________________ [9]. नमो नमो निम्मल सणस्रा પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ 1 6 સૂરપનત્તી. zzzzzz ઉવંગ-૫-ગુર્જરછાયા પાહુડ-૧ Ess ( પાહુડ-પાહુડ-૧-) [1] અરિહંતોને નમસ્કાર થાઓ. તે કાળે-તે સમયે મિથિલા નામની નગરી હતી... દ્ધિ સંપન્ન અને સમૃદ્ધ એવા પ્રમુદિત લોકો ત્યાં રહેતા હતા... યાવતું.. પ્રસન્નતાને ઉત્પન્ન કરવાવાળા, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતા. એ મિથિલા નગરી ની બહાર ઈશાન ખૂણામાં એક મણિભદ્રનામનું ચૈત્ય હતું. તે મિથિલા નગરીમાં જિતશત્ર નામે રાજા હતો. ધારીણી દેવી રાણી હતા. તે કાળે-તે સમયે તે મણિભદ્ર ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમવય...પર્ષદા નીકળી.. ધર્મ કહ્યો... યાવતું. રાજા જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. 2] એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય એવા કે જેનું નામ ઈન્દ્રભૂતિ હતું તથા ગૌતમ ગોત્રમાં જેમનો જન્મ હતો તેઓની ઉંચાઈ સાત હાથ જેટલી હતી તે સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત હતા. વજઋષભ નારાચ સંહનનવાળા હતા. યાવતુ પ્રભુને આ પ્રમાણે કહ્યું [37] સૂર્ય એક વર્ષમાં કેટલા મંડળમાં જાય છે? તિર્થક ગતિ કેવી રીતે કરે છે? ચંદ્રસૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? પ્રકાશની કેવા પ્રકારની મર્યાદા છે? વેશ્યા ક્યો પ્રતિહત થાય છે? પ્રકાશની સંસ્થિતિ-વ્યવસ્થા કેવી રીતે થાય છે? તેનું વરણ કોણ કરે છે ? ઉદયાવસ્થા કઈ રીતે થાય છે? પૌરૂષી છાયા કેવા પ્રમાણની છે? “યોગ” એ કઈ વસ્તુને કહે છે? સંવત્સરનો આદિ કાળ કયો છે? સંવત્સરો કેટલા છે? ચંદ્રમાની વૃદ્ધિ કેવી રીતે થાય છે?ચંદ્રમાનો પ્રકાશ ક્યારે વધારે થાય છે?શીઘ્રગતિવાળા કોણ છે ? પ્રકાશનું લક્ષણ શું છે? ચંદ્રાદિનું વન અને ઉત્પત્તિ થાય છે? કેટલી ઉંચાઈ છે? સૂર્યો કેટલા છે? અનુભાવ કઈ રીતનો છે? આ વીસ પ્રશ્ન રૂપ વીસ પ્રાભૂતો થાય છે. [8-9] મુહૂતની વૃદ્ધિ અને અપવૃદ્ધિ કેવી રીતે થાય છે? પ્રત્યેક દિવસરાત્રીમાં અર્ધમંડલ સંસ્થિતિ કેવી રીતે થાય છે? કયો બીજા વ્યાપ્ત ક્ષેત્રમાં સંચરણ કરે છે? કેટલા પ્રમાણવાળા અંતરથી સંચરણ કરે છે ? કેટલા પ્રમાણવાળા દ્વીપ અને સમુદ્રમાં અવ ગાહન કરીને ગતિ કરે છે? એક એક રાત્રિદિવસમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રને છોડીને ગતિ કરે છે? મંડળોનું સંસ્થાન કઈ રીતે થાય એ મંડળોનો વિધ્વંભ કેટલો છે? આ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org