SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 28. જીવાજીવાભિગમ- 2/55 [55] હે ભગવનું તિર્યંગ્યનિક સ્ત્રિયોની ભવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. જલચર તિયંગ્યોનિક સ્ત્રિયોની ભવ સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિ છે. ચતુષ્ટ સ્થલચર તિર્યગ્લોનિક સ્ત્રિયોની ભવસ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ થી ત્રણ પલ્યોપમની કહી છે. ઉર પરિસર્પ સ્થલચર તિર્થગ્યોનિક સ્ત્રિયોની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉકથી એક પૂર્વ કોટિની છે. ઉરપરિ સર્પ સ્થલચર સ્ત્રિયોની ભવસ્થિતિ ભુજ પરિસર્પ સ્થલચર સ્ત્રિયોની ભવસ્થિતિ પ્રમાણે સમજી લેવી. ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયોની ભવસ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિતિ-ક્ષેત્રની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રિયોની સ્થિતિ સામાન્ય થી કર્મભૂમિરૂપ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે, ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની અપેક્ષાથી આ કર્મભૂમિજની સ્ત્રિયોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોને- એક પૂર્વકોટિની હોય છે. ભરત અને ઐવિત ક્ષેત્રરૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્ય એક અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે.-ધર્મ સ્વીકાર કરવાની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકોટિની છે. પૂર્વ વિદેહ અને અપર વિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્ય એક અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની. ધર્માચરણ કરવાની અપેક્ષાથી તેમની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ઓછી એક પૂર્વકોટિની છે અકર્મભૂમિ જ મનુષ્ય સ્ત્રિયોની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્યથી દેશ-ઉન-એક પલ્યોપમની ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. સંહરણ-કર્મભૂમિની સ્ત્રીને હરીને અકર્મભૂમિમાં લઈ જવાની અપેક્ષાથી જઘન્યથી તો એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી દેશોને પૂર્વકોટિની છે. હૈમવત, ઐરણ્યવત અકર્મભૂમિ જ મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિતિ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ઓછી એક પલ્યોપમની છે. ઉત્કૃષ્ટથી પૂરા એક પલ્યોપમની તે સંહરણની અપેક્ષાથી તેમની ભવસ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકોટીની છે. હરિવર્ષ અને રક વર્ષરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિત જઘન્ય અપેક્ષાએ સ્થિતિ કંઈક ઓછી પલ્યોપમના અસંખ્યામાં ભાગથી ઓછી બે પલ્યોપમની છે, અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ બે પલ્યોપમની છે. સંહરણની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી કઈક ઓછી એક પૂર્વકોટિની. દેવ કુરુ ઉત્તરકુરૂ, રૂપ અકર્મભૂમિથી મનુષ્ય સ્ત્રિયોની સ્થિતિ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી કંઈક ઓછી ત્રણ પલ્યોપમની છે. ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ત્રણ પલ્યોપમની છે. સંહરણની અપેક્ષાથી તેઓની સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકોટિની છે. અંતર દ્વિીપરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોની સ્થિતિ અપેક્ષા એ જઘન્યથી કંઈક કમ પલ્યો પમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની અને સંહરણની અપેક્ષાએ જઘન્યથી તેઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy