________________ પદ-૨ તેત્રીશ ત્રાયશ્ચિશક દેવોનું, ચાર લોકપાલોનું, પરિવારસહિત આઠ અગ્રમહિષીઓનું,ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, એશીહજારથી ચારગુણા આત્મરક્ષકદેવોનું, બીજા ઘણા ઈશાનકલ્પવાસી દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવતુ-વિહરે છે. હે ભગવન! પર્યાપ્તા અને અપર્યાપ્ત સનકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? ગૌતમ ! સૌધર્મ દેવલોકના ઉપર ચારે દિશાએ અને ચારે વિદિશામાં ઘણાં યોજનો, ઘણાં સેંકડો ઘણાં હજાર, ઘણા લાખ ઘણા કોડ અને ઘણા કોટાકોટી યોજનો દૂરજઈને અહીં સનકુમાર નામે દેવલોક આવેલો છે. તે સૌધર્મ દેવલોકની પેઠે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો અને યાવતું -પ્રતિરૂપ છે. ત્યાં સનસ્કુમાર દેવોના બાર લાખ વિમાનો છે તે વિમાનો રત્નમય-ચાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવત સંક વિમાનો છે. - અશોકાવતંસક, સપ્તપર્ણાવ વંસક, ચંકાવતંક, તાવહંસક અને તેના મધ્ય ભાગમાં, સનસ્કુમારાવતુંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા. અને અપર્યાપ્તા સનકુમાર દેવો ના સ્થાનો છે. ઉપરાંત, સમુદ્દઘાત અને સ્વસ્થાન -એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યા મા ભાગમાં છે. ત્યાં ઘણા સનકુમાર દેવો રહે છે. તેઓ મહાદ્ધિ વાળા યાવતુ-દશ દિશાઓને પ્રકાશિત કરતા વિહરે છે. પરંતુ અહીં અમહિષી નથી. અહીં દેવોના રાજા સનકુમાર રહે છે. તે રજરહિત આકાશના જેવા વસ્ત્રોને ધારણ કરે છે. બાકી બધું શક્રની પેઠે જાણવુ. તે બાર લાખ વિમાનોનું, બહોંતેર હજાર સામાનિકો. દેવોનું, બાકી બધું અગ્રમહિષી સિવાય શક સંબંધે કહ્યું હતું તેમ કહેવું, પરન્તુ 72000 થી ચારગણા આત્મરક્ષકદેવોનું અધિપતિપણું કરતો યાવતુ- વિહરે છે. હે ભગવન્! પતિ અને અપર્યાપ્ત માહેન્દ્ર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! ઈશાન દેવલોકના ઉપર સમાન દિશાઓમાં અને સમાન વિદિશાઓમાં ઘણાં યોજનો થાવતુ ઘણા કોટાકોટી યોજનો દૂર જઈએ એટલે અહીં માહેન્દ્ર નામે દેવલોક છે, તે પૂર્વપશ્ચિમ લાંબો ઈત્યાદિ બધું સનકુમારની પેઠે જાણવું. પરન્તુ તેમાં આઠ લાખ વિમાનો છે. ઈશાનની પેઠે અવતંસકો જાણવા. પરન્તુ મધ્ય ભાગમાં માહેદ્રાવતંસક છે. એ પ્રમાણે સનકુમાર દેવોને કહ્યું છે તેમ યાવતુ “વિહરે છે ત્યાં સુધી કહેવું. અહીં મહેન્દ્ર નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે. યાવતુ -વિહરે છે પરન્તુ આઠલાખ વિમાનોનું, સીત્તેરહજાર સામાનિક દેવોનું અને સિત્તેરહારથી ચારગણા આત્મરક્ષક દેવોનું આધિપતિપણું કરતો વાવતુ -વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બ્રહ્મલોક દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ ઘણા યોજનો યાવતુ જઈને અહીં બ્રહ્મલોક નામે કલ્પ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચંદ્રના આકાર જેવા-કિરણોની માળાની પેઠે ભાસકાંતિના સમૂહની પેઠે કાંતિવાળો, બાકી બધું સનકુમારની પેઠે કહેવું. પરન્તુ ચાર લાખ વિમાનો છે અવતંસકો સૌધર્મ કલ્પના અવત સકોની પેઠે જાણવા. પરન્તુ તેના મધ્ય ભાગમાં બ્રહ્મલોકાવતંસક છે. અહીં બ્રહ્મલોક દેવના સ્થાનો કહેલાં છે. અહીં બહા નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે.-ઇત્યાદિ બાકીનું બધું સનકુમારની પેઠે યાવતુ વિહરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org