SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, વૈમાનિક ઉદેસા-૨ 155 છે. રૈવેયક દેવ અને મધ્યમ ગ્રેવેયકના દેવ છઠી પૃથ્વીના ચરમાન્ત પર્યન્ત જાણે છે. અને દેખે છે. ઉપરિતન રૈવેયકના દેવો સાતમી પૃથ્વીના ચરમાન્ત સુધી જાણે છે. અને દેખે છે. હે ભગવનું અનુત્તરોપપાતિક દેવો પોતાના અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે અને દેખે છે ? અનુત્તરોપપાતિક દેવો પૂર્ણ ચૌદ રાજુ પ્રમાણ વાળા આ સમગ્ર લોકનાલીને જાણે છે. અને દેખે છે. 3i37-343] હે ભગવનું સૌધર્મ અને ઈશાન દેવોના કેટલા સમુદ્રઘાત હોય છે? હે ગૌતમ ! તેઓને પાંચ સમુદ્યાતો છે. વેદના કષાય મારણાંતિક વૈકિય અને તૈજસ સમુદ્યાત એજ પ્રમાણે સનકુમારથી લઈને અમ્રુતકલ્પ સુધીમાં પાંચ સમુઘાતો હોય છે રૈવેયક વિમાનવાસી દેવોને આદિના ત્રણ સમુદ્રઘાતો હોય છે અનુત્તરોપપાતિક દેવોને પણ આજ ત્રણ સમુદ્ધાતો હોય છે. સૌધર્મ અને ઈશાન કલાના દેવો સુધા અને પિપાસાનો અનુભવ કરતા નથી. એ જ પ્રમાણે સનકુમારથી લઈને અનુત્તરોપપાતિક સુધીના દેવો પણ ભૂખ તરસ રહિત હોય છે. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવો એક સમયમાં એક રૂપની પણ વિદુર્વણા કરવાને સમર્થ છે અને અનેક રૂપોની વિકુવણા કરવાને પણ સમર્થ છે. જ્યારે તેઓ એક સમયમાં એક જ રૂપની વિદુર્વણા કરે તે તેઓ એકેન્દ્રિય જીવોના રૂપની વિમુર્વણા કરે છે. યાવતુ પંચેન્દ્રિય જીવના રૂપની વિકર્વણા કરે છે. એક સમયમાં અનેક રૂપોની વિકુવણા કરતા નથી. અને જ્યારે તેઓ એક સમયમાં અનેક રૂપોની વિદુર્વણા કરે છે તો એકેન્દ્રિય જીવના રૂપની પણ વિકુવણ કરે છે. યાવતું પંચેન્દ્રિય જીવના રૂપની પણ વિકુણા કરે છે. આ રીતે એક રૂપની અને અનેક રૂપોની વિદુર્વણા કરવાનું આ કથન સનસ્કુમારથી લઈને અય્યત ક૨ સુધીના દેવોના સંબંધમાં કહેવું જોઈએ. અનુરોપપાતિક દેવ પૂર્વોક્ત પ્રકારથી એક રૂપની પણ વિકવણા કરી શકે છે અને અનેક રૂપોની પણ વિતુર્વણા કરી શકે છે. પરંતુ અત્યાર સુધી તેઓએ તેમ કર્યું નથી તથા વર્તમાનમાં તેમ કરતા નથી. ભવિષ્યમાં તેમ કરશે નહીં સૌધર્મ અને ઇશાન કલ્પના દેવો મનોજ્ઞ શબ્દ જન્ય ફાવતું મનોજ્ઞ સ્પર્શથી પ્રાપ્ત થયેલ સુખોનો અનુભવ કરે છે. આ પ્રમાણેનો આ સુખાનુભવ રૈવેયક સુધીના દેવોને હોય છે. અને જે અનુત્તરોપ પાતિક દેવો છે, તે અનુત્તર શબ્દથી થવાવાળા અને અનુત્તર સ્પર્શથી થવાવાળા સુખ નો અનુભવ કરે છે. સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોની દ્ધિ ઘણી મોટી કહેવામાં આવેલ છે. તેથી તેઓ મહા ઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, યાવતું મહાપ્રભાવવાળા હોય છે. એ જ પ્રમાણે મહા ઋદ્ધિ વિગેરે વિશેષણો વાળા સનકુમાર દેવોથી લઈને અશ્રુત ફિલ્મ સુધીના દેવો હોય છે. રૈવેયક દેવોથી લઈને અનુત્તર વિમાનો સુધીના દેવા પણ મહર્દિક યાવતુ મહાપ્રભાવવાળા હોય છે. અને એ બધા ઈન્દ્ર વિનાના હોય છે. અને પોતે જ એક એકની સંખ્યામાં ઈન્દ્ર હોય છે. સૌધર્મ અને ઇશાન દેવોના શરીર બે પ્રકારના હોય છે. એક વૈક્રિય શરીર અને બીજી અવૈક્રિય શરીર તેમાં જે વૈક્રિય શરીર હોય છે, અને તે પોતાની પ્રભાથી દશ દિશાને પ્રકાશિત કરતા તેને ઉદ્યોતિત કરતા યાવતું પ્રતિ રૂપ હોય છે. અને જે અવૈકિય શરીર હોય છે તે આભૂષણો, વસ્ત્રો વિનાના હોય છે. અને પ્રકૃતિસ્થ હોય છે. તેથી તેની શોભા નૈસર્ગિકી-સ્વાભાવિકી હોય છે. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં દેવિયો તેમના શરીરો બે પ્રકારના હોય છે. એક વૈક્રિય શરીરવાળી અને બીજી અવૈક્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy