SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 104 દેવિંદથઓ- [302] અવ્યાબાધ નિવણ સુખને પામીને સિદ્ધો સુખી રહે છે. તેઓ સિદ્ધ છે. બુદ્ધ છે, પારગત છે. પરંપરાગત છે. કમરૂપી કવચથી ઉન્મુક્ત, અજર, અમર અને અસંગ છે. જેમણે બધા દુઃખોને દૂર કરી દીધા છે જાતિ, જન્મ જરા, મરણ ના બંધન થી મુક્ત, શાશ્વત અને અવ્યાબાધ સુખનો નિરંતર અનુભવ કરે છે. ૩૦૩-૩૦૫]સમગ્ર દેવોની અને તેના સમગ્ર કાળની જે ઋદ્ધિ છે તેનું અનંત ગણું કરીએ તો પણ જિનેશ્વર પરમાત્માની ઋદ્ધિ ના અનંતાનંત ભાગ બરાબર પણ ન થાય. સંપૂર્ણ વૈભવ અને ઋદ્ધિ યુક્ત ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ પણ અરહંતોને વંદન કરવાવાળા હોય છે. ભવનપતિ, વાણવ્યંતર, વિમાનવાસી દેવો અને ઋષિ પાલિત પોત-પોતાની બુદ્ધિ થી જિનેશ્વર પરમાત્માનો મહિમા વર્ણવે છે. [૩૦૬-૩૦૮)વીર અને ઈન્દ્રોની સ્તુતિના કતાં જેણે પોતે બધાં ઈન્દ્રોની અને જિનેન્દ્ર ની સ્તુતિ કિર્તન કર્યું તે સુરો, અસુરો, ગુરુ અને સિદ્ધો (મન) સિદ્ધિ પ્રદાન કરો. આ રીતે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ નિકાય દેવોની સ્તુતિ (કથન) સમગ્ર રૂપે સમાપ્ત થયું. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ “દેવિદOઓ” પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ | નવમો પયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005093
Book TitleAgam Deep 32 Devindatthao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 32, & agam_devendrastava
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy