SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 47 - પ્રતિપત્તિ -3, નૈરયિક ઉદેસો-૧ લેવું. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં સઘળા પુદ્ગલો કાલ ક્રમથી પ્રવેશ્યા છે? કે તદભાવથી પરિણત થયા છે? હે ગૌતમ ! પૃથ્વીમાં સઘળા લોકવર્તિ પુદ્ગલો ક્રમ પૂર્વક પ્રવેશેલા છે. એકી સાથે પ્રવેશેલા નથી એ પ્રમાણે સપ્તમી નરક સુધી સમજવું | [92) હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે? કે અશાશ્વત છે? હે ગૌતમ કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને કોઈ અપેક્ષાથી અશાશ્વત છે. રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાથિકનયની માન્યતા પ્રમાણે શાશ્વતી છે. પર્યાયોની અપેક્ષાથી અશાશ્વત છે. એ પ્રમાણે સાતે પૃથ્વી વિશે સમજી લેવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી કાળની અપેક્ષાએથી કેટલા કાળ સુધી સ્થાયીપણાથી રહે છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી કયારે પણ ન હતી એવી વાત નથી તથા આ વર્તમાન કાળમાં નથી તેમ નથી ભવિષ્ય કાળમાં નહીં હોય તેમ પણ નથી. રત્નપ્રભા પૃથ્વી પહેલાં હતી, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળમાં રહેશે. ધ્રુવ છે. નિશ્ચિત છે શાશ્વત છે વિનાશ રહિત છે અવસ્થિત સ્થિર રૂપ છે. આજ પ્રમાણેનું કથન પાવતુ અધઃસપ્તમી પૃથ્વી પર્યન્ત કરવું જોઈએ. [93 રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી નીચેનો જે અરમાન્ત છે, તે એક લાખ એંસી હજાર યોજનની વિશાળતાવાળો છે. ખરકાંડના અધસ્તન ચરમાન્ત પર્યન્ત સોળ હજાર યોજનાનું અંતર કહેલું છે. રત્નકાંડની નીચેના ચરમાન્ત સુધીમાં એક હજાર યોજનનું અંતર કહેવામાં આવેલ છે. ઉપરના ચરમાન્ત સુધીમાં એક હજાર યોજનનું અંતર કહેવામાં આવેલ છે. વજકાંડના નીચેના ચરમાંત સુધીમાં વચમાં બે હજાર યોજનનું અંતર કહેલ છે. રિષ્ઠકાંડના ઉપરના ચરમાંત સુધી પંદર હજાર યોજનાનું અંતર થાય છે. અને રિઝકાંડનો જ અંધ સ્તન નીચેનો ચરમાંત છે, ત્યાં સુધીમાં સોળ હજાર યોજનનું અંતર થઈ જાય છે. રત્ન પ્રભા પૃથ્વીનો ઉપરના ચરમાંથી પંક બહુલકાંડની ઉપરનો જે ચરમાંત છે, તેમાં કેટલું અંતર કહ્યું છે? આ બેઉની વચમાં કેટલું અંતર આવેલું છે? હે ગૌતમ! આ બન્નેની વચમાં સોળ હજાર યોજનાનું અંતર આવેલું છે. ખરકાંડનો છેલ્લો કાંડ રિઝકાંડ છે. તેના અધતન ચરમતમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી સોળ હજાર યોજનાનું અંતર કહેલ છે. પંક બહુલકાંડનું જે અધસ્તન નીચેનું ચરમાંત છે, એ એક લાખ યોજના અંતરનું છે. આ રત્નપ્રભા પૃથ્વીના અબ્દુલકાંડ કે જે ત્રીજો કાંડ છે, તેને જે ઉપરનો ચરમાંત છે, એક લાખ યોજના અંતરમાં છે અબ્બહુલકાંડનો જે અધતન ચરમાંત છે, એક લાખ એંસી હજાર યોજના અંતરવાળો. કહેલ છે. રત્નપ્રભાની ઉપરનું ચરમાંત પણ એક લાખ એંસી હજાર યોજના અંતરવાળું છે. ઘનોદધિ વલયનો અધતન નીચેનો ચરમાંત, અને રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ડ આ બનેમાં લાખ યોજનાનું અંતર છે. ધનવાતના ચરમાંત સુધીનું અંતર બે લાખ યોજનાનું છે. આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ધનવાતનું જે નીચેનું ચરમાંત છે, ત્યાં સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાત્તથી તનુ વાતવલયનું જે ઉપરનું ચરમાત્ત છે, ત્યાં સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. એ જ પ્રમાણે તનુવાત વલયનો જે અધતન નીચેનો ચરમાન્ત છે. ત્યાં સુધી અસંખ્યાત લાખ યોજનોનું અંતર છે. એ જ પ્રમાણે રત્નપ્રભા સંબંધી અવકાશાન્તરનું જે ઉપરનું ચરમાન્ત છે. ત્યાં સુધીમાં અસંખ્યાત લાખ યોજનોનું અંતર છે. શિર્કરપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી તેની નીચેનું ચર માન્ત એક લાખ બત્રીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy