________________ 206 નવસા- 2/-/200 વીમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજના છોડીને તેના 130000 યોજન પ્રમાણ મધ્યભાગમાં શર્કરપ્રભા પૃથિવીના પચીશ લાખ નારકાવાસો હોય છે. તે નરકો અંદરના ગોળ, બહારના ભાગમાં ચોરસ અને નીચે ક્ષમના જેવી આકૃતિવાળા તથા હમેશાં અંધકારવાળા યાવતું તે નરકોમાં અશુભ વેદ નાઓ છે. અહીં શર્કરા પ્રભાના નૈરયિકો રહે છે. તે કાળા, કાળી કાન્તિવાળા, ઈત્યાદિ બધો અર્થ કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવન્! પતિ. અને અપતિ વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથિવીની જાડાઈ 128000 યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન અંદર પ્રવેશીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના 126000 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં વાલુકા પ્રભા પૃથિવીના નરયિકોના પંદર લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ ઈત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે જણવો, પરન્તુ વાલુકાપ્રભા પાઠ કહેવો. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ભગવન્! પંફપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાં છે? હે ગૌતમ! પંકપ્રભા. પૃથિવીની જાડાઈ 120OO0 યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી નીચે એક હજાર યોજન છોડીને બાકીના 11800 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં પંફપ્રભા પૃથિવીના દસ લાખ નરકાવાસો હોય છે તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો, પરન્તુ અહીં પંકપ્રભાનો પાઠ કહેવો. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! ઘૂમપ્રભા પૃથિવીની જાડાઈ 118000 તેમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના 16000 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ધૂમપ્રભાપૃથિવીના ત્રણ લાખ નરકાવાસો કહ્યા છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ,બહાર ચોરસ ઈત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે કહેવો, હે ભગવન્! પર્યાપ્તા અને અપતિ. તમપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ !116000 યોજનની જાડાઈવાળી તમપ્રભા પૃથિવીમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને બાકી 114000 પ્રમાણ મધ્ય ભાગમાં તમ:પ્રભા પૃથિવીના નૈરયિકોના પાંચ ન્યૂન એક લાખ નરકવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદર ગોળાકાર ઇત્યાદિ અર્થ પૂર્વવત્ પરન્તુ કષ્ણ અગ્નિના જેવા વર્ણવાળા છે-એ પાઠ ન કહેવો અને ‘તમ પ્રભા' એ પાઠ કહેવો. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા તમતમઃ પ્રભાપૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? ગૌતમ ! 108000 યોજન પ્રમાણ જાડાઈવાળી તમતમપ્રભા પ્રથિવીમાં ઉપરથી સાડી બાવન હજાર યોજન પ્રવેશ કરી અને નીચે પણ સાડી બાવન હજાર છોડી વચ્ચેના ત્રણ હજાર યોજનમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા, તમતમપ્રભા પૃથિવીના નૈરયિકોના પાંચ દિશાએ પાંચ અનુત્તર એવા મોટામાં મહા નરકાવાસો કહેલા છે. તે આ પ્રમાણે કાલ, મહાકાલ,રીખ, મહારૌખ અને અપ્રતિષ્ઠાન. તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદી અર્થ પૂર્વની પેઠે જાણવો. પરન્તુ કાપોત-વર્ણ જેવા એ પાઠ ન કહેવો. નૈરયિકોના બદલે “તમતમ:પ્રભા’ એવો પાઠ કહેવો. એક લાખ એંશી હજાર, એક લાખ બત્રીસ હજાર, એક લાખ અયાવીસ હજાર,એક લાખ વીસ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર અને એક લાખ આઠ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org