SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ 273 ધણા આયને યાવતુ સ્થિતિને નહીં પામવાથી હણાઈ ગયેલા મનના સંકલ્પવાળો થઈને યાવતુ ધ્યાન કરું છું.” ત્યારપછી તે અભયકુમારે શ્રેણીકરાજાને આ પ્રમાણે કહ્યું- હે પિતા ! તમે હણાયેલા મનના સંકલ્પવાળા થઈ યાવતું ધ્યાન ન કરો. હું તે પ્રમાણે યત્ન કરીશ કે જે પ્રકારે મારી લધુમાતા ચેલણાદેવીને તે દોહલાની પ્રાપ્તિ થાય.” એમ કહીને શ્રેણીક રાજાને તે ઈષ્ટ યાવત્ વાણીવડે આશ્વાસન કર્યું. તે જ્યાં પોતાનું ધર હતું ત્યાં આવ્યો. આવીનેઆત્યંતરના ગુપ્ત કાર્ય કરનારા સ્થાનિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિયો! તમે જાઓ, અને કસાઈખાનેથી લીલું તાજું માંસ, ઐધિર અને બસ્તિ પુટક ગ્રહણ કરો-લાવો. ત્યારપછી તે સ્થાનિક પુરુષો અભયકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે ધષ્ટ તુષ્ટ થઈ બે હાથ જોડી મસ્તકે રાખી યાવતુ તેનું વચન અંગીકાર કરીને અભય કુમારની પાસેથી નીકળ્યા.થાવતું આવીને બે હાથ જોડી તે તાજું માંસ, ધર અને બસ્તિપુટક તેને આપ્યાં. ત્યાર પછી તે અભયકુમારે તે તાજા માંસ અને રુધિરને કાપણી વડે કાણું સરખું કર્યું. કરીને જ્યાં શ્રેણીકરાજા હતા ત્યાં આવ્યો.આવીને શ્રેણીકરાજને એકાંત ગુપ્ત સ્થાને શયામાં ચીતા સવાયા. સુવાડીને શ્રેણીકરાજાના ઉદર ઉપર તે તાજું માંસ અને રુધિર મૂક્યું. મૂકીને તેને બસ્તિપુટવડે વીંટ્યું. વીંટીને તે રાજાગાઢ આક્રંદ કરે તેમ કર્યું. ચેલણાદેવીને પ્રાસાદની ઉપર શ્રેણીકરાજાને બરાબર જોઈ શકે તેમ રાખી. રાખીને ચેલણાદેવીની નીચે સપક્ષ સપ્રતિદિક શ્રેણીકરાજાને શયામાં ચીતા સુવાડ્યા. સુવાડીને શ્રેણીક રાજાના ઉદરપર રહેલા માંસને કાપણી વડે કાપ્યું તે માંસને એક પાત્રમાં નાંખ્યું. તે વખતે શ્રેણીકરાજાએ મિથ્યા મૂછ આવ્યા નો દેખાવ કર્યો કરીને. મુહૂત પછી એક બીજાની સાથે પ્રથમની જેમ વાત કરવા લાગ્યા. ત્યારપછી તે અભયકુમારે શ્રેણીકરાજાનું તે ઉદરનું માંસ ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને જ્યાં ચલણાદેવી હતી ત્યાં આવ્યો. આવીને ચેલણાદેવીને તે આપ્યું. ત્યારપછી તે ચેલણા દેવીએ શ્રેણીક રાજાના તે ઉદરમાંસને યાવતુ પોતાના દોહલાને દૂર કર્યો-પૂર્ણ કર્યો. ત્યારપછી તે ચેલણા દેવી સંપૂર્ણ દોહલાવાળી એ જ પ્રમાણે સન્માનિત દોહલાવાળી અને જેના દોહલાનો વિચ્છેદ થયો છે એવી થઈ તે ગર્ભને સુખે સુખે વહન કરવા લાગી. [૧૧]ત્યારપછી તે ચેલણાદેવીને એકદા કદાચિત્ પૂર્વરાત્રિ અને અપરરાત્રિના સમયે આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે-“ો પ્રથમ આ બાલક ગર્ભમાં આવ્યો કે તરત જ તેણે પોતાના પિતાના ઉદરનું માંસ ખાધું, તો મારા આ ગર્ભનું સાતન કરવું, પાડી નાંખવું, ઐધિ રાદિકપણે ગાળી નાંખવું કે વિધ્વંસ કરવો. તે શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને તે ગર્ભને ધણા ગર્ભસાતનવડે, ગર્ભપાત નવડે, ગર્ભગાલનવડે અને ગર્ભવધ્વંસનવડે સાતન કરવા, પાતન કરવા, ગાલન કરવા અને વિધ્વંસ કરવાની ઈચ્છા કરી. પરંતુ તે ગર્ભનું સાતન,પાતન,ગાલન કે વિધ્વંસન થયું નહીં. ત્યારપછી તે ચેલણાદેવી જ્યારે તે ગર્ભને ધણા ગર્ભસાતનવડે યાવતુ વિધ્વંસન વડે સાતન કરવા યાવતુ વિધ્વંસ કરવા શક્તિમાન ન થઈ, ત્યારે તે શ્રાંત, તાંત, પરિતાંત. એટલે ખેદવાળી થઈ, નિર્વેદ પામી, ઈચ્છા રહિત, પરાધીન તથા આર્તધ્યાનને વશ થઈ દુઃખાત થઈ તે ગર્ભને વહન કરવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy