SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાપન-૧ 277 ળીને વારંવાર ગંગા નામની. મોટી નમાં સ્નાન કરવા ઉતરતો હતો. ત્યાર પછી તે સેચનક ગંધહસ્તી તેની રાણીઓને પોતાની સૂંઢવડે ગ્રહણ કરતો હતો. ગ્રહણ કરીને કેટલીકને પોતાની પેઠે સ્થાપના કરતો હતો, કેટલીકને ખાંધ ઉપર સ્થાપના કરતો હતો. એ જ પ્રમાણે કેટલીકને કુંભસ્થલ ઉપર સ્થાપના કરતો હતો. કેટલીકને દતમુશળ ઉપર સ્થાપના કરતો હતો, કેટલી કને સૂંઢવડે ગ્રહણ કરીને ઉંચે આકાશમાં ઉછાળતો હતો, કેટલીકને સુંઢમાં રાખીને હીંચકા ખવરાવતો હતો. કેટલીકને દાંતની વચ્ચે થઈને કાઢતો હતો, કેટલીકને સૂંઢમાં પાણી ભરીને તે વડે સ્નાન કરાવતો હતો અને કેટલીકને અનેક પ્રકારની ક્રિીડાવડે ક્રિીડા કરાવતો હો.. ત્યારપછી ચંપાનગરીને વિષે શીંગોડાના આકાર વાળા માર્ગમાં, ત્રિક-ત્રણ રસ્તા ભેગા થાય એવા માર્ગમાં, ચતુષ્ક ચાર રસ્તા ભેગા થાય એવા માર્ગમાં, ચત્વરચૌટામાં અને મોટા માર્ગ વિગેરે દરકે માર્ગમાં ધણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતુ પ્રપણા કરવા લાગ્યા-“આ પ્રમાણે નિશે હે દેવાનું પ્રિયો! વિહલ્લકુમાર મેચનક નામના ગંધહસ્તી પર અંતાપુર સહિત થઈને નીકળે છે એ સર્વ ઉપર પ્રમાણે કહેવું યાવતુ અનેક પ્રકારની ક્રીડાઓવડે કડા કરાવે છે. તેથી આ વિહલ્લકુમાર જ રાજ્યલક્ષ્મીના ફળને અનુભવતો વિચરે છે, પણ કૂણિકરાજા અનુભવતો નથી.” ત્યાર પછી તે પદ્માવતી દેવી (રાણી) ને આ વાત સાંભળી ત્યારે આવા પ્રકારનો યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે “આ પ્રમાણે નિક્ષે વિહલ્લકુમાર સેચનક નામના ગંધહસ્તી ઉપર અંતપુર સહિત આરુઢ થઈને નીકળે છે, યાવતુ અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવે છે, તેથી આ વિહલ્લકુમાર જ રાજ્યલક્ષ્મીના ળને અનુભવતા વિચરે છે, કુણિક રાજા અનુભ વતા નથી, તો અમારે આ રાજ્યવડે યાવતુ જનપદવડે કરીને પણ શું વિશેષ છે? જો અમારે સેચનક ગંધહસ્તી નથી તેથી કરીને મારે આ અર્થ કૂણિકરાજાને જણાવવો શ્રેયસ્કર છે." આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં કિરાજા હતા ત્યાં તે આવી, આવીને બે હાથ મસ્તકે બેડી યાવતું આ પ્રમાણે બોલી-“આ પ્રમાણે નિત્યે હે સ્વામી ! વિહલ્લકુમાર સેચનક હાથીપર અંતાપુર સહિત આરુઢ થઈને નીકળે છે યાવતુ અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવે છે. તો હે સ્વામી ! જો આપણી પાસે સેચનક ગંધહસ્તી. નથી તો પછી આપણા રાજ્યવડે યાવતુ જનપદવડે કરીને પણ શું?"ત્યારપછી કણિક રાજાએ પદ્માવતી દેવીના આ અર્થનો આદર કર્યો નહીં, મનમાં પણ સારો માન્યો નહીં. મૌન જ રહ્યો. ત્યારપછી તે પદ્માવતીદેવીએ વારંવાર કૂણિકરાજાને આ અર્થ જણાવ્યા કર્યો. ત્યાર પછી તે કૂણિકરાજાને પદ્માવતીદેવીએ વાંરવાર આ અર્થની વિનંતિ કરી ત્યારે એકદા કદાચિત તેણે વિહલ્લકુમારને બોલાવ્યો, બોલાવીને સેચનક નામના ગંધહસ્તી ની અને અઢાર સરના હારની માગણી કરી. ત્યારે તે વિહલકુમારે કુણિકરાજાને આ પ્રમાણે કહ્યું કે “આ પ્રમાણે નિશે હે સ્વામી ! શ્રેણિક રાજાએ જીવતાં જ મને સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપ્યું છે, તેથી હે સ્વામી ! જો તમે મને રાજ્યનો અર્ધ ભાગ આપો તો હું તમને સેચનક હાથી અને અઢાર સરનો હાર આપું. ત્યારપછી તે કુણિકરાજાએ વિહલ્લકુમારના આ અર્થનો આદર ન કર્યો, તેને મનમાં જાણ્યો પણ નહીં ત્યારપછી તે વિહલ્લકુમારને વિચાર થયો કે) કૃણિ કરાજા વારંવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy