SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ ચેલણાદેવીનો આત્મજ અને મારી દૌહિત્ર છે, તે જ પ્રમાણે વિઠલ્લકુમાર પણ છે વિગેરે સર્વ કહેવું યાવતુ વિહલ્લકુમારને હું મોકલું. તો હે સ્વામી! ચેટકરાજા સેચનક ગંધહસ્તી ને અને અઢાર સરના હારને આપતા નથી તથા વિહલકુમારને મોક લતા નથી. અહીં વસતિ એટલે માર્ગમાં વિશ્રાંતિ લેવાનું સ્થાન અને પ્રાતરાશ એટલે સૂર્યોદયથી આરંભી ને બે પહોર સુધીમાં ભોજન કરવાનો સમય, સુખકારક આ વડે વિશ્રાંતિ લેતો ને ભોજન કરતો ચંપા) નગરીમાં આવ્યો, કૂણિકરાજાને જોયો, તેને જય અને વિજયવડે વધાવી તે દૂત જે બોલ્યો તે બતાવે છે. આ પ્રમાણે નિચે હે સ્વામી ! વિગેરે પૂર્વવતુ ત્યારપછી તે કૂણિકરાજાએ બીજા દૂતને બોલાવી આ પ્રમાણે કહ્યું, “હે દેવાનું પ્રિય તે વૈશાલીનગરીએ જા. ત્યાં તું મારા માતામહ ચેટકરાને યાવતુ આ પ્રમાણે કહેજે કેનિશે હે સ્વામી ! કૂણિકરાજા આપને વિજ્ઞપ્તિ કરે છે કે જે કોઈ રત્નો ઉત્પન્ન થાય તે સર્વ રાજકુળમાં જ રહેનારાં હોય છે, તો શ્રેણિ કરાજા રાજ્યલક્ષ્મીને કરતા અને પાળતા હતા ત્યારે તેને બે રત્ન ઉત્પન્ન થયાં હતાં, તે આ પ્રમાણે-સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર. તો હે સ્વામી! તમે રાજકુલની પરંપરાથી ચાલી આવતી સ્થિતિનો લોપ ક્યાં વિના સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર કૂણિક રાજાને પાછો સોંપો અને વિહલ્લકુમારને મોકલો. ત્યારપછી તે દૂત કૃણિક રાજાની આજ્ઞાથી તે જ પ્રમાણે જઈ યાવતુ વધાવીને આ પ્રમાણે બોલ્યો“નિશ્ચે હે સ્વામી ! કણિક રાજા વિપ્તિ કરે છે કે-જે કોઈ રત્નો યાવતુ વિહલ્લકુમારને. મોકલો.”ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય ! જેમ કુટિરાજા શ્રેણિકરાજાનો પુત્ર અને ચેલણાદેવીનો આત્મજ(તેમ જ વિહલ્લકુમાર પણ) છે વિગેરે પ્રથમની જેમ કહેવું. ત્યારપછી તે કુહિક રાજા તે દૂતની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને તત્કાળ ક્રોધ પામ્યો. યાવતુ ક્રોધની જ્વાળાવડે દેદીપ્યમાન થઈ તેણે ત્રીજા દૂતને બોલા. વ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! તું વૈશાલી નગરીમાં જા. ત્યાં ડાબા પગવડે ચેટકરાજાના પાદપીઠ ને આક્રમણ કર, ભાલાના અગ્રભાગ વડે લેખને આપજે. આપીને તત્કાળ ક્રોધ પામી યાવતું ક્રોધની જ્વાળાવ દેદીપ્યમાન થઈ ત્રણ વળીયાવાળી ભૃકુટિને કપાળમાં ચડાવી ચેટકરાજાને આ પ્રમાણે કહેજે-હે ચેટકરાજા ! મૃત્યુની પ્રાર્થના કરનાર ! ખરાબ લક્ષણવાલા! યાવતુ લજ્જા રહિત ! આ કૃષિકરાજા આજ્ઞા કરે છે કે - કૂકિરાજાને સેચક ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપ અને વિહલ્લકુમારને મોકલ.અથવા યુદ્ધ કરવા તૈયાર થઈને રહે. આ કૂણિકરાજા સૈન્ય સહિત, વાહન સહિત અને અંધાવાર સહિત યુદ્ધમાં સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે. ત્યારપછી તે દૂત બે હાથ જોડી તે જ પ્રકારે ધાવતુ જ્યાં ચેટકરાજા હતા ત્યાં આવ્યો. આવીને બે હાથ જોડી થાવતુ વધાવ્યા. વધાવીને આ પ્રમાણે બોલ્યો-“હે સ્વામી ! આ મારી વિનયની પ્રતિ પત્તિ છે. હવે કૂણિકરાજાની આજ્ઞા પ્રમાણે કરું છું.” એમ કહી ડાબા પગ વડે ચેટક રાજાના પાદપીઠને દબાવ્યું, દબાવીને તત્કાલ ક્રોધ પામી ભાલાના અગ્રભાગવડે લેખ આપ્યો. અને તે જ પ્રમાણે કહ્યું યાવતુ કૂણિકરાજા બલ, બાહન અને અંધાવાર સહિત અહીં શીધ આવે છે. ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતની પાસેથી આ અર્થ સાંભળીને હ્યદયમાં ધારીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy