SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૬ 25 એકલાને મરણ હોય છે અને એકલો જ જીવ કમર રહિત થઈ મોક્ષ પામે છે. એકલો કર્મ કરે છે, તેનું ફલ પણ એકલોજ અનુભવે છે, એકલો જન્મે છે ને મરે છે ને પરલોકમાં એકલાજ ઉત્પન્ન થાય છે. જ્ઞાન, દર્શન, લક્ષણવંત એકલો મારો આત્મા શાશ્વતો છે; બાકીના મારા બાહ્ય ભાવ સર્વે સંયોગરૂપ છે. [૧૭]જેનું મૂળ સંયોગ છે એવી દુખની પરંપરા જીવ પામ્યો તે માટે સર્વ સંયોગ સંબંધને ત્રિવિધે વોસિરાવું છું. [૧૮]અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, અને જીવ તથા અજીવને વિશે મમત્વ, તેને હું નિંદુ છું અને ગુરૂની સાક્ષીએ ગહું છું.. * [૧૯મિથ્યાત્વને સારી રીતે જાણું છું. તેથી સર્વ અસત્ય વચનને અને સર્વ થકી મમતાને છોડું છું અને સર્વને ખમાવું છું. [૨૦]જે જે ઠેકાણે મારા અપરાધો થએલા જિનેશ્વર ભગવાન જાણે છે સર્વ પ્રકારે ઉપસ્થિત થએલો હું તે અપરાધને તેમજ આલોચું છું. [૨૧]ઉત્પન્ન એટલે વર્તમાનકાલની, અનુત્પન્ન એટલે ભવિષ્યકાલની માયા બીજીવાર ન કરૂં એ રીતે આલોચન નિંદન અને ગહ વડે ત્યાગ કરૂં છું. [૨૨]જેમ બોલતું બાળક કાર્ય અને અકાળે બધુએ સરળ પણે કહી દે તેમ માયા અને મદવડે રહિત પુરૂષ સર્વ પાપ આલોચે. [23] જેમ ધી વડે સિંચેલો અગ્નિ દીપે તેમ સરળ થએલા માણસને આલોઅણ શુદ્ધ થાય અને શુદ્ધ થએલાને વિશે ધર્મ સ્થિર રહે તેમજ પરમ નિર્ણ એટલે મોક્ષને તે પામે. [24] શલ્ય સહિત માણસ સિદ્ધિ પામે નહિ, એમ પાપ મેલ ખરી ગએલા (વીતરાગ) ના શાસનમાં કહેલું છે, માટે સર્વ શલ્યને ઉદ્ધરીને કલેશ રહિત એવો જીવ સિદ્ધિ પામે છે. [૨૫૨૬]ઘણું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે આલોવીને નિઃશલ્ય થઈ સંથારો (અણશણ) આદરે તો તેઓ આરાધક થાય છે. જેઓ થોડું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે ન આલોવે તે અત્યંત જ્ઞાનવંત છતાં પણ આરાધક ન થાય. [૨૭]ખરાબ રીતે વાપરેલું શસા, વિષ, દુષ્પયુકત વૈતાલ દુષ્પયુક્ત યંત્ર, અને પ્રમાદથી કોપેલો સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.) ૨૮-કારણથી અંત કાળે અણઉદ્વરેલું ભાવ શલ્ય દુર્લભ બોધિપણું અને અનંત સંસારીપણું કરે તે કારણથી ગારવ રહિત જીવો પુનર્ભવ રૂપી લતાઓના મૂળ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્ધરે [30] જેમ ભારનો વહન કરનારો માણસ ભાર ઉતારીને હળવો થાય તેમ પાપનો કરનારો માણસ આલોચના અને નિંદા કરીને ઘણો જ હળવો થાય છે. [31-32] માર્ગને જાણનારા ગુરૂ તેનું જે પ્રાયશ્ચિત કહે છે તે અનવસ્થાના (અયોગ્ય) પ્રસંગની બીકવાળા માણસે તેમજ અનુસરવું. તે માટે જે કંઈ અકાર્ય કર્યું હોય તે સર્વ છુપાવ્યા સિવાય દસ દોષ રહિત જેમ થયું હોય તેમજ કહેવું જોઈએ. [૩૩]સર્વ પ્રાણીઓના આરંભ, સર્વ અસત્યવચન, સર્વ અદત્તાદાન, સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005086
Book TitleAgam Deep 26 MahaPacchakhanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages19
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 26, & agam_mahapratyakhyan
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy