SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૧ 23 ના સઘળા તિર્યચોમાં તેઓની ઉત્પપાત હોય છે. અકર્મ ભૂમિના અને અંતરદ્વીપોના મનુષ્યોમાં તેમનો ઉત્પપાત થતો નથી. જે દેવોમાંથી તેમનો ઉત્પાત થાય છે, તો સૌધર્મ દેવલોકથી લઈને સહસ્ત્રાર દેવલોકસુધી થાય છે.આ જલચર જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટીની હોય છે તેઓ મારણાન્તિક સમુદ્યાતથી સમવહત થઈને અને સમવહત થયા વિના એમ બન્ને પ્રકારની મરે છે. આ ગર્ભજ જલચર જીવ જ્યારે જલચર પયયથી ઉદવૃત્ત થઈને એટલે કે તેમાંથી નીકળીને જે તેઓ નૈરયિકોમાં જન્મ ધારણ કરે છે, તો પહેલી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈરયિકોમાં જન્મ ધારણ કરી શકે છે. જો તિર્યંમ્પોનિક જીવોમાં તેઓ જન્મ લે છે. તો સઘળા તિર્યંગ્યાનિકોમાં જન્મ ધારણ કરી શકે છે અને જે મનુષ્યોમાં જન્મ લે તો સઘળા મનુષ્યોમાં જન્મ લઈ શકે છે. તથા જો તેઓ દેવોમાં જન્મ લે છે, તો સૌધર્મ દેવલોકથી લઈને સહસ્ત્રાર સુધીના દેવોમાં તેઓ જન્મ લે છે આ જીવો ચારે ગતિયોમાં જઈ શકે છે તથા ચારે ગતિયોમાંથી આવી શકે છે. [47 હે ભગવન્! ગર્ભજ સ્થલચર જીવોના કેટલા ભેદો કહેલા છે? બે પ્રકારના કહેલા છે એક ચતુષ્પદ અને બીજા પરિસર્પ, ચતુષ્પદ જીવો ચાર પ્રકારના કહેલા છે. એક ખરીવાળા વિગેરે ભેદોનું જે પ્રમાણે સંમૂઠ્ઠિમ સ્થલચરોના પ્રકરણમાં કથન કર્યું છે, એજ પ્રમાણેના ભેદો અહિંયા પણ સમજી લેવા. તે સ્થલચર ચતુષ્પદ જીવો સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે, પયપ્તિ. અને અપર્યાપ્ત. ઔદારિક વૈક્રિય તૈજસ ને કામણના ભેદથી તેઓને ચાર પ્રકારના શરીરો કહેલા છે. તેઓના શરીરની અવગાહના જઘન્યથી એક આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. તથા ઉત્કૃષ્ટથી તેઓના શરીરની અવગાહના છ ગભૂત પ્રમાણની હોય છે. તેઓની સ્થિતિ-જઘન્ય થી અંતર્મુહૂર્ત પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની હોય છે. આ સ્થલચરો અહિથી નીકળી ને નારકોમાં જાય તો ચોથી પૃથ્વી સુધી જ જાય છે. બીજા બધા જ દ્વારોનું કથન ગર્ભવ્યુત્કતિક જલચર જીવોના કથન પ્રમાણે જાણવું. આ સ્થલચર જીવો ચારગતિમાં જવાવાળા તથા ચાર ગતિથી આવવાવાળા હોય છે. ' હે ભગવનું પરિસર્પોના શું લક્ષણો છે ? પરિસર્પ બે પ્રકારના કહેલા છે. એક ઉરપરિસર્પ અને બીજ ભુજપરિસર્પ, ઉરસ્પરિસર્પના શું લક્ષણો છે ? સંમૂચ્છિમ ઉર પરિસર્પના પ્રકરણમાં જે પ્રમાણે ઉર પરિસર્પોનું નિરૂપણ કરવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ આ ગર્ભજ ઉર પરિસપોનું નિરૂપણ સમજી લેવું. અહિયાં. આસાલિકનું વર્ણન કરવાનું નથી. ગર્ભજ ઉર પરિસર્પોને ચાર શરીરો હોય છે. તેઓની અવગાહના જઘન્યથી એક આંગળાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. તથા ઉત્કૃષ્ટથી એક હજાર યોજનાની હોય છે. તેમની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કટથી એક પૂર્વકોટીની હોય છે. આ સ્થલચર ઉર પરિસર્પ જ્યારે પોતાના પયિને * છોડે છે, અને જ્યારે નૈરયિકોમાં જાય છે, તો તેઓ પહેલી પૃથ્વીથી લઈને પાંચમી પૃથ્વી સુધીના નૈરયિકોમાં જાય છે. જ્યારે તેઓ તિર્યંગ્યાનિકોમાં જાય છે, તો સઘળા તિર્યંગ્યો નિકોમાં જઈ શકે છે. જ્યારે તેઓ મનુષ્યોમાં જાય છે, તો સઘળા મનુષ્યોમાં જાય છે. અને જ્યારે તેઓ દેવોમાં જાય છે, તો પહેલાદેવલોકથી લઈને સહસ્ત્રાર સુધીના દેવોમાં જાય છે. બાકીના બધા દ્વારોનું કથને ગર્ભજ જલચર જીવોના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy