SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧, પાહુડપાહુડ-૧ 11 મંડળમાં એકવાર જ ગમન કરે છે તથા સંવત્સરમાં એકવાર અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ થાય છે. અને એકવાર અઢારમુહૂર્તવાળી રાત હોય છે. તથા એકવાર બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તેમજ બાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી થાય છે. તેમાં પણ પહેલા છ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. એ જ રીતે. એ જ પ્રથમ છ માસમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા બીજા છ માસમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. અને બાર મુહૂર્તની રાત હોય છે. તથા પહેલા કે બીજા છ માસમાં પંદર મુહૂર્તનો દિવસ હોય છે. તથા પંદર મુહૂર્તની રાત હોય છે. તેમાં એ રીતે વસ્તુતત્વનો બોધ થવામાં શું હતું છે? એ મને સમજાવો. આ જંબૂદ્વીપ નામનો દ્વીપ સર્વદ્વીપસમુદ્રોમાં યાવતુ પરિક્ષેપથી વિશેષાધિક કહેલ છે. જ્યારે સૂર્ય સવવ્યંતર મંડળ પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે પરમપ્રકર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ-સર્વાધિક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એજ સવભ્યન્તર મંડળમાં સૂર્યગતિ કરે છે ત્યારે જઘન્ય ઓછામાં ઓછી બાર મુહૂર્તની રાત્રી હોય છે. તે પછી એ સૂર્ય સવભ્યિન્તર મંડળમાંથી નીકળીને નવા સૂર્ય સંવત્સરને પ્રવર્તાવીને પહેલાં અહો રાત્રિમાં સભ્યન્તર મંડળની પછીના મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે સૌથી મોટો અઢાર મુહૂર્તનો દિવસ એકસઠીયા બે ભાગ ન્યૂન હોય છે. તથા એકસઠિયા બે મુહૂર્તભાગ વધારે બાર મુહૂર્તની રાત્રિ હોય છે. અહીંયાં એક મંડળ એક અહોરાત્રિથી બે સૂર્યો દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. એક એક સૂર્ય પ્રત્યેક અહોરાત્રિથી બે સૂર્યો દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. એક એક સૂર્ય પ્રત્યેક અહોરાત્રિમાં મંડળના 1830 ભાગો ની કલ્પના કરીને એક દિવસ ક્ષેત્રના અથવા રાત્રિક્ષેત્રના યથાયોગ્ય રીતે ઓછા કરવા વાળા અથવા વધારવાળા હોય છે. તે એક મંડળ ગત 1830 વાળો ભાગ એકસઠીયા બે ભાગ વાળા મુહૂર્તથી ગમન કરે છે, તથા એ મંડળ 1830 ભાગોને બે સૂર્યોથી અહોરાત્ર દ્વારા ગમન કરાય છે. અહોરાત્રી ત્રીસ મુહુર્ત પ્રમાણ વાળી છે. તેથી બે સૂર્યની અપેક્ષાથી સાઈઠ મુહૂર્ત લભ્ય થાય છે. ઈત્યાદિ જયારે સ ભ્યત્તરમંડળની અપેક્ષાથી એ ત્રીજા મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં ચાર મુહૂર્તના એકસઠીયા ભાગ હીન અઢારમુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે. તથા ચાર મુહૂર્તના એકસઠિયા ભાગ વધારે બાર મુહૂર્તની રાત હોય છે. પૂર્વોક્ત કથિત પ્રકારથી પ્રત્યેક મંડળમાં દિવસ રાત સંબંધી મુહૂર્તના એકસ ઠિયા બે ભાગ ન્યૂનાધિક રૂપથી નીકળીને મંડળના પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે દક્ષિણ દિશા તરફ ગમન કરતો સૂર્ય એ વિવક્ષિત પછીના મંડળમાં સંક્રમણ કરીને એક એક મંડળમાં મુહૂર્તના બે બે એકસઠિયા ભાગ દિવસ ક્ષેત્રને ઓછા કરીને તથા રાત્રિક્ષેત્રના પ્રતિમંડળમાં વધતા વધતા એકસોચ્યાશીમાં અહોરાત્રિમાં અથવા પહેલા છ માસની સમાપ્તિરૂપ કાળમાં સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે અહોરાત્ર રૂપ એ કાળમાં સભ્યન્તર મંડળથી ધીરે ધીરે નીકળીને સર્વબાહ્ય મંડળમાં જઇને ગતિ કરે છે. ત્યારે સભ્યન્તર મંડળને મર્યાદા કરીને અથતુ બીજા મંડળથી આરંભ કરીને ઈત્યાદિ એકસોચ્યાશી રાતદિવસથી મુહૂર્તના એકસો છાસઠ ભાગ રૂપ દિવસક્ષેત્રને. કરીને રાત્રિક્ષેત્રના એજ ત્રણ મૂહૂર્તના એકસો એકસઠમો ભાગ એકસો છાસઠ અધિક ની વૃદ્ધિ કરીને ગતિ કરે છે ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અથતુ અઢાર મુહૂર્તની રાત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy