SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 112 જંબુદ્વિવપન્નત્તિ 229 ઉત્તર કરના માણશોના જ હોય-કોટિઓને એકદમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કોઈ પણ સ્થાને તલમાત્ર પણ સ્થાન ખાલી હોય નહીં આમ ભયપિછી તેમાં વિવર રહેશે નહીં વાયુ પ્રવિષ્ટ થઈ શકશે નહીં નિબિડરૂપમાં હોવાથી અગ્નિ પણ તેમને ભસ્મ કરી શકશે નહીં તે બાલાઝ કોટિઓથી તે પલ્થ સારી રીતે અતીવ નિબિડ રૂપમાં પૂરિત થઈ જાય ત્યારે તેમાં સો વર્ષ નીકળી જવા બાદ એક બાલાઝ કોટિ બહાર કાઢવી જોઈએ આમ કરતાં કરતાં જેટલા કાળમાં તે પલ્ય તે બાલાઝ કોટિઓથી રિક્ત થાય છે. બાલાસ્ત્રનો સ્વલ્પાંશ પણ તેમાં રહે નહીં એટલે તો તેટલા કાળનું નામ પલ્યોપમ કાળ છે. આ પલ્પમાં સંખ્યાત કોટિ કોટિ પ્રમાણ વર્ષ સમાપ્ત થઈ જાય છે. આને બાદર પલ્યોપમ કહેવામાં આવે છે, પૂર્વોક્ત બાલાઝોમાં એક એક બાલાગ્રના અસંખ્યાત ખંડો કરી નાખવા જોઈએ અને ત્યાર બાદ તેમના વડે આ પલ્યને પૂરિત કરવું. આ સ્થિતિમાં આ પલ્યની લંબાઈ પહોળાઈ તેમજ અવગાહ ઊત્સધાંગુલયોજન પ્રમાણ થઈ જશે. હવે દર સો વર્ષે એક બાલાગ્રખંડનો તેમાંથી અપહાર કરવો આ પ્રમાણ જેટલા કાળમાં તે પલ્ય તે બાલાગ્રોના અપહાર થી સર્વથા નિર્લિપ્ત બની જાય. એવો તે અસંખ્યાત કોટી કોટી વર્ષ પ્રમાણ વાળો કાળ સૂક્ષ્મ પલ્યોપમ કાળ કહેવામાં આવે છે. [30] પલ્યોપમની જે દશ ગુણિત કોટી કોટી, તે એક સાગરોપમનું પ્રમાણ. [31] એવા સાગરોપમ પ્રમાણથી ચાર સાગરોપમ કોટા કોટિનો એક સુષમ સુષમા કાળ હોય છે. એને જ અવસર્પિણી નો પ્રથમ આરક કહેવામાં આવેલ છે. ત્રણ સાગરોપમ કોટા કોટીનો દ્વિતીય કાલ જે સુષમા છે તે હોય છે. બે સાગરોપમ કોટા કોટિનો તૃતીય કાળ જે સુષમ દુષ્પમાં છે. તે હોય છે. 40 હજાર વર્ષ કમ 1 કોટા કોટી સાગરોપમનો દુષ્કમ સુષમાકાળ હોય છે, આ ચોથો કાળ છે. 21 હજાર વર્ષનો દુઝમા નામે 5 મો કાળ હોય છે, તથા આટલાજ હજાર વર્ષનો થ્રો કાળ જે દુષમ-દુષમાં દુષ્પ મા નામે પ મ કાળ હોય છે. તથા આટલાજ હજાર વર્ષનો ૬ઠ્ઠો કાળ જે દુષ્કમ દુષમા છે તે હોય છે. આ પ્રમાણે સર્વ સંકલનાથી અવસર્પિણી કાળ 10 કોડા કોડી સાગરોપમનો હોય છે. ઉત્સર્પિણી કાળમાં પ્રથમ કાલ જે દુષ્કમ દુષ્પમાં છે તે 21 હજાર વર્ષની હોય છે. એને જ ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરક કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉત્સપિણી કાળના છઠ્ઠા સુષમા સુષમાં આરક સુધીનું કથન સમજી લેવું જોઈએ. * [32] હે ભદત્ત ! આ જંબૂઢીપ નામના દ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રમાં આ અવ સર્પિણી કાળના સુષમ સુષમા નામના પ્રથમ આરક માં જ્યારે તે પોતાની સર્વોત્કૃષ્ટ અવસ્થામાં વર્તી રહ્યો હતો. ભરતક્ષેત્રનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર- હતો. હે ગૌતમ ! જ્યારે જંબૂઢીપાશ્રિત આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળના સમયે પ્રથમ સુષમસુષમા નામક પ્રથમ આરક પોતાની સર્વોત્કૃષ્ટ અવસ્થા પર ચાલી રહ્યો હતો, તે સમયમાં અહીં ભૂમિ ભાગ બહુ સમ રમણીય હતો મૃદંગના મુખ પટ નો આકાર હોય છે. યાવતુ તે અનેક પ્રકારના પાંચ વર્ણવાળા મણિઓ થી તેમ જ તૃણોથી સુશોભિત હતો આ સુષમ સુષમા કાલમાં આ ભરત ક્ષેત્રમાં અનેક ઉદ્દાલ, કુદાલ, મોદ્દાલ, કૃતમાલ’ મૃત્તમાલ, દેતમાલ, નાગમાલ, ભૃગમાલ, શંખમાલ અને જેતમાલ નામના પ્રસિદ્ધ ઉત્તમ વૃક્ષ જાતિના ઉત્તમ વૃક્ષ સમૂહો કહેવામાં આવેલ છે. આ સર્વ વૃક્ષો પોત પોતાના મૂળ ભાગોમાં અને શાખાપ્રશાખા આદિના મૂળ સ્થાનોમાં કુશ અને વિક્રબન્ધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy