SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નવણા-૩૬- 301 થવાના છે અને કોઈને નથી. જેને થવાના છે તેને એક સમુઘાત થવાનો છે. એ પ્રમાણે વૈિમાનિક સુધી કહેવું. પરન્તુ મનુષ્યને કોઇને પૂર્વે થયેલા છે અને કોઈને નથી. જેને છે તેને એક છે. ભવિષ્ય કાળે થવાનો પણ એક જ કેવલિ સમુદુઘાત જાણવો. [2] હે ભગવન્! નૈરયિકોને કેટલા વેદના સમુદ્યાતો પૂર્વે થયેલા છે ? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા પુરસ્કૃત-ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ ! અનન્તા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકી સુધી જાણવું. એમ તૈસ સમુદુધાત સુધી કહેવું. એ પ્રમાણે એ બધા મળીને એકસો વીશ દેડકો થાય છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા આહારક સમુદૂઘાતો પૂર્વે થયેલા છે ? હે ગૌતમ ! અસંખ્યાતા પૂર્વે થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોને આ વિશેષ છે- હે ભગવન્! વનસ્પ તિકાયિકોને કેટલા આહારક સમુદ્દઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે? હે ભગવન્! મનુષ્યોને કેટલા આહારક સમુદ્રઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ ! કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થયેલા છે. એ પ્રમાણે ભવિષ્ય કાળે થવાના પણ જાણવા. હે ભગવન્! નૈરયિકોનોને કેટલા કેવલિસમુદ્રઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્ય કાળ થવાના છે ? હે ગૌતમ ! અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલા કેવલિસમુઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! કદાચ થયેલા હોય છે અને કદાચ થયેલા નથી. જો થયેલા છે તો જઘન્યથી એક, બે અને ત્રણ થયેલા છે અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વથયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના છે. [603] હે ભગવન! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્રઘાતો પૂર્વે થયેલા છે? ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે અસુરકુમારપણામાં યાવતુ વૈમાનિકપણામાં જાણવું. હે ભગવન! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્યાતી અતીત કાળે થયેલા છે ? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ ! કોઈને થવાના હોય છે અને કોઈને થવાના હોતા નથી. જેને થવાના છે તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા. અને કદાચ અનન્તા થવાના હોય છે. હે ભગવનું ! એક એક અસુરકુમારને અસુરકુમારપણામાં અતીત કાળે કેટલા વેદના સમુદ્રઘાતો થયેલા છે ? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા. અસંખ્યાતા અને અનન્તા થવાના છે. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવતું વૈમાનિક પણામાં પણ કહેવું. એ પ્રમાણે જેમ વેદના સમુદ્રઘાત વડે અસુરકુમાર નૈરવિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યો તેમ નાગકુમારાદિ બધા બાકીના સ્વસ્થાનોમાં અને પરસ્થાનોમાં કહેવા. યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એમ આ ચોવીશગુણા ચોવીશ દંડકો થાય છે. [04 હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કષાય સમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy