SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 258 જંબુલીવપનતિ- 7331 વસ્યાને આ યુગમાં જાણવા ઇચ્છતા હોય કે કયા નક્ષત્રમાં વર્તમાન અમાવાસ્યા પરિ સમાપ્ત થાય છે તો આ માટે જેટલા રૂપોથી જેટલી અમાવસ્યાઓ નિકળી ગઈ હોય તેટલી સંખ્યાને સ્થાપિત કરી લેવી જોઈએ. 66 મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ બાસઠ ભાગ અને એક દુર ભાગનો એકસઠમો ભાગ આવે છે. આ પ્રમાણે અવધાર્યરાશિનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. 22 મુહૂર્તના 46 બાસઠ ભાગ રૂપ આ પુનર્વસુ નક્ષત્રનું આટલું પ્રમાણશોધન યોગ્ય પૂર્ણ થાય છે. ઉત્તરાફાલ્ગની સુધીના નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર થી લઈને 102 થી શોધવામાં આવે છે, વિશાખા સુધીના નક્ષત્ર ર૮ થી શોધાય છે અને ઉત્તરાષાઢા સુધીના નક્ષત્ર 442 થી શોધાય છે જેવી રીતે પૂર્વે અમાવસ્યા અને ચન્દ્ર નક્ષત્રના પરિજ્ઞાનના નિમિત્ત અવધાર્ય રાશિ કહેવામાં આવી છે એવી જ અવધાર્ય રાશિ અહીં પણ પોર્ણમાસી અને ચન્દ્રનક્ષત્રની પરિજ્ઞાન વિધિમાં પણ જાણવી જોઈએ. હે ભદન્ત ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમા તિથિની સાથે કેટલા નક્ષત્ર સમ્બન્ધ કરે છે? હે ગૌતમ!ત્રા નક્ષત્ર યોગ કરે છેશતભિષક પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, હે ભદન્ત ! આશ્વયુજી પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્ર યોગ કરે છે? હે ગૌતમ! બે નક્ષત્ર સમ્બન્ધ કરે છે રેવતી નક્ષત્ર ને અશ્વિની કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે. છે-ભરણી નક્ષત્ર અને કૃત્તિકા, માર્ગશીર્ષ પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે રોહિણી અને મૃગશિરા છે. પૌષી પૂર્ણિમાઓને અદ્ધ,પુનર્વસુ અને પુષ્પ એ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. માઘી પૂર્ણિમાને બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. એક અશ્લેષા નક્ષત્ર અને બીજું મઘા નક્ષત્ર, ફાલ્ગની પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે. પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની ચૈત્રી પૂર્ણિમાને હસ્ત અને ચિત્રા આ બે નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર સમાપ્ત કરે છે વૈશાખી પૂર્ણિમાને સ્વાતી અને વિશાખા નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાને- અનુરાધા જ્યેષ્ઠા અને મૂલ નક્ષત્રોમાંથી-કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે આષાઢ પૂર્ણિમાને પૂવષાઢા નક્ષત્ર અને ઉત્તરષાઢા નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. હે ગૌતમ! શ્રાવણમાસ ભાવિની પૂર્ણિમાની સાથે કુલસંશક નક્ષત્રોનો પણ યોગ રહે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોનો પણ યોગ રહે છે અને કુલીપકુલસંજ્ઞક નક્ષત્રોનો પણ યોગ રહે જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્રોને યોગ રહે છે ત્યારે તેમાં ધનિષ્ઠા નક્ષત્રનો યોગ રહે છે. અને જ્યારે ઉપકુલસંશક નક્ષત્રોનો યોગ થાય છે ત્યારે શ્રવણ નક્ષત્રનો યોગ થાય છે કુલીપકુલસંજ્ઞક નક્ષત્રનો જ્યારે યોગ થાય છે ત્યારે અભિજિતુ નક્ષત્રનો યોગ થાય છે, શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર યાવતુ ઉપકુલસંશક નક્ષત્ર તેમજ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે આથી જ તે શ્રાવિષ્ઠી પૂર્ણિમા. કુલસંજ્ઞક નક્ષત્રથી ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી તેમજ કુલીપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત કહેવામાં આવી છે. હે ગૌતમ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે અને કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે જ્યારે આની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમાંથી ઉત્તરભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમાં પૂર્વભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે અને જ્યારે કુલીપકુલ સંશક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમનામાંથી શતભિષક નક્ષત્ર યોગ કરે છે. આશ્વયુજી પૂર્ણિમા કુલસંશક નક્ષત્રથી અને ઉપકુલસંશક નક્ષત્રથી યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy