SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વકબર-૨ 113 વગેરે સુણ વિશેષોથી રહિત હોય છે. આ પ્રમાણે આ સર્વ વૃક્ષો પ્રશસ્ત કંદો વાળા છે. યાવતું વૃક્ષો બહુ જ સુંદર શોભા સંપન્ન દ્રષ્ટિ ગત થાય છે. તે કાળમાં ભારતવર્ષમાં ઠેક ઠેકાણે અનેક ભેરુ તાલ-વૃક્ષ વિશેષ-ના વનો હોય છે હેરુતાલના વનો હોય છે. મેરુતા લના વનો હોય છે. પ્રભાતાલના વનો હોય છે. સાલવૃક્ષોના વનો હોય છે, સરલ વૃક્ષોના વનો હોય છે, સપ્તપર્ણોના વનો હોય છે, પૂગફલી-સોપારીના વૃક્ષોના વનો હોય છે, ખજુરી-પિંડખજૂરોના વનો હોય છે. અને નારિયેલના વૃક્ષોના વનો હોય છે. આ વનો માં આવેલા વૃક્ષોની નીચેના ભૂમિ ભાગો કુશ-કાશ અને બિલ્વાદિ લતાઓથી સર્વથા રહિત હોય છે. આ વૃક્ષો પણ પ્રશસ્ત મૂળ વાળા હોય છે. પ્રશસ્ત કંદવાળા હોય છે. અત્યા દિ તે કાળ ભરત ક્ષેત્રમાં ઠેકઠેકાણે ઘણી સેરિકા નામની લતા ઓના સમૂહો હોય છે. નવમાલિકા નામની લતાઓના સમૂહો હોય છે. કોરંટ નામની લતાઓના સમૂહો હોય છે. બધુ જીવક મનોવદ્યગુલ્મો નીલર્કિટિકા કુર્જકના સિંદૂવારના મુગર વેલી મૂથિકા સ્વર્ણ જુહીંના મલ્લિકા લતાના વાસંતિકા લતાના વસ્તુલના ગુલ્મો વસ્તુલ મગદૈતિ કાના ગુલ્મો હોય છે. ચંપકના ગુલ્મો હોય છે. આ સર્વ ગુલ્મો અતીવ સુંદર હોય છે અને આરોપ યુક્ત મેઘના સમૂહ જેવા હોય છે. તેમજ પાંચ વર્ણવાળા પુષ્પોને ઉત્પન્ન કરતા રહે છે. એ ગુલ્મો ભરત ક્ષેત્રમાં સ્થિત બહુસમરમણીય ભૂમિભાગને વાયુથી કંપિત શાખાઓને અગ્રભાગથી વર્ષેલા પુષ્પોથી અલંકત કરે છે. તે કાળમાં ભરત ક્ષેત્રમાં ઠેક ઠેકાણે. અનેક પઘલતાઓ યાવતુ શ્યામલતા હોય છે. ઠેકઠેકાણે ઘણી વનરાજિઓ હતી એ વનરાજિઓ કૃષ્ણ છે અને કૃષ્ણરૂપથી અવભાસિત થાય છે. યાવતુ એઓ ખૂબજ સોહામણી લાગે છે. [33] તે સુષમસુષમા નામના આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે તે સ્થાનોમાં મત્તાંગ નામના કલ્પવૃક્ષો હતા. યાવતું ચન્દ્રપ્રભા મણિ શિલિકા ઉત્તમમદ્ય તથા વર . વારુણી એ સર્વે માદકરસ વિશેષો છે. આ સર્વે સુપરિપાકગત પુષ્પો ફળો તેમજ ચોય નામક ગન્ધ દ્રવ્ય વિશેષના રસોમાંથી બનાવવામાં આવે છે, તથા એમના માં શરીરને પુષ્ટ કરનારા દ્રવ્યોનું મિશ્રણ રહે છે. આ પ્રમાણે અનેક જાતના આસવો પણ તૈયાર કરવામાં આવે છે. જે આ સર્વ સુરા વિશેષોના વર્ણ ગધુ રસ અને સ્પર્શ વિશિષ્ટ પ્રકાર ના હોય છે. જેમ લોક પ્રસિદ્ધ ચન્દ્રપ્રભા વગેરે સુરાઓ હોય છે. તેમજ મત્તાંગ જાતિના દુમગણ પણ સ્વતઃ સ્વભાવથી અનેક પ્રકારના અમાદક પદાર્થોના રૂપમાં પરિણત થઈ જાય છે. તે પ્રથમ આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે અનેક ભૂતાંગ નામના કલ્પવૃક્ષો હોય કલ્પવૃક્ષો તે યુગલિકોને અનેક પ્રકારના ભાજનોને પ્રદાન કરતા રહે છે. આ સૂત્રપાઠગત પદોની વ્યાખ્યા જીવાભિગમ સૂત્ર થી જાણી લેવી. [34] હે ભદત ! તે સુષમસુષમા આરકના સદ્ભાવમાં ભરતક્ષેત્રમાં યુગલિક મનુષ્યોના સ્વરૂપ કેવું હોય છે? હે ગૌતમ ! તે સમયે મનુષ્ય યુગલિક સ્ત્રી-પુરુષ જેમનું સંસ્થાન સમીચીન છે એવા તેમજ કચ્છપ જેવા ઉન્નત સુંદર ચરણોવાળા હોય છે. હે ભદન્ત ! તે સુષમસુષમા કાળ ના સમયે ભરત ક્ષેત્રની સ્ત્રીઓના આકાર ભાવ પ્રત્ય વતાર-સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે. ગૌતમ ! તે મનુષ્ય સ્ત્રીઓ-સુપ્રમાણમાં ઉત્પન્ન થયેલા મસ્તકાદિ અંગોવાળી હોય છે. તેમજ સુજાત સવાંગ યુક્ત હોવાથી તેઓ ખૂબજ સુંદર હોય છે. એમના બન્ને ચરણો અતિકાન્ત-અતિ સુંદર હોય છે, વિશિષ્ટ પ્રમાણોપેત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy