SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 46 વાજીવભિગમ-૩- 10 કેટલી વિશાળતાવાળો કહ્યો છે? રત્નપ્રભા પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યા હલ્યની અપેક્ષાથી છ કોસની વિશાળતાવાળો કહેલ એજ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીનો. કોસના ત્રીજા ભાગ સહિત છ કોસની વિશાળતા વાળો, વાલુકાપ્રભામાં કોશના ત્રીજા ભાગથી કમ સાત કોસની વિશાળતાવાળો, પંકપ્રભા પૃથ્વીનો સાત કોશની વિશાળતા વાળો, ધૂમપ્રભાપૃથ્વીનો ત્રીજા ભાગ સહિત સાત કોસનો વિશાળ, તમપ્રભા પૃથ્વીનો કોસ ગાઉના ત્રીજા ભાગથી કમ આઠ ગાઉનો, સાતમી પૃથ્વીનો તનુવાતવલય તિર્યગ બાહલ્યની અપેક્ષાથી આઠ કોષની વિશાળતા વાળો કહેલ છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનોદધિ વલય છે, કે જે છ વોજનનો વિશાળ છે. તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે તો તેમાં રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કર્ણવાળું પીળાવર્ણવાળું અને સફેદ વર્ણવાળું હોય છે? ગંધની અપેક્ષાથી. સુરભિ દુરભિ ગંધવાળુ હોય છે? સ્પર્શની અપેક્ષાથી તે કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત ઉષ્ણ, સ્નિગ્ધ અનેરૂક્ષ સ્પર્શવાળું હોય છે? તથા સંસ્થાનની અપેક્ષાથી તે પરિમંડલ ગોળ લરાકાર ઐસ ચતુરસ્ત્ર, આયત સંસ્થાનવાળું હોય છે? આ દ્રવ્યો અન્યોન્ય બદ્ધ હોય છે? તથા પરસ્પરમાં અવિભક્ત થઈને આ અન્યોન્ય ઘન સમુદાયણાથી મળેલું રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને હા ગૌતમ! એજ પ્રકારનું છે એ રીતે અધસતમાં સુધી જાણવું. હે ભગવનું રત્નપ્રભા પૃથ્વીમાં જે ધનવાતવલય છે, કે જેની વિશાળતા સાડા ચાર યોજનની છે, તેના ક્ષેત્રચ્છેદથી વિભાગ કરવામાં આવેતો તેમાં રહેલ દ્રવ્ય, યાવતુ પરસ્પર સમુદાય પણાથી રહે છે? હા ગૌતમ હોય છે એજ પ્રમાણે અધઃસપામી પૃથ્વી પર્યન્ત જાણવું. એજ પ્રમાણે તનુવાત વલયના વિષયમાં પણ જાણવું હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનોદધિવલય છે, તેનું સંસ્થાન કેવું કહ્યું છે? હે ગૌતમ ! બલોયાના આકાર છે. એ પ્રમાણે અધ સત્તમાં પૃથ્વી સુધી જાણવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનવાવતવલય છે તેનું સંસ્થાન કેવું છે? હે ગૌતમ! બલોયાના મધ્યભાગની વચમાના આકાર જેવો ગોળ આકારવાળો કહેલ છે. એ જ પ્રમાણેના આકાર સંબંધીનું કથન તમસ્તમપ્રભા સુધી સમજી લેવું. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે તનુવાતવલય છે, તે કેવા આકારવાળો છે ? હે ગૌતમ તે બલોયાના મધ્ય ભાગના આકાર જેવો ગોળ છે.એજ પ્રમાણે તમતમાં પૃથ્વી પર્યત સમજવું. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી આયામ વિખંભ માં કેટલી કહેવામાં આવી છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી અસંખ્યાત હજાર યોજનથી લંબાઈ પહોળાઈ વાળી કહેલ છે. એજ પ્રમાણે સાતમી પૃથ્વી પર્યન્ત સમજવું. હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વી અત્તમાં અને મધ્યમાં બધેજ પિંડભાવની અપેક્ષાથી સરખી છે? હા સરખી છે. તમસ્તમાં પૃથ્વી સુધી એ પ્રમાણે સમજી લેવું. [1] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં સમયે સમયે પહેલાં સઘળા જીવો ઉત્પન્ન થયા છે? અથવા એક સાથે સઘળા જીવો ઉત્પન્ન થયા છે? હે ગૌતમ સઘળા. જીવો પ્રાયઃ ક્રમે કરીને ઉત્પન્ન થયા છે પરંતુ એકી સાથે સર્વ જીવો ઉત્પન્ન થયા નથી એજ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી પતિની સમજવું. હે ભગવનું આ રત્નપ્રભાપૃથ્વી કાલ કમથી બધા જીવોએ પહેલાં છોડી છે? અથવા એકી સાથે છોડી છે? હે ગૌતમ! સઘળા જીવોએ ક્રમશઃ છોડી છે. એકી સાથે છોડી નથી. એ પ્રમાણે સાતમી નરક પર્યત સમજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy