SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પદ વાછવાભિગમ-૩ર્નિ-૨૧૦૫ જોડાઓના સમુહ હોય એવા સરોવરને જુવે અને તે મત્ત એવો હાથી તેમાં પ્રવેશ કરે છે. તેનાથી એ હાથી પોતાની ગમને સારી રીતે શાંત કરી લે છે. તથા કિનારાની પાસેના શલ્લકી એક જાતનું ઘાસ વિગેરેના કિસલયો ખાઈને પોતાની ભૂખ પણ દૂર કરી દે છે. અને પરિધહ, ભૂખ, તરસના, શાત્ત થઈ જવાથી તે શરીરમાં વ્યાપ્ત થયેલ ગર્મીને પણ દૂર કરી દે છે. આ રીતે જ્યારે તેના શરીરમાં ઠંડકનો અનુભવ થવા માંડે છે, ત્યારે તે ત્યાંજ નિદ્રા લેવા માંડે પોતાની સ્મરણ શક્તિને આનંદને ધિયને ચિત્તની સ્વસ્થતાને પામે છે, આ રીતે પોતે શીતી ભૂત થયેલ તે ગજરાજ ત્યાંથી ચાલવા લાગે છે. અને ચિત્તમાં જાગેલી એક પ્રકારની આહલાદ રૂપ પ્રસન્નતા રૂપ સુખ પરિણતીથી પોતે પોતાને આનંદ રૂપ માનવા લાગે છે. એ જ પ્રમાણે હે ગૌતમ! અસદુ ભાવ કલ્પનાને લઈને ઉષ્ણ વેદના વાળા નરકોમાંથી નીકળેલો નૈરયિક જે આ મનુષ્ય લોકમાં અત્યંત ઉષ્ણ તાના સ્થાનો છે જેમકે ગોંડિકાલિંછ, શોડિકાલિંછ, લિંડિકાલિંછ, લોખંડને ગાળવાની તાંબાને ગાળ વાની ભઠી, સીસાને ઓગાળવાની વાસણને પકાવવાની ભઠીનો, ધાતને ગાળવાના ભઠાનો અગ્નિ, ઈટોને પકવવાવાળા ભઠનો અગ્નિ, ગોળ બનાવવાની ભટ્ઠીનો અગ્નિ, તલની અગ્નિ બધા સ્થાનો મનુષ્યલોકમાં અગ્નિના સંપર્કથી તપેલા રહે છે. તે સ્થાનો સાક્ષાત્ અગ્નિના સ્થાપનાપન્ન હોય છે. તેનો જે વર્ણ ફૂલેલા પલાશના ફૂલો દેખાય છે, જે હાર ઉલ્કાઓ અગ્નિકણોને બહાર કાઢે છે આ સ્થાનો હજારો જવાલા ઓને જ જણે વમન કરતા ન હોય તેવા હોય છે. હજારો અંગારાઓને પોતાની અંદરથી. બહાર કાઢી રહ્યા હોય, એવા વિકટ અગ્નિના દાહ રૂપ વેદનાને ઉત્પન્ન કરવાવાળા આ સ્થાનોને જો ઉષ્ણ વેદના વાળા નરકોના નારકીઓ જોઈલે અને જોઈને તે તેમાંથી કોઈ એક સ્થાનમાં પ્રવેશ કરી જાય છે. ત્યાં પ્રવેશ કરીને તે નારકી ત્યાં પણ પોતાની નરકજન્ય ઉણ વેદનાને દૂર કરી શકે છે. તરસને પણ નાશ કરી દે છે. પોતાની ભૂખને પણ શાંત કરી લે છે. પોતાના શરીરની અંદર રહેલા પરિતાપ રૂપ જવરને પણ દૂર કરી અને દાહને પણ શાંત કરી દે છે. એ નારકીને આ સ્થાનોમાં પણ એ માતંગના જેવી શીતળતાનો અનુભવ થાય છે, ત્યારે તે ક્ષણિક નિદ્રાનો પણ અનુભવ પ્રાપ્ત કરી પોતાની ભૂલેલી સ્મૃતિને થોડી ઘણી શાંતીને ચિત્તની સ્વસ્થતા રૂપ ધતિને અને મતિને પણ પામે છે. તેથી શીત રૂપ થયેલ અને શીતભૂત થયેલ પોતે પોતાનામાં શાંતિનો અતિશયપણથી અનુભવ કરતો તે નારક જીવ સાતા અને સુખ બહુલ સ્થિતિવાળો બની જાય છે. શું આવા પ્રકાર ની ઉષ્ણ વેદના છે? ગૌતમ! આ અર્થ બરોબર નથી. ઉષ્ણવેદનાવાળા નરકોમાં રહેલા નિરયિકો પૂર્વોક્ત વેદનાથી પણ વધારે અનિષ્ટતર એવી ઉષ્ણવેદનાનો અનુભવ કરે હે ભગવનું શીતવેદનાવાળા નરકોમાં નારકો કેવી શીતવેદનાનો અનુભવકરે છે ? હે ગૌતમ ! જેમ કોઈ લુહારનો છોકરો હોય, અને તે પહેલા વર્ણવ્યા પ્રમાણેના વિશેષણો વાળો હોય, તે લુહાર લોખંડની સાણસી પકડીને ગોળાને માનો કે શીત વેદનાવાળા નારકોમાં નાખી અને તેને નાખતાંજ પાછો એવો વિચાર કરે કે હું આને આને હમણાં જ આંખનું મટકુ મારે તેટલામાં જ કાઢી લઉં છું એટલા કાળમાંજ તે શીતવેદનાવાળા નરકોમાં નાખેલ તપેલો લોખંડની પીંડ ત્યાં ઓગળવા અને ગળવા માંડે છે. તેમ તેને સાક્ષાત્ દેખાય છે. આ પ્રમાણે હે ગૌતમ! આ પણ અસત્કલ્પના સમજવી જોઈએ શીત વેદના વાળા નરકોમાંથી કોઈ નૈરયિક બહાર નીકળ્યો હોય, અને બહાર નીકળીને તે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy