________________ - 228 જંબુદ્વિવપનરિ-પાર૩૯ યોજન જેટલા વિસ્તારવાળું હતું આની મહેન્દ્રધ્વજા પ00 યોજન જેટલી ઊંચી હતી. આ વિમાનકારી આભિયોગિક દેવ હતો. શેષ બધું કથન જે પ્રમાણે શકના અધિ કારમાં કહેવામાં આવ્યું છે, તેવું જ છે. આનો રતિકર પર્વત દક્ષિણ દિગ્દર્ટી હોય છે કે જ્યાં આવીને તે ત્યાંથી ચાલે છે. ત્યાં મન્દર ઉપર આવીને તેણે પ્રભુની પર્યુપાસના કરી. તે કાળે અને તે સમયે, જ્યારે પ્રભુનો જન્મ થયો અને જ્યારે 56 દિમારિકાઓ આદર્શ પ્રદર્શનાદિ રૂપ કાર્ય સંપાદન કરી ચૂકી ત્યારે અસુરેન્દ્ર અસુરકુમારાજ બલી પણ ચમરની જેમ જ મન્દર પર્વત ઉપર આવ્યા અને તેણે પણ પ્રભુની પપાસના કરી. પદથી આ તફાવત પ્રકટ કરવામાં આવ્યો છે કે એને 60 હજાર સામાનિક દેવો હતા અને સામાનિક દેવો કરતાં ચોગણાં આત્મરક્ષક દેવો હતા. સેનાપતિ મહાદ્ધમ નામક દેવ હતો. મહીઘસ્વચ નામક એની ઘંટા હતી. શેષ બધું યાન-વિમાનાદિક વિસ્તારનું કથન ચમરના પ્રકરણના કથન જેવું જ છે. એની ત્રણ પરિષદાઓનું વર્ણન જે પ્રમાણે જીવા. ભિગમ સૂત્રમાં કહેવામાં આવેલું તેવું જ અહીં પણ સમજવું. એની રાજધાનીનું નામ બલિચંચા છે. આનો નીકળવાનો માર્ગ દક્ષિણ દિશા તરફ હોય છે. આનો રતિકર પર્વત ઉત્તર-પશ્ચિમ દિશ્વર્તી હોય છે. તે કાળે અને તે સમયે ધરણ પણ ખૂબ ઠાઠ-માઠ સાથે ચમરની જેમ મંદર પર્વત આવ્યો, પણ તે 6 હજાર સામાનિક દેવોથી : અઝમહિષી ઓથી તેમજ સામાનિક દેવોની અપેક્ષાએ ચાર ગુણા આત્મરક્ષક દેવોથી યુક્ત થઈને આવ્યો. એની મેઘસ્વર નામની ઘંટા હતી. પધત્યની કાધિપતિનું નામ ભદ્રસેન હતું. 25 હજાર યોજન પ્રમાણ વિસ્તારવાળું એનું યાનવિમાન હતું. આની મહેન્દ્ર ધ્વજા ૨પ૦ યોજન જેટલી ઊંચી હતી. આ પ્રમાણે જ ધરણેન્દ્રની વક્તવ્યતા મુજબ અસુરેન્દ્રો ચમર અને બલીન્દ્રોને બાદ કરીને ભવન વાસીન્દ્રોના-ભૂતાનાદિકોના વિશેની વક્તવ્યતા જાણવી જોઇએ. તફાવત ફક્ત આટલો જ છે કે અસુરકુમારોની ઘંટા ઓઘસ્વરા નામક છે અને નાગકુમારાની ઘંટા મેઘસ્વરા નામક છે. સુપર્ણકુમારોની ઘંટા હંસસ્વરા નામક છે. વિધુત્કમાંરની ઘંટા કૌચસ્વરા નામક છે. અગ્નિકુમારોની ઘંટા મંજુસ્વરા નામક છે. દિક્મારોની ઘંટા મંજુઘોષ છે. ઉદધિકુમારોની ઘંટા સુસ્વરા નામક છે. દ્વીપકુમારની ઘંટા મધુરસ્વરા નામક છે. વાયુકુમારોનીઘંટા નંદિઘોષા નામક છે. અમરના સામાનિક દેવોની સંખ્યા૬૪હારછે.બલીન્દ્રના સામાનિકદેવોની સંખ્યા 60 હજાર છે. ધરણેન્દ્રના સામા નિક દેવોની સંખ્યા 6 હજાર છે. આ પ્રમાણે 6 હજાર અસુરવર્ક ધરણેન્દ્રાદિ 18 ભવન વાસીન્દ્રોના સામાનિક દેવો છે તેમજ એમના આત્મરક્ષક દેવો સામાનિક દેવો કરતાં ચારગણા છે. દક્ષિણદિશ્વર્તીઅમરેન્દ્ર વર્જિત ભવનપતીન્દ્રોનો પદાત્યનીકાધિ પતિ ભદ્ર સેન છે. તથા ઉત્તર દિશ્વર્તી બલિ વર્જિત ભવનપતીન્દ્રોનો પદાત્યનીકાધિપતિ દક્ષ છે. એજ પ્રમાણે આ પૂર્વમાં ભવનવાસિયોના સંબંધમાં કથન પ્રગટ કરવામાં આવેલું છે તે પ્રમાણે જ વાનયંતરો તેમજ જ્યોતિષ્ક દેવોના સંબંધમાં પણ કથન સમજી લેવું જોઈએ. સામાનિક દેવોની સંખ્યા ચાર હજાર છે. એમની પટ્ટ દેવીઓ ચાર હોય છે. એમના આત્મરક્ષક દેવો 16 હજાર હોય છે. એમના યાન-વિમાનો એક હજાર યોજન જેટલા લાંબા-ચોડા હોય છે. મહેન્દ્ર ધ્વજની ઊંચાઈ 125 યોજન જેટલી છે. દક્ષિણ દિગ્દર્તી વ્યાન્તરોની ઘંટાઓ મંજુવરા નામની છે અને ઉત્તર દિશ્વત વાવ્યતરોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org