SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 150 જીવાજીવભિગમ- 31/325 4 ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પની ઉપર દિશા વિદિશાઓમાં અનેક યોજન યાવતુ દૂર જવાથી આવતા એજ સ્થાન પર સહસ્ત્રાર નામનું કહ્યું છે. આ કલ્પ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળો છે. પરિપૂર્ણ ચંદ્રના જેવું તેનું સંસ્થાન છે. વિગેરે પ્રકારનું સઘળું કથન બ્રહ્મલોકના કથન પ્રમાણે સમજી લેવું. આ કલ્પમાં છ હજાર વિમાનવાસ છે. આભ્યન્તર પરિષદામાં પાંચસો દેવો છે મધ્યપરિષદામાં 1000 દેવો છે. અને બાહ્ય પરિષદામાં એક હજાર દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ 17aa સાગરોપમની અને 7 સાત પલ્યોપમની છે. મધ્ય પરિષદાના દેવોની સ્થિતિ અઢાર સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ 17 સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. સહસ્ત્રાર કલ્પની ઉપર દિશા અને વિદિશા ઓમાં અનેક યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં આનત પ્રાણત નામના બે કલ્યો આવેલા છે. આનત પ્રાણત દેવોના 400 વિમાનાવાસો છે, પહેલી અભ્યત્તર પરિષદોના 250 દેવો છે. મધ્ય પરિષદામાં 500 દેવ છે. અને બાહ્ય પરિષદામાં 1000 દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ 18 સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમપરિષદાના દેવોની સ્થિતિ 18 સાગરોપમ અને 4 પલ્યોપમની છે. અને બાહ્ય પરિષદ્ધના દેવોની સ્થિતિ 18 સાગરોપમ અને 3 પલ્યોપમની છે. આનત પ્રાણત કલ્પોની ઉપર વિદિશાઓમાં અનેક યોજનો સુધી યથાવતુ જવાથી ત્યાં આવતા સ્થાનમાં આરણ અશ્રુત નામના બે કલ્યો છે. આ ત્રણસો વિમાનોના અધિપતિ પણે હજાર સામાનિક દેવો છે. તેમજ ચાળીસ હજાર આત્મરક્ષક દેવો છે. આરણ અશ્રુત કલ્પોની ઉપર દિશા અને વિદિશામાં ઘણા વધારે યોજનો સુધી ઉંચે જવાથી આવતા સ્થાન પર અધિકૈવેયકોના ત્રણ વિમાનો છે. એ વિમાનો પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા અને ઉત્તરથી દક્ષિણ સુધીના પહોળા છે. પૂર્ણ ચંદ્રના જેવું તેમનું સંસ્થાન છે. તેમની આભા ભાસરાશીના જેવી છે. તેમની લંબાઈ પહોળાઈ અસંખ્યાત કોડા કોડી. યજનોની છે. અને તેનો પરિક્ષેપ પણ અસંખ્યાત કોડા કોડી યોજનાનો છે. એ બધા સર્વાત્મના રજતમય છે. અચ્છ યાવતુ પ્રતિ રૂપ છે. આ બધા દેવો એક સરખી ઋદ્ધિવાળા હોય છે અને સમાન યુતિવાળા હોય છે. સમાન બળવાળા હોય છે. સમાન યશ વાળા હોય છે. સમાન પ્રભાવાળા હોય છે, અને સરખી રીતે સુખી હોય છે. તેમના અધિપતિ કોઈ બીજે ઇન્દ્ર હોતો નથી. તેથી તેઓને અનિંદ્ર કહેવામાં આવે છે. આ દેવો પોતેજ અહમિન્દ્ર હોય છે. અધસ્તન શૈવેયકોના કથન પ્રમાણે મધ્યમ શૈવેયક અને ઉપરિતન ગ્રેવેયકનું કથન પણ સમજી લેવું. અધસ્તન રૈવેયકોમાં 111 વિમાનો છે. મધ્યમ વૈવેયકોમાં 107 વિમાનો છે. અને ઉપરિતન રૈવેયકોમાં 100 વિમાનો છે. આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગની ઉપર ઘણા કોડાકોડી યોજનો સુધી આગળ દૂર જવાથી તથા સૌધર્મ ઈશાન, યાવતુ આરણ અમૃત તથા રૈવેયક વિમાનોને પાર કરીને પણ તેનાથી પણ આગળ ઘણેજ દૂર ઘણું વિશાલ અનુત્તરોપપાતિક નામનું દેવોનું વિમાન છે, એ વિમાન નિર્મલ, નીરજદ્ધ છે. અંધકાર રહિત છે. વિશુદ્ધ છે. અને પાંચ દિશાઓમાં છે. પ્રતિપતિ વૈમાનિકહદેસોઃ 2 ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy