SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૨ સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કટથી કંઈક ઓછી એકપૂર્વ કોટિની છે. દેવાંગનાની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યો પમની કહેલ છે. ભવનવાસીદેવીયોનો સ્થિતિકાળ જઘન્યથી તો દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટથી સાડાચાર પલ્યોપમની. નાગકુમાર ભવનવાસી દેવોની સ્ત્રિયોની સ્થિતિ પણ જઘન્યથી દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી દેશોન એક પલ્યોપમની છે એજ પ્રમાણે બાકીના ભવનવાસી દેવોની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કંઈક ઓછી એક પલ્યોપમની છે. વાનભંતર સ્ત્રીની સ્થિતિ જઘન્યથી દસહજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટથી અધપત્યોમની છે. જ્યોતિષ્ક દેવોની સ્ત્રિયોની સ્થિતિ જઘન્ય એક પલ્યો પમના આઠમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અધ પલ્યોપમની છે. ચંદ્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી એક પલ્યોપમના ચોથા ભાગની અને ઉત્કૃષ્ટથી પચાસ હજાર વર્ષ અધિક અધપત્યોમની છે. સૂર્ય વિમાન જ્યોતિક સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની ઉત્કૃષ્ટથી પાંચસો વર્ષ વધારે અધપિલ્યોપમની છે. ગ્રહવિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી અધપલ્યોપમની છે. નક્ષત્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ જઘન્ય એક પલ્યના ચોથાભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની છે. તારા વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમની આઠભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણની છે. વૈમાનિક દેવિયોની સ્થિતિ જઘન્યથી તો એક પલ્યોપમની છે અને ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમમાં હોય છે. ઈશાન કલ્પની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી કંઈક વધારે પલ્યોપમની હોય છે. અને ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમની હોય છે. અપરિગૃહીત-દેવિયોની સ્થિતિ જઘન્યથી કંઈક વધારે એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમની કહેલ છે. પ) સ્ત્રી, સ્ત્રીપર્યાયમાં કેટલા કાળ સુધી રહે છે? સ્ત્રિયો સ્ત્રી પણામાં રહેવામાં પાંચ અપેક્ષાઓ સૂત્રકારોએ કહેલ એક જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ થી પૂર્વકોટિ પૃથક્વ અધિક 110 પલ્યોપમ સુધી. બીજી અપેક્ષાથી એક જીવનું અવસ્થાન જઘન્ય એક સમય સુધી વધારેમાં વધારે પૂર્વકૌટિ પૃથકૂત્વ અધિક અઢાર પલ્યોપમ સુધી રહે છે. ત્રીજી અપેક્ષાએ જઘન્યથી સ્ત્રીવેદનું અવસ્થાન એક સમયનું અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકૃત્વ વધારે ચૌદ પલ્યોપમનું છે. ચોથી અપેક્ષાએ સ્ત્રીવેદનું અવસ્થાન જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપ્રથકૃત્વ અધિક એકસો પલ્યોપમનું કહેલ છે. પાંચમી અપેક્ષા ઓછામાં ઓછું એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથકત્વ છે. તિર્યગૂયોનિક સ્ત્રીપણાથી કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી. ત્રણ પલ્યોપમ પ્રમાણ કાળ સુધી રહે છે. તે જલચરીપણાથી જે તિર્યસ્ત્રિયો છે, તેઓની ભવસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથફત્વ છે. ચતુષ્પદસ્થલચર સ્ત્રીઓ ભાવસ્થિતિનું પ્રમાણ જે પ્રમાણે ઓધિક તિર્યસ્ત્રીની ભવસ્થિતિનું પ્રમાણ કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સમજવું. ઉર:પરિસર્પની સ્ત્રિયોનો અને ભુજ પરિસર્પની સ્ત્રિયોનું ભવસ્થિતિનું પ્રમાણ જલચરની સ્ત્રિયોની જેમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy