SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 22 જીવાજીવાભિગમ-૧૪૪ એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથત્વ છે. તેમની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી બેતાલીસ હજાર વર્ષની છે. સિવાય શરીર વિગેરે કારોનું કથન જલચર સંમૂચ્છિમ જીવો પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે. તેજ પ્રમાણે સમજી લેવું. તેઓ સીધા ચારે ગતિયોમાં જઈ શકે અને બે ગતિથી સીધા આવવાવાળા છે. હવે પરિસર્પ સ્થલચર જીવ છે તે અસંખ્યાત કહેલા છે. હે ભગવનું ખેચર જીવો કેટલા પ્રકારના કહેલા છે જીવો ચાર પ્રકારના હોય છે. ચર્મપક્ષી લોમપક્ષી સમુદ્રપક્ષી વિતતપક્ષી. ચમપક્ષી અનેક પ્રકારના કહેલા છે. વલૂલી વાવતુ બીજા પણ આના જેવા અનેક જીવો હોય તે બધા સમજી લેવા. લોમપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. ઢંગ કંક-ગીધ પક્ષી તથા આના જેવા બીજા પક્ષીયો આબધા પક્ષીયો લોમ પક્ષી તરીકે સમજવા. સમુદ્ગપક્ષી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે એકજ પ્રકારના છે. જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના પ્રકરણમાં સમુદ્રગ પક્ષીનું નિરૂપણ કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે વિતત પક્ષિયોનું નિરૂપણ પણ સમજી લેવું. આ વિતતપક્ષી સંક્ષેપથી બે જ પ્રકારના કહેલા છે. પાણિક અને અપયમિક અહિયાં નાનાત્વ - જુદાપણું આ પ્રમાણે છે. આ પક્ષીયોના શરીરની અવગાહના જધન્યથી આગળના અસંખ્યાત માં ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ્પથર્વ છે તેમની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી બોંતેરહજાર વર્ષની છે. શરીરાવગાહના અને સ્થિતિના કથન જલચરજીવોના સંબંધમાં કહ્યા પ્રમાણેનું સમજવું. વાવતુ ચાર ગતિવાળા અને બે આગતિવાળા હોય છે. પ્રત્યેક શરીરધારી આ ખેચરો અસંખ્યાત કહેલા છે. [5] હે ભગવનું ગર્ભવ્યુત્ક્રાંતિ પંચેન્દ્રિય તિર્યગ્લોનિકજીવોના ભેદો કેટલા કહેલા છે? ત્રણ પ્રકારના કહેલા છે. જલચર, સ્થલચર, અને ખેચર. f46 હે ભગવાન જીલચર જીવો કેટલા પ્રકારના કહ્યા છે? જલચર જીવો પાંચ પ્રકારના કહેલા છે. મચ્છ, કચ્છ, મગર, ગ્રાહ અને સિસુકુમાર. પ્રજ્ઞાપના સૂત્રમાં આ બધાના જે પ્રમાણે ભેદો કહ્યા છે. એ જ પ્રમાણે અહિયાં પણ સમજી લેવાં. જલચર ગર્ભજ જીવો સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. પર્યાપ્તિ ગર્ભજ જલચર અને અપતિ ગર્ભજ જુલ ચર. આ ગર્ભજ જલચર જીવોને ચાર શરીરો કહ્યા છે. ઔદારિક, વૈક્રિય, તેજસ, અને કામણ. શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણની હોય છે. તેઓ છ પ્રકારના સંહનનવાળા હોય છે. છએ પ્રકારના સંસ્થાનવા હોય છે. ચાર કષાયો હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે. છએ લેયાઓ, પાંચ ઇન્દ્રિયો હોય છે. આ પાંચ સમુદ્યાતો હોય છે. સંજ્ઞી હોય છે, અસંsી હોતા નથી. આ જલચર જીવો ત્રણ વેદ વાળ હોય છે. છ પયામિયો હોય છે, અને છ અપયાતિયો હોય છે, ત્રણે પ્રકારની દૃષ્ટિવાળા હોય છે. ત્રણે દર્શન હોય છે. તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. જો જ્ઞાની હોય તો કેટલાક મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોય છે. અને કેટલાક મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા એમ ત્રણ જ્ઞાનવાળા હોય છે એ પ્રમાણે અજ્ઞાન પણ જાણવું ત્રણ પ્રકારનો યોગ હોય છે. બે ઉપયોગ હોય છે. તેઓને આહાર છએ દિશાઓમાંથી આવેલા યુગલોનો હોય છે. જલચર જીવોનો ઉપખાત- પહેલા નરકથી લઈને યાવતું સાતમા નરક સુધી કહેલ છે. અસંખ્યાત વિષયુષ્ક તિર્યંચોને છોડીને બાકીના કર્મભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy