SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ - - વખારી-૫ 227 લાખ વિમાન જેના અધિપતિત્વમાં છે. નિર્મળ અંબર વસ્ત્રોને ધારણ કરીને તે સુમેરૂ પર્વત પર આવ્યો. જે પ્રમાણે શક્ર સૌધર્મેન્દ્ર ઠાઠ-માઠ સાથે આવ્યો હતો તેવાજ ઠાઠ માઠ સાથે તે પણ આવ્યો. શકના પ્રકરણની અપેક્ષાએ આ પ્રકરણમાં આટલો જ તફાવત છે કે એ ઈશાનની મહાઘોષા નામક ઘંટા છે. લઘુ પરાક્રમ નામક પદાત્યનીકાધિપતિ છે. પુષ્પક નામક વિમાન છે. દક્ષિણ દિશા તરફ તેના નિર્ગમન માટેની ભૂમિ છે. ઉત્તર પૂર્વ દિશાવતી રતિકર પર્વત આવેલ છે. આ પ્રમાણે વૈમાનિક દેવોના અવશિષ્ટ ઈન્દ્રો પણ આવ્યા, અને એ ઈન્દ્રો પણ અહીં અચ્યતેન્દ્ર સુધીના અહીં આવ્યા. સૌધર્મેન્દ્રના 84 હજાર સામાનિક દેવો છે. ઈશાનને 80 હજાર સામાનિક દેવો છે. સનકુમારન્દ્રને ૭ર હજાર સામાનિક દેવો છે, માહેન્દ્રની 70 હજાર સામાનિક દેવો છે, બ્રત્યેન્દ્રને 60 હજાર સામાનિક દેવો છે. લાન્તકેન્દ્રને પ૦ હજાર સામાનિક દેવો છે. શકેન્દ્રને 40 હજાર સામાનિક દેવો છે. સહસ્સારેન્દ્રને 30 હજાર સામાનિક દેવો છે. આનત પ્રાણત કલ્પ દ્વકેન્દ્રને 20 હજાર સામાનિક દેવો છે. આરણ અશ્રુત કલ્પ દ્વિકેન્દ્રને 10 હજાર સામાનિક દેવો છે. સૌધર્મેન્દ્ર શુક્રને 32 લાખ વિમાનો છે. ઈશાનને 28 લાખ વિમાનો છે. સનસ્કુમારેન્દ્રના 12 લાખ વિમાનો છે. મહેન્દ્રને 8 લાખ વિમાનો છે. બ્રહ્મલોકેન્દ્રને 4 લાખ વિમાનો છે. લાન્તકેન્દ્રને 50 હજાર વિમાનો છે. શુક્રેન્દ્રને 40 હજાર વિમાનો છે. સહસ્ત્રારેન્દ્રને 6 હજાર વિમાનો છે. આનત-પ્રાણત એ બે કલ્પોના ઈન્દ્રને 400 વિમાનો છે અને આરણ અય્યત એ કલ્પોના ઈન્દ્રને 300 વિમાનો છે. યાનવિમાનની વિફર્વણા કરનારા દેવોના નામો અનુક્રમે આ પ્રમાણે છે(૧) પાલક, (2) પુષ્પક, (3) સૌમનસ (4) શ્રીવત્સ, નન્દાવર્ત(૫) કામગમ, (6) પ્રીતિ ગમ, (7) મનોરમ (8) વિમલ અને સર્વતોભદ્ર. સૌધર્મેન્દ્રોની, સનકુમારેન્દ્રોની બ્રહ્મલોકન્દ્રોની મહાશુકેન્દ્રોની અને પ્રાણા- . તેન્દ્રોની સુઘોષા ઘંટા, હરિને ગમેષી પદાયનીકાધિપતિ ઔત્તરહા, નિર્માણ ભૂમિ દક્ષિણ પૌરણ્ય રતિકર પર્વત એ ચાર વાતોને લઈને પરસ્પર સમાનતા છે. અહીં ઈશાનેન્દ્રોની, મહેન્દ્રોની, લાંતકબ્દોની, સહસ્ત્રારેન્દ્રોની અને અશ્રુતકેન્દ્રોની મહાઘોષાઘંટા, લઘુ પરાક્રમ પદત્યનીકાધિપતિ, દક્ષિણ નિયણિ માર્ગ ઉત્તરપૌષસ્વ રતિકર પર્વત, એ ચાર વાતોમાં પરસ્પર સમાનતા છે. એમની પરિષદના સંબંધમાં જીવાભિગમ સૂત્રોનુસાર કથન જાણવું. એ બધા ઈન્દ્રોના યાનવિમાનો 1 લાખ યોજન વિસ્તારવાળાં છે. તથા એમની ઊંચાઈ પોત-પોતાના વિમાનના પ્રમાણ મુજબ હોય શક્રોને બાદ કરીને એ બધા માહેન્દ્ર પર્વત ઉપર આવ્યાં. યાવતુ તેઓ ત્યાં પર્યપાસના કરવા લાગ્યા. [23-239] તે કાળે અને તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની ચમર ચંચા નામક રાજધાનીમાં સુધમ સભામાં અમર નામક સિંહાસન ઉપર 64 હજાર સામાનિક દેવોથી, 33 ત્રાયત્રિશ દેવોથી ચાર લોક પાલીથી પોત-પોતાના પરિવાર સાથે પાંચ અગ્રમહિષીઓથી ત્રણ પરિષદાઓથી સાત અનીકસૈન્યોથી સાત અનીકાધિપતિઓથી, 256000 આત્મરક્ષક દેવોથી તથા ચામરચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવો અને દેવીઓથી યુક્ત થઈને બેઠો હતો તે પણ સૌધર્મેન્દ્રની જેમ યાવત મન્દર પર્વત ઉપર આવ્યો. આટલો જ તફાવત છે કે આની પદત્ય નીકાધિપતિ કુમ નામ વાળો હતો એની ઘંટાનું નામ ઓઘસ્વરા હતું. એનું યાનવિમાન પ૦ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy