SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૨, પાહુડ-પાહુડ-૧ પશ્ચિમ દિશાના લોકાન્તમાં સાંજના સમયમાં પૃથ્વીકાયમાં અસ્ત પામે છે. પાંચમાં મતવાળો કહેવા લાગ્યો પૂર્વ ભાગના લોકાત્તથી પ્રાતઃકાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિતા થાય છે. તે સૂર્ય આ મનુષ્યલોકને તિર્યફ કરે છે. તિર્થક કરીને પશ્ચિમ દિશાના લોકાન્તમાં સાંજના સમયે અસ્તાચલમાં પ્રવેશ કરીને અધોલોકમાં જાય છે, અધલોકમાં જઈને ફરીથી ત્યાંથી આવીને પૂર્વલો કાન્તમાં પ્રાતઃકાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. કોઈ એક છો તીથcરીય કહેવા લાગ્યો. પૂર્વ દિશાવર્તી લોકાન્તથી સૂર્ય અપ્લાયમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ મનુષ્ય લોકને તિર્થક કરીને પશ્ચિમ દિશાના લોકાન્તમાં એ સૂર્ય અપ્લાયમાં અદ્રશ્ય થાય છે. સાતમો કોઈ એક તીર્થોત્તરીય કહેવા લાગ્યો. પૂર્વ દિશાના લોકાત્તથી પ્રભાતકાળમાં સૂર્ય સમુદ્રમાં ઉદિત થાય છે. એ સૂર્ય આ તિર્યક્લોકને તિર્થક કરે છે, અને તિકિ કરીને પશ્ચિમ લોકાન્તમાં સાંજના સમયે સૂર્ય અપ્લાયમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રવેશ કરી અધોલોકથી પાછો વળીને પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વદિશાના લોકાન્તથી પ્રભાતકાળમાં અપ્લાય માં ઉદય પામે છે કોઈ એક આઠમો તીર્થોત્તરીય કહે છે કે પૂર્વ દિશાના લોકાત્તથી બહુ યોજન બહુ સેંકડો યોજન બહુ હજારો યોજન અત્યંત દૂર સુધી ઉપર જઈને પ્રભાતનો સૂર્ય આકાશમાં ઉદય પામે છે, એ સૂર્ય આ દક્ષિણાર્ધ લોકને પ્રકાશિત કરે છે. અને પ્રકાશિત કરીને દક્ષિણાર્ધ લોકમાં રાત્રી કરે છે. પૂર્વ દિશાના લોકાન્તથી બહુ યોજના સેંકડો યોજન બહુ હજારો થોજન ઉપર ઉંચે જઇને પ્રાતઃકાળમાં આકાશમાં ઉદિત થાય છે. શ્રી ભગવાનું કહે છે કે હે ગૌતમ! હું આ વિષયમાં વસ્તુની યથાર્થતા સમજીને કહું છું. આ જંબૂદ્વીપ નામના દ્વીપને પૂર્વથી પશ્ચિમ તરફ લાંબી અને ઉત્તર દક્ષિણની તરફ પણ લોબી એવી જીવા નામ દોરીથી મંડળને એકસો ચોવીસ મંડળથી વહેંચીને દક્ષિણ પૂર્વમાં તથા ઉત્તરદક્ષિણ દિશામાં મંડળના ચોથા ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂભાગથી આઠસો યોજન ઉપર જઈને આ અવકાશ પ્રદેશમાં બે સૂર્ય ઉદિત થાય છે. ત્યારે દક્ષિણોત્તર દિશાનો જંબૂદ્વીપવાળો ભાગ અથતુિ બને ભાગોને તિર્થક કરે છે. તિર્યક કરીને પૂર્વપશ્ચિમના જંબૂદ્વીપના બે ભાગોમાં રાત્રિ કરે છે, જ્યારે આ પૂર્વપશ્ચિમના બે ભાગને તિયક કરે છે ત્યારે દક્ષિણઉત્તરના જંબૂદ્વીપના બે ભાગોમાં રાત્રિ થાય છે. આ દક્ષિણ ઉત્તર અને પૂર્વપશ્ચિમ રૂપ જંબૂદ્વીપના બે ભાગોને પ્રકાશિત કરે છે અને પ્રકાશિત કરીને જંબૂદીપ નામના દ્વીપની ઉપર પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણની તરફ એકસો ચોવીસ ભાગથી વહેંચીને દક્ષિણ પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમના ચતુર્થ ભાગ મંડળમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂભાગથી આઠસો યોજન ઉપર જઈને પ્રભાત કાળના બેઉ સૂર્યો આકાશમાં ઉદિત થાય છે. | પાહડ ર/૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ T (પાહુડપાહુડ-૨) [32] હે ભગવનું એ મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કેવી રીતે ગતિ કરે છે? હે ગૌતમ ! આ વિષયના બે પ્રતિપરીયો કહેલ છે. એક આ પ્રમાણે કહે છે. એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય ભેદઘાતથી સંક્રમણ કરે છે. બીજો એક અન્ય મતવાદી કહે છે. એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકલાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy