SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉસો-૮, સૂત્ર–પ૭૦ 125 શાળા, પરિયાગગૃહ, લોહાદિશાળા, લોહાદિઘર, - - ગોશાળા, ગમાણ, મહાશાળા કે મહાગૃહ, (આમાંના કોઈપણ સ્થાન માં) કોઈ એકલા સાધુ એકલી સ્ત્રી સાથે (એકલા સાધ્વી એકલા પુરુષ સાથે વિચરે, સ્વાધ્યાય કરે, અનાદિ આહાર કરે, મળ-મૂત્ર પાઠવે અથતું ચંડિલભૂમિ જાય, નિદિત-નિષ્ફર-શ્રમણને આચરવા યોગ્ય નહીં તેવો વિકારોત્પાદક વાતલાપ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. પ૭૦ જે સાધુ રાત્રિમાં કે વિકાલે-સંધ્યા અવસરે સ્ત્રી સમુદાયમાં કે સ્ત્રીનો સંઘટ્ટો થતો હોય ત્યાં અથવા ચારે દિશામાં સ્ત્રીઓ રહેલી હોય ત્યારે અપરિમિત (પાંચ કરતા વધુ પ્રશ્નોના ઉત્તર આપે કે વધુ સમય ધર્મકથા કરે) સમય માટે કથન (ધર્મકથાદિ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્, (નોંધઃ- સાધ્વી હોય તો પુરુષના સંદર્ભમાં આ બધું સમજીલેવું) પિ૭૧] જે સાધુ સ્વગચ્છ કે પરગચ્છ સંબંધિ સાધ્વી સાથે. (સાધ્વી હોય તો સાધુ સાથે) એક ગામથી બીજે ગામ વિચરતા, આગળ જતા, પાછળ ચાલતા જ્યારે તેનો વિયોગ થાય ત્યારે ઉત્ક્રાન્ત મન વાળા થાય, ચિંતા ના શોક સમુદ્રમાં ડૂબી જાય, લમણે હાથ દઈને બેસે, આર્તધ્યાન વાળા થાય અને એ રીતે વિહાર કરે અથવા વિહારમાં સાથે ચાલતા સ્વાધ્યાય કરે. આહાર કરે, સ્થડિલભૂમિ જાય, નિંદિતનિષ્ફર-શ્રમણને ન કરવા યોગ્ય એવી વિકારોત્પાદક કથા કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્. પિ૩ર-પ૩૪] જે સાધુ સ્વ પરિચિત કે અપરિચિત શ્રાવક કે અન્ય મતાવલંબી સાથે વસતિમાં (ઉપાશ્રયમાં અડધી કે આખી રાત્રિ સંવાસ કરે- અર્થાતુ રહે, આ અહીં છે એમ માની બહાર જાય કે બહારથી આવે -- અથવા તેને રહેવાની મનાઈ ન કરે ત્યારે તે ગૃહસ્થ રાત્રિ ભોજન, સચિત્ત સંઘટ્ટન, આરંભ-સમારંભ કરે તેવો સંભવ હોવાથી) પ્રાયશ્ચિત. (એજ રીતે સાધ્વીજી શ્રાવિકા કે અન્ય ગૃહસ્થ સ્ત્રી સાથે વાસ કરે- કરાવે અનુમોદે, તેને આશ્રિને બહાર આવે જાય, તે સ્ત્રીને ત્યાં રહેવાની મનાઈ ન કરે. કરાવે- અનુમોદે કે- તો પ્રાયશ્ચિત્ પ૭પ-૫૭૯] જે સાધુસાધ્વી રાજા, ક્ષત્રિય (ગ્રામપતિ) કે શુદ્ધ વંશવાળાના રાજ્યાદિ અભિષેક, ગોષ્ઠી, પિંડદાન, ઈન્દ્રસ્કન્દ-રૂદ્ર- મુકુન્દ-ભૂત-જક્ષ-નાગ- સ્તૂપચૈત્ય- રૂક્ષગિરિ-દરી-અગડ(હવાડો)- તળાવ- દૂહ- નદી- સરોવર- સાગર-ખાણ(વગેરે) મહોત્સવ કે તેવા અન્ય પ્રકારના વિવિધ જાતના મહામહોત્સવ (સંક્ષેપમાં કહીએ તો રાજા આદિના અનેક પ્રકારના મહોત્સવો) માં જઈને અશનઆદિ ચારપ્રકારના આહારમાંથી કંઈ પણ ગ્રહણ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્, * * એ જ રીતે રાજાદિની ભ્રમણ શાળા કે ભ્રમણ ગૃહમાં ફરવા જાય, - - અશ્વ-હસ્તિ-મંત્રણા- ગુપ્તકાર્ય-રહસ્ય કે મૈથુન અંગેની શાળા માં જાય અને અશનાદિ આહાર ગ્રહણ કરે, રાજાદિ ને ત્યાં રખાયેલ દુધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ ખાંડ, સાકર, મિશ્રી કે તેવા બીજા કોઈ ભોજન ને ગ્રહણ કરે. -- કાગડા વગેરેને ફેંકવાના - જમ્યા બાદ બીજને આપવાના- અનાથને દેવાના- વાચકને આપવાના કે ગરીબોને આપવાના ભોજનને ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત એ પ્રમાણે ઉદ્દેશા-૮ માં કહ્યા મુજબનો કોઈ પણ દોષ સ્વયં સેવે, અન્ય પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005096
Book TitleAgam Deep 34 Nisihim Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages53
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy