SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૨ 9 પરિમાણ પ૭ માસ 7 અહોરાત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા તેવીસ અથતુ અભિવર્ધિત સંવત્સરનું માસાદિ પરિમાણ આટલું છે. તથા આદિત્યસંવત્સરનું માસ પરિમાણ સાઈઠમાસ તથા ઋતુસંવત્સરનું માસપરિમાણ એકસઠમાસ, ચાંદ્રસંવત્સ રનું માસપરિમાણ બાસઠમાસ અને નાક્ષત્રસંવત્સરનું સડસઠમાસ આ તમામ પહેલાં કહીને ભાવિત કરેલ છે. આ જ પ્રમાણથી યુતિ બતાવવામાં આવે છે. આ પૂર્વકથિત અદ્ધા એકસો છપ્પનથી ગુણીને તથા બારથી ભાગ કરવો ત્યારે સાતસો ચુંમાલીસ અભિવર્ધિત સંવત્સર થાય છે. જેમકે અહીં કહેવામાં આવેલ અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ સતાવન માસ, સાત અહોરાત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્ત ના બાસઠિયા તેવીસ ભાગ થાય છે. આ સંખ્યાનો એકસો છપ્પનથી ગુણાકાર કરવો અને ગુણાકાર કરીને તેનો બારથી ભાગ કરવો ચૂલમાસ થવાથી સાવયવ બે માસ છોડી દેવાથી સાતસો ચુંમાલીસ થાય છે. આટલું જ અભિવર્ધિતસંવત્સરનું પ્રમાણ હોય છે. ધૂલી કર્મથી આદિત્ય માસ સાઇઠ થાય છે તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આ રીતે સાતસોએંસી થાય છે. આ આદિત્યસંવત્સર થાય છે. તે પછી ઋતુમાસની સંખ્યા એકસઠ છે. તેને એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આ રીતે સાતસોત્રાણુ થાય છે. ઋતુમાસ ચાંદ્રમાસની સંખ્યા બાસઠની છે. તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરવો ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આઠસો છ થાય છે. તે પછી નક્ષત્રમાસ પણ સડસઠ છે તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આઠસો એકોતેર થાય છે. પોતપોતાનું કહેલ પરિ પૂર્ણ સંવત્સરપરિ માસની પૂર્તિકાળમાં અથતુ આટલા સંવત્સરોમાં આ સંવત્સરોની અંતમાં અભિવ ધિત આદિત્ય-તુ-ચાંદ્ર-નાક્ષત્ર એ પાંચે સંવત્સરો સમાદિ અને સમપર્યવસાન હોય છે. આ યુગાન્તર્વતિ પાંચે સંવત્સરોની એક સાથેજ પ્રવૃત્તિ અને એકસાથેજ નિવૃત્તિ થાય છે. તેમ પ્રતિપાદન કરેલ છે. વાસ્તવિકપણાથી વિચાર્યમાન અન્ય પરતીર્થિકોના મતાનું સાર ચાંદ્રસંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર તથા પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસ ઠિયા પચાસ ભાગ અથતુ અન્ય આચાર્યના મત પ્રમાણે, ચાંદ્ર સંવત્સરનું પરિપૂર્ણ પરિમાણ આટલા અહોરાત્રાદિથી યુક્ત પ્રમાણ પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યો ને કહેવું. બીજા આચાર્યના મતથી ચાંદ્રસંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ અર્થાત્ અહોરાત્ર બન્નેના કથન પ્રમાણે, સરખેજ છે. આ પ્રમાણે અન્ય પરતીર્થિકોના આચાર્યના મતના સરખાપણાથી સ્વમત નું સમર્થન થાય છે. તેથી સ્વમતની વૃતા બતા વતા માટે અન્યના મતને પ્રતિપાદિત કરીને સ્વશિષ્યોને કહી બતાવવો આ મનુષ્ય લોકમાં જંબૂઢીપમાં પ્રત્યેક સૂર્ય સંવત્સર માં અને પ્રત્યેક ચંદ્રસંવત્સ રમાં નિશ્ચયરૂપે આ કહેવામાં આવનાર છ ઋતુઓ પ્રતિ પાદિત કરેલ છે. પ્રાવૃડુ વરાત્ર શરદઋતુ, હેમન્તતુ, વસંતઋતુ ગ્રીષ્મઋતુ આ રીતે આ પ્રવૃત્ વિગેરે બધી તુઓ દરેક જો ચંદ્ર રૂતુ થતી હોય તો એ બધી રૂતુઓમાં બબ્બે માસ સમજવા. જો કે સૂર્ય રૂતુમાં પણ બધે એજ માસ થાય છે. તો પણ અહીંયાં જુદું પ્રતિપાદન કરવાથી માસના પ્રમાણને વૃઢિબૂત કરવા તેમ કહેલ છે. ત્રણસો ચોપન અહોરાત્ર તથા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy