SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૩ અધમંડળમાં પરિપૂર્ણ અધિક હોય છે. તથા ત્રીજા અર્ધમંડળના સડસઠિયા આઠભાગ તથા એક સડસઠિયા ભાગને એકત્રીસથી વિભત કરીને તેના અઢાર ભાગોને વધારે કરે છે. આટલા પ્રમાણતુલ્ય ચંદ્ર, ચાંદ્રમાસમાં નાક્ષત્ર માસથી વધારે ગમન કરે છે. બીજા અયનના અંતમાં ચૌદમા અર્ધમંડળમાં તેની સન્મુખ ગત હોવાથી તે પછી પર્વત પ્રદેશમાં સાક્ષાત્ ચંદ્રમા અધમંડળમાં પ્રવેશ કરીને કેટલોક સમય ત્યાં રહીને ફરીથી બીજીવાર પ્રવેશ કરીને પહેલીક્ષણની પછી સર્વબાહ્યવંતરના સમીપસ્થ બીજા મંડળની સન્મુખ ચંદ્ર ગમન કરે છે. તે પછી એજ સર્વબાહ્ય મંડળના પછીના બીજા અધમંડળમાં ગમન કરતો વિવક્ષિત થાય છે. જે પ્રમાણે ચંદ્ર ત્રીજા અધ્યનમાં ગમન કરે ત્યારે પહેલાં મેરૂની પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે. તે પછી બાહ્યાવંતર મંડળના વ્યવધાન વિનાના પૂર્વભાગમાં રહીને પાછલા અધમંડળના સડઠિયા એકતાલીસભાગ થાય છે. જેને ચંદ્ર પોતે કે બીજાએ ભોગવેલાને ફરીથી ઉપમુક્ત કરે છે. કૃષ્ણપક્ષમાં અને શુકલ પક્ષમાં પહેલાં અને પછી એકજ સ્થાનમાં રહીને પંદરમાં મંડળના સડસઠિયા તેરમો ભાગ બન્ને તરફ વર્તમાન હોવાથી પ્રવેશ અને નિર્ગમનના સમયમાં સડઠિયા તેરમો એક ભાગ-પ્રદેશને બીજાએ ભોગવેલને ફરી ભોગવે છે. તથા બીજા સડસઠિયા તેર ભાગ પ્રદેશને પોતે અથવા બીજાએ વ્યાપ્ત કરેલ ને ફરીથી વ્યાપ્ત કરે છે. આ પ્રકારના પરિભ્રમણથી સર્વબાહ્ય નામના પંદરમા મંડળની પછીના પશ્ચિમ ભાગમાં રહીને બીજું અધમંડળ સમાપ્ત થાય છે. પશ્ચિમ ભાગ ગત ચાર-ગતિની પછી, એજ ત્રીજા અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમ ભાગનો ઉપભોગ કરીને મેરૂના પૂર્વ ભાગમાં પ્રવેશ કરે છે. ત્યાં આગળ સર્વબાહ્ય મંડળથી પછીના પૂર્વ ભાગના અર્ધમંડળના જે સડસઠિયા એકતાલીસભાગ હોય છે, કે જેને ચંદ્ર પોતે કે અન્ય કોઈ બીજાએ ભોગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તે પછી અન્ય જે સડસઠિયા તેરમો ભાગ છે. કે જેને ચંદ્ર અન્ય ભોગવેલને ફરીથી ભોગવે છે. બીજો જે સડસઠયા તેરમો ભાગ છે. કે જેને ચંદ્ર પોતે ભોગવેલને પ્રતિચરિત કરે છે. આટલા પ્રમાણવાળા કાળથી અથતુ સર્વબાહ્ય મંડળથી પછીનું ત્રીજું પૂર્વભાગનું અધમંડળ સમાપ્ત થાય છે. સડસ ઠિયાભાગ પણ પૂર્ણ થવાથી ત્રીજા મંડળનો સંચાર સમાપ્ત થાય છે. પૂર્વ દિશાના ત્રીજા અધમંડળની સમાપ્તિની પછી એજ ત્રીજા અયનમાં ચંદ્રગમન કરે ત્યારે અથવું પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે ત્યારે સર્વબાહ્ય નામના પંદરમાં મંડળની પછીના ચોથા પાશ્ચાત્ય અર્ધમંડળના સડસઠિયા આઠ ભાગ તથા સડસઠિયા એકભાગના એકવીસભાગોથી વિભક્ત કરીને તેના અઢાર ભાગો થાય છે. જેને ચંદ્ર પોતે તથા બીજાઓએ ભોગ વેલાનો ફરીથી ઉપભોગ કરે છે. આ રીતે પરિભ્રમણ કરવાથી સર્વબાહ્ય મંડળથી પછી નું ચોથું અધમંડળ સમાપ્ત થાય છે. તથા એક ચાંદ્રમાસ પરિપૂર્ણ થાય છે. પૂર્વકથિત પ્રકારથી ચાંદ્રમાસથી અર્થાત્ યુગસંબંધી ચાંદ્રમાસથી ચોપન ભાગ સંબંધિ તેર ભાગ થાય છે. તથા તેના બે ભાગો થાય છે. આ પ્રમાણે સર્વસંખ્યાથી પંદર મંડળ થાય છે. આ મંડળોને ચંદ્ર અન્ય દ્વારા ભોગવેલને જ ફરીથી ભોગવે છે. પાંચ વર્ષવાળા સંપૂર્ણ યુગ સંબંધી પહેલા ચાંદ્રમાસમાં પહેલાં કહેલ સમગ્ર કથન સમજવું એ બતાવવા માટે તેર તેર ભાગવાળા તથા તેર ચોપન ભાગવાળા તેર સડસઠિયા આઠ ભાગ તથા સડસઠિયા એક ભાગના એકવીસ ભાગ કરીને અઢાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy