SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરપન્નત્તિ- 18/30 મંડળમાં વિખંભની વૃદ્ધિ કરતો કરતો તથા પરિધિના પ્રમાણમાં અઢાર અઢાર યોજન પરિરયને વધારતો વધારતો સવભિંતર મંડળમાં જઇને ગતિ કરે છે જ્યારે સૂર્ય સવભ્યિન્તરમંડળમાં જઈને ગતિ કરે છે ત્યારે એ મંડળ સ્થાન એક યોજનના અડતાલીસ બાસડિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા 996400 યોજન આયમવિખંભથી 31. પ૦૭યોજનથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપ્રાપ્ત. ઉત્ક ર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ બીજા છ માસનો પર્યવસાનકાળ છે. આજ આદિત્યસંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનો પર્યવસાનકાળ છે. એ બધા મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. બધા જ મંડળના અંતરો બે યોજનના વિખંભવાળા કહેલા છે. આ માર્ગ એકસો. વ્યાશીથી ગુણવાથી પાંચસો દસ યોજન થાય છે. આ પ્રમાણે ઉપદેશ કરવો આવ્યંતર, મંડળથી બાહ્યમંડળપદ અને બાહ્યમંડળપદથી આત્યંતરતરમંડળપદ આ પ્રમાણેનો આ માર્ગ કેટલો કહેલ છે? તે મને કહો એકસો પંદર યોજન તથા એક યોજનના એકસ ઠિયા અડતાલીસ ભાગ કહેલ છે. તેમ કહેવું. સવવ્યંતરમંડલપદથી સર્વબાહ્ય મંડળ પદ તથા સર્વબાહ્યમંડળપદથી વધંતરમંડળપદ રૂપ માર્ગકેટલા પ્રમાણનોકહેલ છે ? સભ્યન્તરમંડળસ્થાનથી સર્વબાહ્યમંડળ સ્થાન અને સર્વબાહ્યમંડળપદથી સર્વાં તરમંડળસ્થાનરૂપ માર્ગ એકસો પંદર યોજન અને એક યોજનના એકસઠિયા તેર ભાગ પ્રમાણનો કહેલ છે. તેમ સમજાવવું. પાહુડ-૧૮નમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | પાહુડ-૧-ગુર્જરછાયાપૂર્ણ છે (પાહુડ-૨) -:પાહુડપાહુડ-૧ - | [31] હે ભગવનું સૂર્યનું તિર્થક ગમન કઈ રીતે થાય છે? આ વિષયના સંબંધમાં આઠ પ્રતિપતીયો છે. કોઈ એક પરતીર્થિક કહે છે, પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત કાલનો સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, તે આદિત્ય આ સમગ્ર જગતને તિર્યકુ કરે છે અને તિર્થક કરીને પશ્ચિમલોકાન્તમાં સાયંકાળના સમયે રાત્રી થતાં આકાશમાં અસ્ત થાય છે. બીજો અન્યમતવાદી કહેવા લાગ્યો પૂર્વ દિશાના લોકાત્તથી પ્રાતઃકાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ તિર્યક્લોકને તિર્થક કરે છે. એટલે કે પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પશ્ચિમલીકાન્તમાં આકાશમાં અદ્રશ્ય થઈ જાય છે. ત્રીજો મતવાદી પોતાનું મંતવ્ય દર્શાવે છે. આ સૂર્ય પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત સમયમાં આકાશમાં ઉપરની તરફ જઈને તે આ તિર્યક્લોકને તિર્યકુ કરે છે, અને તિર્યકું કરીને પશ્ચિમ લોકાન્તમાં સાંજના સમયે નીચે પરાવર્તિત થાય છે. અને નીચેની તરફ આવીને પાછા પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાતઃકાળ થતાં આકાશમાં ઉદય પામે છે. ચોથો કોઈ એક તીર્થોત્તરીય કહેવા લાગ્યો પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાત:કાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદય પામે છે, તે આ તિર્યક્લોકને તિર્થક કરે છે. અને તિર્થક કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy