SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 0 જીવાજીવાભિગમ- સતિ-૧૧૩૦ અપયત એ પ્રમાણેના બે જ ભેદો હોય છે. ' હે ભગવનું પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો કેટલા પ્રકારના હોય છે ? પંચેન્દ્રિય તિયંગ્યનિક જીવો ત્રણ પ્રકારના છે જલચર પંચેન્દ્રિય, સ્થલચર, ખેચર, જલચર પંચેન્દ્રિય બે પ્રકાર ના છે. સંઠ્ઠિમ અને ગર્ભજ. સંમૂર્છાિમ જીવો બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. ગર્ભજ જલચર બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. સ્થલચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો બે પ્રકારના કહ્યા છે. ચતુષ્પદ અને પરિસર્પ. ચતુષ્પદ સ્થલચર બે પ્રકારના સંમૂર્છાિમ અને ગર્ભજ. જે પ્રમાણે જલચર જીવોના ચાર ભેદો કહ્યા છે. એજ પ્રમાણે સ્થલચર જીવોના પણ ચાર ભેદો કહેવા જોઈએ. પરિસર્પ સ્થલચરોના બે ભેદો કહ્યા છે. ઉરસ્પરિસર્પ સ્થલચર અને ભુજપરિસર્પસ્થલચર, ઉર પરિસર્પ સ્થલચર બે પ્રકારના સંમૂર્છાિમ અને ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિકોના બે ભેદો થાય છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય અને ગર્ભજ. સંમૂર્ણિમ ખેચર બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. એ જ પ્રમાણે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવ વિશે સમજવું. ખેચર પંચેન્દ્રિય તિથ્વિોનિક જીવોનો યોનિ સંગ્રહ કેટલા પ્રકારનો કહેવામાં આવેલ છે? ત્રણ પ્રકારનો છે. અંડજ પોતજ અને સંમૂર્છાિમ. આમાં પણ અંડજ ત્રણ પ્રકારના સ્ત્રી, પુરૂષ, અને નપુંસક પોતજ જીવો પણ ત્રણ પ્રકારના હોય છેસ્ત્રી, પુરૂષ અને નપુસંક સંમચ્છિમ ખેચર જીવો છે, તે બધાજ નિયમથી નપુંસકજ હોય છે. 131] હે ભગવનું આ પક્ષિઓને કેટલી વેશ્યાઓ કહેવામાં આવી છે? પક્ષિઓને છ લેશ્યાઓ કહેવામાં આવી છે. કૃષ્ણલેશ્યા” યાવતુ શુકલલેશ્યા. તેઓ સમ્યગુ દષ્ટિવાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે. અને મિશ્ર દષ્ટિવાળા પણ હોય છે. તેવા જીવો જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. આમાં જેઓ જ્ઞાની હોય છે, તેઓને ત્રણ જ્ઞાન હોય છે. અને જેઓ અજ્ઞાની હોય છે, તેઓને ત્રણ અજ્ઞાન હોય છે. તેઓ ત્રણ પ્રકારના યોગવાળા હોય છે. તે જીવો બંને ઉપયોગવાળા હોય છે, અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિના જીવોને અને અંતર દ્વીપ જ મનુષ્ય અને તિર્યંચોને છોડીને બાકીના તૈરયિક તિર્યંચ અને દેવો માંથી આવેલા જીવો પક્ષીપણાથી ઉત્પન્ન થાય છે. કેવલ અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા અકર્મભૂમિના જીવોમાંથી અને અંતરદ્વીપજ મનુષ્ય અને તિર્યંચોમાંથી આવેલા જીવો પક્ષિઓમાં ઉત્પન્ન થતા નથી આ જીવોને પાંચ સમદુઘાત છે. વેદનાસમુદ્રઘાત યાવતુ તૈજસસમુઘાત,તે જીવો મારણાન્તિક સમુઘાત કરીને પણ મરે છે, અને મારણાનિક સમુદ્ધાત કર્યા વિના પણ મરે છે, હે ભગવન્! તે જીવો મરીને સીધા કયા જાય છે ? અને ક્યાં ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? તિર્યગ્લોનિકે માં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છા વ્યુત્ક્રાંતિ પદમાં ઉઠીના કહેવામાં આવી છે, એ જ પ્રમાણે અહિયાં પણ ઉદ્ધતના સમજી લેવી. હે ભગવનું તે પણિ રૂપ કેટલા લાખ જાતી કલકોટીયોની કહી છે હે ગૌતમ તેઓની બાર લાખ યોનિપ્રમુખ કુલકોટી કહેવામાં આવી છે. ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિકોનો યોનિસંગ્રહ ત્રણ પ્રકારનો છે. અંડજ, પોતજ, અને સમૃદ્ઘિમ, બાકી બધું ખેચર મુજબ જાણવું, કેવળ સ્થિતિદ્વાર, ચ્યવન દ્વાર, ઉદ્વર્તના દ્વાર, અને કુલકોટિ દ્વારમાં ભિન્નપણ આવે છે. ભુજપરિસર્પ તિર્થગ્યો નિકોની સ્થિતિ જધન્યથીતો અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટીની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy