SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૦,પાહુડમ્પાહુડ-૨૦ કહેવાય છે. ચાંદ્રસંવત્સરમાં એક ચાંદ્રમસ અભિવર્ધિત હોય આવા પ્રકારના લક્ષણ વાળું અને તેર માસના પ્રમાણવાળું સંવત્સર અભિવૃદ્ધિ નામનું સંવત્સર છે. હવે શનિ શ્વર સંવત્સર વિષે કથન કરે છે. શનૈશ્ચર સંવત્સર અઠ્યાવીસ પ્રકારનું પ્રતિપાદિત કરેલ છે, તે ભેદો આ પ્રમાણે છે અભિજીતું શ્રવણ યાવતુ ઉત્તરાષાઢા પાહુડ-૧૦૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૨૧) [8] હે ભગવન્! કેવી રીતે નક્ષત્રચક્ર મંડળના દ્વારોનું આપે પ્રતિપાદન કર્યું છે? તે આપ મને કહો. હે ગૌતમ ! નક્ષત્રોના દ્વાર વિષયક વિચારમાં આ પાંચ પ્રતિપત્તિયો કહેલ છે. પહેલો મતવાદી કહે છે-કે કૃત્તિકાદિ સાત નક્ષત્ર પૂર્વદ્વાર વાળા કહ્યા છે. કૃત્તિકા રોહિણી મૃગશિરા આદ્રા પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા, મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ ધારવાળા કહ્યા છે. મઘા પૂર્વાફાલ્વની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂવષાઢા ઉત્તરાષાઢા અભિજીતુ અને શ્રવણ. ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા. કહ્યા છે. ધનિષ્ઠા શતભિષા પૂવપ્રોષ્ઠપદા ઉત્તર પ્રોષ્ઠ પદા રેવતી આશ્વિની અને આ ભરણી હવે બીજા મતવાળાનો મત કહે છે. મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્ધાર વાળા કહ્યા છે. મઘા પૂવ ફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અનુરાધા વિગેરે સાત નક્ષત્ર દક્ષિણ દ્વારવાળા કહ્યા છે ઘનિષ્ઠાદિ સાત પશ્ચિમ દ્વારાવાળા કહ્યા છે. કૃત્તિકાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. હવે ત્રીજા મતાવલમ્બીનો અભિપ્રાય બતાવે છે ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂર્વ ધારવાળા કહ્યા છે. કૃત્તિકા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા કહ્યા છે. મઘાદિ સાત નક્ષત્રોને પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, અનુરાધા વિગેરે સાત નક્ષત્રો ઉત્તરદ્વાર વાળા કહ્યા છે, તેમાં જેઓ એમ કહે છે કે અશ્વિની વિગેરે સાત નક્ષત્રો પૂર્વ ધારવાળા છે, તેમનું કહેવું એવું છે કે અશ્વિની, ભરણી, કૃત્તિકા. રોહિણી, મૃગશિરા, આદ્ર અને પુનર્વસુ આ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા હોય છે, પુષ્ય વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા છે, પુષ્ય, અશ્લેષા મઘા પૂવફાળુની, હસ્ત અને ચિત્રા સ્વાતી વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, સ્વાતી વિશાખા, અનુ રાધા, જ્યેષ્ઠા, મૂલ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા,અભિજીતુ વિગેરે સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા પ્રતિપાદિત કરેલ છે,અભિજીતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂવભિાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી. તેઓમાં જેઓ એમ કહે છે કે ભરણી વિગેરે સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા કહ્યા છે. તેમનું કહેવું એવું છે કે ભરણી કત્તિકા, રોહિણી, મૃગશિરા આદ્ર, પુનર્વસુ અને પુષ્ય, અશ્લેષા વિગેરે. સાત નક્ષત્રો દક્ષિણદ્વારાવાળા પ્રતિપાદિત કર્યા છે. અશ્લેષા, મઘા, પૂવફાગુની, હસ્ત, ચિત્રા અને સ્વાતી, વિશાખા વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમદ્વારવાળા કહ્યા છે. વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરા ષાઢા, અને અભિજીતુ શ્રવણ વિગેરે સાત નક્ષત્રો ઉત્તરદ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, શ્રવણ ધનિષ્ઠા, શતભિષા, પૂવપ્રૌષ્ઠપદી, ઉત્તર પ્રૌષ્ઠપદ્ધ, રેવતી અને અશ્વિની. હવે ભગ વાનું સ્વતમતનું કથન કરે છે. અભિજીતુ વિગેરે સાત નક્ષત્રો પૂર્વ ધારવાળા હોવાનું પ્રાપ્ત કરેલ છે, અશ્વિની વિગેરે સાત નક્ષત્રો દક્ષિણદારવાળા પ્રતિપાદિત કર્યા છે, પુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy