SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 76 સૂરપન્નત્તિ-૧૩/૧૦૭-૧૦૯ અને સાતમા અર્ધમંડળના સડસઠિયા તેરમા ભાગ જેટલો પ્રદેશ હોય છે. એટલા પ્રદેશમાં ચંદ્ર ઉત્તર ભાગથી અંતરાભિમુખ પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ કહેવામાં આવનારા છ પરિપૂર્ણ અર્ધમંડળ તથા સાતમા અધમંડળના સડસઠિયા તેરભાગ જેટલા પ્રદેશોમાં ચંદ્ર પંદરમા સર્વબાહ્ય મંડળમાંથી આરંભ કરીને અંદરની તરફ પ્રવેશ કરીને ઉત્તરભાગથી એ મંડળોમાં પ્રવેશ કરીને ગમન કરે છે. ત્રીજા અધમંડળમાં પાંચમા અધમંડળને, સાતમા અર્ધમંડળમાં નવમાં અધમંડળમાં અગીયારમા અધ મંડળમાં તેરમાં અર્ધમંડળમાં તથા પંદરમાં અધમંડળના સડઠિયા તેરભાગમાં ગમન કરે છે. ત્રીજા વિગેરે વિષમ સંખ્યાવાળા છઅર્ધમંડળ પુરા તથા સાતમા અધમંડળના સડઠિયા તેરભાગ એટલા પ્રદેશોમાં ચંદ્ર સર્વબાહ્ય મંડળથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને ઉત્તરભાગથી પ્રવેશીને ગમન કરે છે. આ પહેલાં કહેલ પ્રમાણવાળા સમયમાં ચંદ્રનું પહેલું અયન સમાપ્ત થાય છે. જેટલા પ્રમાણનું નાક્ષત્ર અર્ધમાસ થાય છે, એટલાજ ચાંદ્રમાસ હોતા નથી તથા એક યુગમાં જેટલા ચાંદ્ર અધમાસ હોય છે, એટલાજ નાક્ષત્ર અર્ધમાસ હોતા નથી ચંદ્ર એક ચાંદ્રમાસમાં નાક્ષત્ર અર્ધમાસથી સંપૂર્ણ એક અધમંડળ વધારે ગમન કરે છે, તથા બીજા અધમંડળથી સડસઠિયા ચારભાગ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસ ભાગના નવભાગ વધારે જાય છે. આટલું પ્રમાણ વધારે સંચરણ કરે છે. બીજા અયનને પ્રાપ્ત થયેલ એટલેકે પક્ષની સંધીમાં રહેલ ચંદ્ર સવન્જિંતર મંડળના પૂર્વભાગથી બહાર જવા માટે પ્રવૃત્ત થાય છે. અર્થાત્ સવવ્યંતર મંડળના પૂર્વ ભાગમાં ગમન કરે છે. ત્યાં મંડળના સડસઠિયા ચોપનભાગ મંડળના થાય છે. જેને ચંદ્ર સૂર્યાદિગ્રહોએ ભોગવેલને ફરી ભોગવે છે. એજ ચંદ્ર બીજા અયનમાં ગમન કરે ત્યારે પાશ્ચાત્ય ભાગથી નીકળીને પશ્ચિમ ભાગમાં સંચાર કરે છે. જે પર થી એટલે કે સૂય દિગ્રહોથી ચીર્ણ ભાગ થાય છે. તે ચોપન ભાગના છભાગ થાય છે. અથતુ સૂયદિથી ઉપભક્ત મંડળને ચંદ્ર ફરીથી ભોગવે છે. તથા છ તેર ભાગને ચંદ્ર સ્વયમેવ ભોગવેલ ને ફરીથી ભોગવે છે, અને જે કોઈ સૂયદિગ્રહ દ્વારા આચણ કરેલ ન હોય તેને ચંદ્ર પોતેજ ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. એ બે ક્યા ક્યા છે? વિશેષ કંઈપણ કહેલ નથી, એક જે તેરમો ભાગ છે તે સવવ્યંતર મંડળમાં થાય છે. ઉત્તરાભિમુખ ગમનમાં પ્રવેશેલ ચંદ્ર જ્યારે પહેલાં પ્રવર્તમાન યુગની અંતમાં સભ્ય તર મંડળમાં પ્રથમ ગતિના રોકાઈ જવાથી અન્ય ગતિથી પ્રવર્તિત થાય ત્યારે પહેલો તેરમો ભાગ થાય છે. બીજો તેરમો ભાગ સર્વબાહ્ય મંડળમાં બીજા અયનની દક્ષિણાયન ગતિ સમાપ્ત થવાના સંધી યુગના બીજા પર્વના સમાપ્તિકાળમાં પૂર્ણિમાના અંતમાં એ પર્યન્તવર્તિ થાય છે. આ પૂર્વોક્ત સવવ્યંતર અને સર્વબાહ્ય મંડળગત પક્ષના અંતમાં ઉત્પન્ન થયેલ તે સડસઠિયા તેરના બે ભાગ જેને ચંદ્ર સૂયાદિ કોઈપણ ગ્રહોએ નહીં ભોગવેલ હોય તેવાને સ્વયં ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. આની જેમ પૂર્વ કથિત પ્રમાણવાળા સમયથી બીજા દક્ષિણાભિમુખ ગમનરૂપ સવવ્યંતર મંડળથી બહાર નીકળવારૂપ ચંદ્રાયન એટલે કે ચંદ્ર ચાર સમાપ્ત થાય છે. જો બીજું અયન પણ આટલા પ્રમાણનું છે. તો નાક્ષત્રમાસ હોતા નથી. પરંતુ ચાંદ્રમાસથી નાક્ષત્રમાસ વધારે હોય છે. તો બન્નેના કાળનું સરખાપણું કેવી રીતે થાય છે ? સમય ભેદસ્થળમાં નાક્ષત્રમાસથી ચંદ્ર, ચાંદ્રમાસથી કેટલા પ્રમાણ વધારે ગમન કરે છે ? જે પ્રમાણે બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy