SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 151 પ્રતિપત્તિ 3, વૈમાનિક ઉદેસા-૨ 3i26-33 હે ભગવનું ! સૌધર્મ અને ઈશાન એ કલ્પોના વિમાનો કોના આધાર પર રહેલ કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ! સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનો ધનોદધિના આધાર પર રહેલા સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિમાનો ઘનવાતના આધાર પર રહેલા છે. બ્રહ્મલોક નામના કલ્યમાં વિમાન ઘવાતના આધાર પર છે. લાન્તક કલ્પના વિમાનો ઘનોદધિ અને ઘનવાતના આધાર પર છે. એ જ પ્રમાણે મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પોમાં પણ એ બેના આધાર પર વિમાનો રહેલા છે. આનત પ્રાણત આરણ અય્યત આ ચારે કલ્યોમાં વિમાનો આકાશના આધાર પર રહેલા છે. રૈવેયક વિમાન અવકાશના આધાર પર રહેલા છે. અનુત્તરોપપાતિક વિમાન આકા શના આધાર પર રહેલ છે. હે ભગવન! સૌધર્મ અને ઇશાન એ કલ્પોમાં વિમાન પૃથ્વી કેટલી મોટી કહેવામાં આવેલ છે? સૌધર્મ અને ઇશાન એ બે કલ્પોના વિમાન પૃથ્વીની મોટાઈ ૨૭૦૦થોજનની છે. સનકુમાર મહેન્દ્ર નામના કલ્પોમાં વિમાન પૃથ્વી 2600 યોજનાની મોટી કહેવામાં આવેલ છે. બ્રહ્મ કલ્પ અને લાન્તક નામના કલ્પમાં વિમાન પૃથ્વી ર૫૦૦ યોજનાની મોટી છે. મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પોમાં વિમાન પૃથિવી 2400 યોજનની કહેલ છે. આનત. પ્રાણત, આરણ અને અય્યત એ કલ્પોમાં વિમાન પૃથ્વી ર૩૦૦ યોજનાની મોટી છે. રૈવેયક વિમાનોની પૃથ્વી 2200 યોજનની છે. પાંચ અનુત્તર વિમાનોની પૃથ્વી એકવીસસો યોજનાની મોટાઈ વાળી કહેવામાં આવેલ છે. સૌધર્મ અને ઇશાન નામના એ બે કલ્પોમાં વિમોનોની ઉંચાઇ પાંચસો યોજનની કહેલ છે. સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં વિમાનોની ઉંચાઇ છસો યોજનની છે. બ્રહ્મ અને લાન્તક કલ્પોમાં વિમોનોની ઉંચાઈ સાતસો યોજનની છે. મહાશુક અને સહકાર નામના કલ્પોમાં વિમાનોની ઉંચાઈ આઠસો યોજનાની છે. આનત, પ્રાણત, આરણ અને અય્યત આ ચાર કલ્યોમાં વિમાનોની ઉંચાઇ નવસો યોજનની છે. નવ સૈવેયક વિમાનોની ઉંચાઈ 1000 યોજનની કહેલ છે. અનુત્તર વિમાનોની ઉંચાઈ 1100 વારસો યોજનની છે. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં જે વિમાન છે તેનું સંસ્થાન બે પ્રકારનું કહેલ છે. એક આવલિકા, પ્રવિષ્ટ અને બીજુ બાહ્ય તેમાં આવલિકા પ્રવિષ્ટ જે વિમાન છે. તે ત્રણ પ્રકારના છે. વૃત્ત, વ્યસ્ત્ર અને ચતુરસ્ત્ર શ્રેણિ બદ્ધ વિમાનોના પ્રાંગણોમાં જે પૂર્વ દિશાને છોડીને ત્રણ દિશાઓમાં પુષ્પ પ્રકારની જેમ આમતેમ ફેલાયેલા રહે છે તે બાહ્ય પ્રકીર્ણકી વિમાન છે. તેનું બીજા નામ આવલિકા બાહ્ય છે. એ જ પ્રમાણે સનકુમાર, માહેન્દ્ર, બહ્મલોક, લાન્તક, પ્રાણત. આરણ, અશ્રુત, આ બધા કલ્પોમાં પણ વિમાન બન્ને પ્રકારની હોય છે. પરંતુ અનુત્તરોપપાતિક દેવોના જે વિમાનો છે તે બે પ્રકારના કહેવામાં આવેલ છે. અંગ પ્રવિષ્ટ અને આવલિકા પ્રવિષ્ટ તેમાં જે આવલિકા પ્રવિષ્ટ વિમાન છે. તે વિમાન બે પ્રકારના છે. વૃત્ત અને બીજા વ્યસ તેમાં જે સર્વાર્થસિદ્ધ વિમાન છે તેતો વૃત્ત-છે. અને બાકીના ચાર વ્યસ્ત્ર છે. હવે આયામ વિખંભ અને પરિમાણનું કથન કરવામાં આવે છે. સૌધર્મ અને ઇશાન કલ્પમાં વિમાનો બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સંખ્યાત વિસ્તારવાળા અને બીજા અસંખ્યાત વિસ્તારવાળા. આ સંબંધમાં નારકોના પ્રકરણમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું કથન યાવતુ અનુત્તરોપપાતિક વિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy