SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 154 છવાવાભિગમ- ૩ર્થિ. 233 શરીરનો આવા પ્રકારનો વર્ણ હોવા સંબંધીનું આ કથન શૈવેયક વિમાનોના દેવોના કથન પર્યત સમજી લેવું. પરંતુ અનુત્તર વિમાનવાસી જે દેવો છે, તેમના શરીરનો વર્ણ પરમ શુકલ હોય છે. સૌધર્મ અને ઇશાન કલાના જે દેવો છે. તેમના શરીરની ગંધ યાવતુ મનોડમતર સુધીના વિશેષણો વાળી હોય છે, એવા પ્રકારના ગંધથી પણ અધિક વિશિષ્ટ ગંધવાળા સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવોના શરીર, સનસ્કુમાર વિગેરે દેવલોકના દેવોના શરીર અને નવ મૈવેયક અને પાંચ અનુત્તર વિમાન વાસી દેવોના શરીર હોય છે. આ સઘળા દેવોના શરીર મૃદુ-કોમળ સ્પર્શવાળા સ્થિર, સ્નિગ્ધ સ્પર્શ વાળા અને સ્થિર કોમળ સ્પર્શવાળા કહેવામાં આવેલા છે. જે પુદ્ગલો ઇષ્ટ, કાન્ત, યાવતું પ્રિયતર મનોજ્ઞ હોય છે. એ પુદ્ગલોજ દેવોના ઉચ્છવાસ રૂપે હોય છે. સૌધર્મ અને ઇશાન દેવોને એક તેજોલેશ્યાજ હોય છે. સનકુમાર અને મહેન્દ્ર દેવોને એક પત્રલેશ્યા જ હોય છે. બ્રહ્મલોકમાં પણ એક પા લેશ્યા જ હોય છે. તથા લાન્તક દેવ- લોકથી લઇને રૈવેયક સુધીના દેવોમાં એક શુકલ લેશ્યા જ હોય છે. અને અનુત્તરોપ પાતિક દેવોને એક પરમશુકલ લેશ્યા જ હોય છે. સૌધર્મ અને ઈશાન દેવો સમ્યક્દષ્ટિ વાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિ વાળા પણ. હોય છે, સમ્યક મિથ્યા. દષ્ટિવાળા પણ હોય છે. યાવતુ સનકુમાર લઈને વૈવેયક સુધીના દેવો પણ સમ્યક્દષ્ટિ વાળા પણ હોય છે. મિથ્યા દષ્ટિવાળા પણ હોય છે, અને સમ્યક મિથ્યા દષ્ટિવાળા પણ હોય છે. પરંતુ અનુત્તરપપાતિક દેવો ફક્ત સમ્યક દષ્ટિવાળા હોય છે. તેઓ સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. આજ પ્રમાણે સનકુમાર દેવોલોકથી લઈને રૈવેયક સુધીના બધા દેવો જ્ઞાની પણ હોય છે. અજ્ઞાની પણ હોય છે. અનુત્તરોપપાતિક દેવો નિયમથી જ્ઞાની જ હોય છે. અજ્ઞાની હોતા નથી. કાયયોગ, મનોયોગ અને વચનયોગ આ પ્રમાણે ત્રણ પ્રકારનો હોય છે. અને ઉપયોગ બે પ્રકારના હોય છે. એક જ્ઞાનોપયોગ અને બીજો દર્શનોપયોગ આ ઉપયોગ એ બધા જ દેવોને હોય છે. હે ભગવનું સૌધર્મ-ઇશાનદેવ પોતાના અવધિજ્ઞાન થી અને અવધિ દર્શનથી કેટલા ક્ષેત્રને જાણે છે? અને કેટલા ક્ષેત્રને દેખે છે? ઓછામાં ઓછા આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્ર જાણે છે, અને દેખે છે. અને વધારેમાં વધારે તેમનાથી નીચેના લોકમાં યાવતું આ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચર માન્ત સુધી તેઓ જાણે છે. અને દેખે છે. તિર્યલોકમાં તેઓ તેમનાથી યાવતુ અસંખ્યાત દ્વિીપ સમુદ્રોને જાણે છે અને દેખે છે. અને ઉર્ધ્વલોકમાં તેઓ પોતપોતાના વિમાનોના સૂપ-ધ્વજા વિગેરે પર્યન્ત જાણે છે. અને દેખે છે. આ જ પ્રમાણે સનકુમાર અને મહેન્દ્ર દેવ પણ જઘન્યથી અવધિજ્ઞાન દ્વારા આંગળના અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. અને ઉત્કટથી પણ ઉપર જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ પ્રમાણે જાણે છે. અને દેખે છે. તેઓ અધોલોકની અપેક્ષાએ બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નીચેના ચરમાન્ત સુધી જાણે છે અને દેખે છે. એ જ પ્રમાણે બ્રહ્મલોક અને લાન્તક કલ્પના દેવો પણ જાણે છે અને દેખે છે. પરંતુ અધોલોકથી અપેક્ષાથી તેઓ ત્રીજી પૃથ્વીના નીચેના ચરમાન્ત સુધી જ જાણે છે અને દેખે છે. મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના દેવો ચોથી પંકપ્રભા પૃથ્વીના નીચેના ચરમાન્ત સુધી જાણે છે અને દેખે છે. આનત પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના દેવો પાંચમી પૃથ્વીના નીચેના ચરમાન્ત પર્યન્ત જાણે છે અને દેખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy