અડધા યોજન થી વધારે લાંબા માર્ગ ને પાર કરનારી નાવમાં નૌકા વિહાર કરે. આ સર્વે દોષ સેવન કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ . [1272] જે સાધુ-સાધ્વી નાવ-હોડીને પોતાની તરફ લાવવા પ્રેરણા કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005096
Book TitleAgam Deep 34 Nisihim Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages53
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy