SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ વફબાર-૭ 257 ઉતરાષાઢા સિંહના આકાર જેવી આ રીતે આ ઉપર કહેલા નક્ષત્રો આકાર હોય છે. હે ભદત્ત ! અઠ્યાવીસ નક્ષત્રોમાંથી જે અભિજિત નામનું નક્ષત્ર છે તેનો ચન્દ્રની સાથે કેટલા મુહૂર્ત સુધી સમ્બન્ધ રહે છે ? હે ગૌતમ ! અભિજિતુ નક્ષત્રનો ચન્દ્ર સાથે યોગ થવાનો કાળ 9-27 67 મુહૂર્તાનો છે શભિષક, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ તેમજ જ્યેષ્ઠા આ છ નક્ષત્ર ચન્દ્રમાની સાથે 15 મુહૂર્ત સુધી યોગ કરે છે. ઉત્તરાફાલ્ગની, ઉત્તરષાઢા, ઉત્તરભાદ્રપદા આ ત્રણ નક્ષત્ર તથા પુનર્વસુ રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર 45 મુહૂર્ત સુધી ચન્દ્રમાની સાથે સંબંધ રાખે છે, બાકી રહેલા નક્ષત્ર-શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વભદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા મૃગશિરા, પુષ્પ, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ અને પૂર્વાષાઢા એ પંદર નક્ષત્ર-૩૦ મુહૂર્ત સુધી ચન્દ્રમાંની સાથે સંબંધ રાખે છે. હે ભદન્ત! આ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે અભિજિતુ નામનું પ્રથમ નક્ષત્ર છે તેનો. સૂર્યની સાથે કેટલા અહોરાત સુધી સંબંધ બન્યો રહે છે? 4 અહોરાત્રિ અને 6 મુહૂર્ત સુધી અભિજિતુ નક્ષત્રોનો યોગ. સૂર્યની સાથે રહે છે શભિષકનક્ષત્ર, ભરણી નક્ષત્ર, આદ્રનિક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર, સ્વાતિનક્ષત્ર ને જ્યેષ્ઠા નક્ષત્ર એ 6 નક્ષત્રોનો રવિની સાથે યોગકાળ 21 મુહૂર્તનો છે અને છ અહોરાત્રિનો છે, ઉત્તરભાદ્રપદા, ઉત્તરફાલ્ગની. ઉત્તરાષાઢા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર સૂર્યની સાથે ત્રણ મુહૂર્ત અને વિીસ દિવસ રાત સુધી જોડાયેલા રહે છે. બાકીના જે 15 નક્ષત્ર વધ્યા છે-શ્રવણ, ધનિષ્ટી, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા, મૃગશિરા, પુષ્ય, મઘા, પૂર્વ ફાગુની, ઉત્તરફાલ્ગની ચિત્રા, અનુરાધા, મૂલ તેમજ પૂવષાઢા આ સઘળા નક્ષત્ર સૂર્યની સાથે 12 મુહૂર્ત-૧૩દિવસ રહે છે. [૩ર૯-૩૩૧] હે ભદન્ત ! કુલ સંશક નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર કેટલાં કહેવામાં આવ્યા છે ?કેટલાં નક્ષત્ર કુલીપકુલ સંજ્ઞક કહેવામાં આવ્યા. છે? 12 નક્ષત્ર કુલ સંજ્ઞક છે, 12 નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક છે અને 4 નક્ષત્ર કુલપુકલ સંજ્ઞક છે જે કુલ સંજ્ઞક નક્ષત્ર છે તે આ પ્રમાણે ધનિષ્ઠા ઉત્તરભાદ્રપદા અશ્વિની નક્ષત્રકુલ કૃત્તિકા મૃગશિરા પુષ્પ મઘા ઉત્તરશત્રુની ચિત્રા વિશાખા મૂલ ઉત્તરાષાઢા જે નક્ષત્રો કુલ સંજ્ઞક નક્ષત્રોની પાસે હોય છે તે નક્ષત્રો ઉપચારથી ઉપકુલ સંશક છે અને આ શ્રવણ આદિ નક્ષત્રો છે જે નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોની નીચે રહે છે તેઓ કુલીપકુલ સંશક નક્ષત્ર છે. આવા તે અભિજિતુ, શતભિષક, આદ્ર અને અનુરાધા આ નક્ષત્રો છે. શ્રવણ પૂર્વભાદ્રપદી રેવતી, ભરણી રોહિણી પુનર્વસુ અશ્લેષા પૂર્વાફાલ્યુની હસ્ત જયેષ્ઠા પૂર્વાષાઢા નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર છે. હે ભદન્ત ! પૂર્ણિમાં અને અમાવસ્યા કેટલી કહેવામાં આવી છે? હે ગૌતમ ! 12 પૂર્ણમાઓ અને 12 અમાવાસ્યાઓ કહેવામાં આવેલ છે. તે બંનેના 12 પ્રકાર આ પ્રમાણે છે. શ્રાવિષ્ઠી પ્રોષ્ઠપદા આશ્વયુજી કાર્તિકી માર્ગશીર્ષ પૌષી માથી ફાલ્ગની ચૈત્રી વૈશાખી જયેષ્ઠામૂલી આષાઢી. હે ભદન્ત ! શ્રાવિષ્ઠી પૂર્ણિમાને પૂર્ણ માસને-કેટલા નક્ષત્ર ચન્દ્રની સાથે સમ્બ ન્વિત થઈને સમાપ્ત કરે છે? હે ગૌતમ ! ત્રણ નક્ષત્ર ચન્દ્રન સાથે સમ્બન્ધિત થઈને પૂર્ણિ માને સમાપ્ત કરે છે. આ ત્રણ નક્ષત્ર આ છે અભિજિતું શ્રવણ અને ધનિષ્ઠા જે અમા. 12ucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy