SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . . પ્રતિપત્તિ-૩, રયિક ઉસો-૨ આ મનુષ્યલોકમાં શીતપ્રધાન સ્થાન છે, જેમકે હિમ, હિમjજ, હિમપટલ, બરફનો ગોળો, હિમ પટલ પંજ, બરફના ગોળાનો ઢગલો, શીત અથવા શીતપંજ વિગેરે બધા સ્થાનોને તે દેખે છે, અને દેખીને તેમાં અવગાહન કરે છે. અવગાહન કરીને તે તેના સંપર્કથી નરક જન્ય પોતાના શીતની નિવૃત્તિ કરી લે છે. તરસ પણ શાંત કરીલે છે. ભૂખને પણ શાંત કરી લે છે, શીત જન્ય જ્વરને પણ શાંત કરી લે છે. અને તેના શરીરમાં શીત વેદનીય નરકના સંપર્કથી જે શીત જન્ય દાહ થઈ રહેલ હોય તેની પણ નિવૃત્તિ કરી લે છે. શીત વેદનાવાળા નરકોમાં નરયિકો આનાથી પણ અનિષ્ટતર, અકાત્તતર. અપ્રિયતર, અને અમનોજ્ઞતર, શીત વેદનાને ભોગવે છે. તેથી તેને અહિ ની શીતળતા, પણ ઉષ્ણતાપણાથી જણાશે, . [10] હે ભગવનું રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે. જ ધન્ય દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. [107 હે ભગવન આ રત્નપ્રભા-પૃથ્વીના નૈરયિકો ત્યાંથી સીધા નીકળીને કયાં જાય છે? છે કયાં ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે તિર્યંગ્યાનિકોમાં ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? નારકોની ઉદ્વર્તનાના સંબંધમાં જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છટ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં કહેવામાં આવ્યા પ્રમાણે સમજવું. [108] આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરવિક જીવો કેવી પૃથ્વીના સ્પર્શનો અનુભવ કરે છે ? હે ગૌતમ ! ત્યાં નારક જીવો અનિષ્ટ યાવતુ અમનોજ્ઞ, પૃથ્વીના સ્પર્શનો અનુભવ કરે છે. એ જ પ્રમાણે યાવતું અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારકજીવો માટે સમજવું હે ભગવનું આ રત્નપ્રભા પ્રથ્વીમાં નૈરયિકો કેવા જલના સ્પર્શનો અનુભવ કરે છે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને જલનો સ્પર્શ અનિષ્ટ યાવતુ અમનોજ્ઞ હોય છે. એજ પ્રમાણે યાવતું તેજનો સ્પર્શ અને વાયુનો સ્પર્શ તેમજ વનસ્પતિકાયિકનો સ્પર્શ પણ તેઓને આજ પ્રમાણે અનિષ્ટ યાવતું અમનોજ્ઞ છે. આ પ્રમાણેનું આ કથન તમતમાં પથ્વી સુધીના નૈરયિકોના સંબંધમાં પણ સમજી લેવું. હે ભગવનું આ રત્નપ્રભાપૃથ્વી બીજી શર્કરપ્રભાપૃથ્વીની અપેક્ષાએ શું વધારે મોટી છે? રત્નપ્રભાપૃથ્વીની મોટાઈ એક લાખ એંસી હજાર યોજનની છે. લંબાઈ પહોળાઈ એક રજુની છે, અને શર્કરપ્રભા પૃથ્વીની લંબાઈ પહોળાઈ બે રાજુની છે. બીજી પૃથ્વી ત્રીજી પૃથ્વી કરતાં વિશાળતામાં મોટી છે. અને લંબાઈ પહોળાઈ માં ઓછી છે. આ અભિલાપ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વી સાતમી પૃથ્વી કરતાં લંબાઈ પહોળાઈમાં ઓછી છે તેમ સમજવું. પૃથ્વીની લંબાઈ પહોળાઈ પછી પછીની પૃથ્વીમાં એક એક રાજા વધતી જાય છે. એ રીતે સાતમી અધઃસપ્તમી તમસ્તમાં પૃથ્વી ની લંબાઈ પહોળાઈ સાત રાજુની થઈ જાય છે. [109-110 હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ત્રીસ લાખ નરકવાસ છે તેમાં એક એક નરકાવાસમાં સઘળા પ્રાણિયો, ભૂતો, જીવો, સત્વો અને પૃથ્વીકા યિકપણાથી, યાવતું વનસ્પતિકાયિકપણાથી, તથા નરયિકપણાથી, પહેલાં ઉત્પન્ન થઈ ચૂકયાં છે ? હા થઈ ચૂકયા છે આજ પ્રમાણે અધસપ્તમી તમતમાં પૃથ્વી સુધીના સમજી લેવા.વિશેષતા કેવળ એટલીજ છે કે જ્યાં જેટલા નરકાવાસો છે, ત્યાં એટલાજ કહેવા- હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નરકાવાસોના અંત સુધીના પ્રદેશોમાં જે બાદર પૃથ્વીકાયિકો યાવતું બાદર અપૂકાયિક, બાદરવનસ્પતિકાયિક જીવો છે, હે ભગવનું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy