SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૩ સંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનું પર્યવસાન છે. | પાહુડ ર/૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] પહુડ-ર-ગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૩) [34] ચંદ્ર સૂર્ય કેટલા ક્ષેત્રને અવભાસિતકરે છે?ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે? અને પ્રકાશિત કરે છે? હે ભગવનું તે આપ કહો. એ વિષયમાં આ બાર પ્રતિપત્તિઓ કહેવામાં આવેલ છે. કોઈ એક કહે છે ગમન કરતા ચંદ્ર અને સૂર્ય એક દ્વિીપ અને એક સમુદ્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. કોઈ બીજો કથન કરે છે કે- ત્રણ તપો અને ત્રણ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ત્રીજો કોઈ પોતાનો મત પ્રકટ કરે છે. અર્ધચતુર્થ દ્વીપોને અને અધ ચતુર્થ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત. કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, કોઈ ચોથો કહે છે- સાત દ્વીપો અને સાત સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. કોઈ એક કહે છે- દસ દ્વિીપો અને દસ સમુદ્રોને સૂર્ય ચંદ્ર અવભાસિત કરે છે, યાવત્ પ્રકાશિત કરે છે. કોઈ એક છો કહેવા લાગ્યો કે- બાર દ્વીપો અને બાર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. યાવતુ પ્રકાશિત કરે છે. કોઈ એક સાતમો કહે છે. બેંતાલીસ દ્વીપો અને બેંતાલીસ સમુદ્રોને ચંદ્રસૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. આઠમો અન્યતીર્થિક કહેવા લાગ્યો બોંતેર દ્વીપો અને બોંતેર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. નવમો અજમતાવલમ્બી એકસો બેંતાલીસ દ્વીપો અને એ કસો બેંતાલીસ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. યાવતુ પ્રકાશિત કરે છે, કોઈ દસમો કથન કરે છે, બોતેર દ્વીપોને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે પ્રકાશિત કરે છે. અગ્યારમો મતવાદી કેદ્વીપોને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. બારમો પોતાનો મત દર્શાવે છે. 1072 દ્વીપોને અને 1072 સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. આ તમામ પ્રતિપત્તિયો મિથ્યા છે ભગવાનું આ કથનથી જુદા પ્રકારે કહે છે આ જેબૂદ્વીપ સર્વ દ્વીપ અને સમુદ્રોમાં વાવત પરિક્ષેપથી કહેલ છે. તે જંબૂદીપ આ પૃથ્વમાં સર્વ માન્યતાથી નિર્ણિત થયેલ છે, પૂવપર જેબૂદ્વીપ નામનો દ્વીપ ચારે દિક્ષાઓમાં એક લાખ છપ્પન હજાર નદીયોથી યુક્ત કહેલ છે, જેમ જેબૂદીપપ્રજ્ઞપ્તિ નામના સૂત્રમાં સઘળી રીતે સારી રીતે સમ્યકતયા વર્ણવેલ છે. તેનું સઘળું વર્ણન જોઈ લેવું. જમ્બુદ્વીપનામનો આ દ્વીપ પાંચ ચક ભાગોથી સંસ્થિત છે. ગૌતમસ્વામી પૂછે છેજબૂદ્વીપ નામનો દ્વીપ પાંચ ચક્રવાલ ભાગોથી સંસ્થિત કેવી રીતે કહેલ છે ? જ્યારે આ બેઉ સૂર્યો સવવ્યંતરમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબૂઢીપ નામના દ્વીપ પાંચીયા ત્રણ ચક્રવાલ ભાગોને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, એક સૂર્ય દ્વાર્ધ પાંચ ચક્રવાબ ભાગને અવભાસિત કરે છે. વાવતું પ્રકાશિત કરે છે. એક સૂર્ય પાંચ ચક્રવાલ ભાગના એક યર્ધ ભાગને અવભાસિત કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy