SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ- દ્વીપસમુદ્ર/૧૩ પ્રકારના મણિયોના બનાવવામાં આવેલ છે. રૂપ-મનુષ્ય ચિત્રોના રૂપ શિવાય બીજા જે ચિત્રો છે, તે બધા અનેક પ્રકારના મણિયોના બનેલા છે. રૂપ સંઘાટક અનેક જીવોની જોડીયોના ચિત્ર પણ અનેક પ્રકારના મણીયોથી બનેલ છે. તેના પડખા આજુબાજુના ભાગો એક અંક રત્નોનાજ બનેલા છે. મોટા મોટા વંશો જ્યોતિરસ નામના રત્નોના બનેલા છે.-મોટા વંશોને સ્થિર રાખવા માટે તેની બન્ને બાજુમાં તીંછીપણાથી રાખવામાં આવેલ વાંસ પણ જ્યોતી રત્નોના જ બનેલા છે. વાંસોની ઉપર છાપરા પર રાખવામાં આવનાર લાંબી વળીયોની જગ્યાએ રાખવામાં આવનારી જે પટીયો છે. તે ચાંદીની બનેલી છે. કંબાઓને ઢાંકવા માટે તેના ઉપર અવઘટિનિક રત્નોની બનેલી છે. એ ઢાંકણની ઉપર જે પુચ્છની ઢાંકણના છિદ્રોને બંધ કરવા માટે તેના ઉપર જે ગ્લક્ષ્મતર તૃણ વિશેષના સ્થાને બીજ ઢાંકણ છે તે જ રત્નોના છે. પુછણીયોની ઉપર અને કવેલુકોની નીચે જે આચ્છાદન ઢાંકણ છે તે રજતમય ચાંદીના બનેલા છે. પદ્મવર વેદિકા જુદા જુદા સ્થાનોમાં એટલે કે કોઈ એક બાજુ હમજાલથી લટકતા સુવર્ણમય માળા સમૂહથી, કોઈ બાજુ ગવાક્ષ-જાલથી લટકતા શુદ્ર નાની નાની ઘંટિકા જાળથી, લટકતા મુક્તાફળમય મોતીયો વાળા દામ સમૂહોની માળાઓથી, એક એક લટકતા કમળાલથી, કમળોના સમૂહથી, પીત સુવર્ણમય માળાઓના સમૂહથી, એક એક લટકતા રત્નકાળથી. રત્નમય માળાઓના સમૂહોથી, સર્વ દિશાઓથી અને વિદિશાઓથી વ્યાપ્ત થઈ વીંટળાયેલી રહે છે. આ બધા દામ સમૂહ રૂપ જાલ તપાવેલા સુવર્ણના લંબૂસક વાળા છે. એટલેકે કંઈક લાલાશવાળા અગ્રભાગ વાળા છે. આ બધી જાલ ઘમસમૂહ અનેક પ્રકારના મણિયોના અને રત્નોના બનાવેલ હારોથી 18 લડી વાળા હારોથી, અધહાર થી શોભાયમાન છે. આ બધા એક બીજાથી બહુ દૂર નથી. પરંતુ નજીક નજીક છે. પણ પરસ્પર એક બીજા સાથે ચોટેલા નથી. આ બધા જાલ સમૂહ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણથી આવેલા પવનથી મંદ મંદ રીતે કંપતા રહે છે. અને જ્યારે તે વિશેષ રીતે કંપિત થાય છે. એમ તેમ ફેલાઈ જાય છે. એક બીજાની સાથે ટકરાઈ ટકરાઈને શબ્દાયમાન રણકાર વાળા થઈ જાય છે. આ રીતે તેમાંથી નીકળેલ એ શબ્દ કાન અને મનને ઘણાજ સુખ વિશેષના અનુભવ કરાવનાર નિવડે છે. સઘળી. દિશાઓમાં અને વિદિશાઓમાં તે ભરાઈ જાય છે. તેથી જ એ શબ્દના સુંદરપણાથી એ. જાલસમૂહ અત્યંત શોભાયમાન થતા રહે છે એ પદ્મવર વેદિકાના જુદા જુદા સ્થાનો પર કિયાંક ક્યાંક અનેક પ્રકારના ઘોડાઓના યુગ્મો ચિત્રેલા છે. સર્વ પ્રકારે રત્નમય છે. ઈત્યાદિ પદ્મવર વેદિકાના જુદા જુદા સ્થાનોમાં હયપંક્તિયો છે. યાવતુ તે બધી પંક્તિયો પ્રતિરૂપ છે. એ પદ્મવર વેદિકાના જૂદા જૂદા સ્થાનો પર અનેક પદ્મલતા છે, અનેક નાગલતાઓ છે. પાવત શ્યામલતાઓ છે. આ બધી લતાઓ પણ સર્વાત્મના સર્વ પ્રકારે રત્નમય છે. અને ગ્લણ વિગેરે વિશેષણો વાળી છે. હે ભગવનું એ પદ્મવર વેદિકાનું એવું નામ આપે શા કારણથી કહેલ છે? તે ગૌતમ ! પમવર વેદિકાના એ એ સ્થાનોમાં જેમ વેદિકાના ઉપવેશ યોગ્ય છજ્જોની ઉપર, વેદિકાના બન્ને પાર્શ્વ ભાગો પર, વેદિકાના શિરોભાગ રૂપ ફલકોની ઉપર વેદિકાના પુરાન્તરોમાં, બે વેદિકાના અપાન્તરાલમાં, બે સ્તમ્મોની મધ્યે, એજ રીતે ફલકના સંબંધને જુદા ન પડવા દેવાના કારણભૂત એવી પાદુકાના સ્થાનાપન્ન સૂચિયોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy