SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેસી-૧, સૂત્ર-૫ 109 નામક સુગંધી દ્રવ્ય કે કમળના પુષ્પના ચૂર્ણ આદિ ઉદ્વર્તન દ્રવ્યોથી સામાન્ય કે વિશેષ પ્રકારે સ્નાન કરે, પીઝી કે વિશેષ પ્રકારના ચૂર્ણો વડે સામાન્યથી કે વિશેષથી મર્દન કરે મર્દન કરાવે કે મર્દન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.... જેમ ધારવાળા શસ્ત્રોના મર્દનથી હાથ છેદાય તેમ ગુપ્તઈન્દ્રિયો ના મદન થી સંયમનો છેદ થાય. [] જે સાધુ-સાધ્વી જનનાંગોને ઠંડા કે ગરમ વિકૃત કરેલા પાણીથી સામાન્યથી કે વિશેષ પ્રકારે પ્રક્ષાલન કરે અથતુ પોતે ધોવે, બીજા પાસે ધોવડાવે કે ધોનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિત. જેમ નેત્ર પીડા થતી હોય અને ગમે તે ઔષધિ મિશ્રિત પાણીથી વારંવાર ધોતા તે પીડા દુઃસહય બને તેમ ગુપ્તાંગનું વારંવાર પ્રક્ષાલન મોહનો ઉદય ઉત્પન્ન કરે છે. [૭]જે સાધુ પુરુષ ચિહ્નની ચામડી નું અપવર્તન કરે કરાવે -કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત જેમ સુખે સુતા સાપનું મોટું કોઈ ફાળે તો તેને સાપ ગળી જાય તેમ આવા મુનિનું ચારિત્ર ગણે છે- નાશ પામે છે. [8] જે સાધુ-સાધ્વી જનનાંગને નાકથી સુંઘે અથવા હાથ વડે મર્દન કરીને સુંઘે કે તેમ બીજા પાસે કરાવે કે બીજા તેવો દોષ સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. જેમ કોઈ ઝેરી પદાર્થ સુંઘે તો મૃત્યુ પામે તેમ અતિક્રમાદિ દોષે આવું કરનાર મુનિ પોતાના આત્માને સંયમથી ભ્રષ્ટ કરે છે. [૯]જે સાધુ જનનેન્દ્રિયને અન્ય કોઈ અચિત સ્રોત અર્થાત્ વલય આદિ છિદ્રમાં પ્રવેશ કરાવી ને શુક્ર-પુદ્ગલ બહાર કાઢે, સાધ્વી પોતાના ગુપ્તાંગમાં કદલી ફળ વગેરે પદાર્થને પ્રવેશ કરાવી રજપુદ્ગલોને બહાર કાઢે એ રીતે નિધતન કરે. કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ [10] જે સાધુ-સાધ્વી સચિત પ્રતિષ્ઠિત અથતું સચિત પાણી વગેરે સાથે સ્થાપિત એવા પદાર્થ સુંઘે સુંધાડે, સુંઘનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું [૧૧]જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ચાલવા માટે નો માર્ગ, પાણી-કાદવ વગેરેના ઓળંગવાનો પુલ અથવા ઉપર ચઢવા માટેનું સીડી વગેરે અવલંબન પોતે કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત [૧૨-૧૮જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પાણી ના નિકાલ માટેની નાળુ-ગટર..... ભિક્ષા વગેરે સ્થાપન કરવામાટેનું સિકકુ અને તેનું ઢાંકણ...આહાર કે શયન માટે સુતરની અથવા દોરીની ચિલિમિલિ અર્થાતું પડદો.....સોય-કાતર -નખછેદની -કાન ખોતરણી આદિ સાધનોને સુધરાવે કે ધાર કઢાવે. આમાંના કોઈ પણ કાર્ય સ્વયં કરે. બીજા પાસે કરાવે કે તે-તે દોષ કરનારને અનુમોદેતો પ્રાયશ્ચિત્ત [19-22] જે સાધુ-સાધ્વી પ્રયોજન સિવાય ગૃહસ્થો પાસે) સોય-કાતર–કાન ખોતરણી– નખ છેદણીની સ્વયં યાચના કરે, બીજા પાસે કરાવે કે વાચકની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું [23-26] જે સાધુ-સાધ્વી અવિધિએ સોય-કાતર.. ને નખ છેદણી-- કાન ખોતરણીની યાચના સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત [27-30] જે સાધુ-સાધ્વી પોતાના કોઈ કાર્ય માટે સોય-કાતર- -નખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005096
Book TitleAgam Deep 34 Nisihim Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages53
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy