SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -3, દેવ 143 ભંગમાં બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ પણ છે. અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન પણ છે. શરીરને નાનું મોટું કરવા રૂપ આ સિદ્ધિને છસ્વજન જાણતા નથી. અને તે તેને દેખી પણ શકતા નથી. એવી આ શરીરને નાનું મોટું કરવાની સિદ્ધિ ઘણી જ સૂક્ષ્મ છે. -i જ્યોતિષ્ક - ] [308 હે ભગવનું ચન્દ્ર અને સૂર્યોના ક્ષેત્રની અપેક્ષાથી નીચે જે તારા રૂપ વિમા નના અધિષ્ઠાતા દેવ છે. તેઓ શું શુતિ વિભવ, વેશ્યા વિગેરેની અપેક્ષાથી હીન છે? અથવા બરાબર છે ? તથા ચંદ્ર અને સૂર્યના વિમાનોની સાથે ક્ષેત્રની અપેક્ષાથી સમશ્રેણીમાં વ્યવસ્થિત જે તારા રૂપ દેવ છે, તેઓ શું ચંદ્ર સૂર્ય દેવોની યુતિની અપેક્ષાએ તેઓના વિભવ વિગેરેની અપેક્ષાથી હીન છે? અથવા બરાબર છે? તથા જે તારરૂપ દેવ ચન્દ્ર અને સૂર્ય દેવોની ઉપર રહેલા છે તેઓ શું તેમની અપેક્ષાએ હીન છે ? અથવા બરાબર છે ? હા એજ પ્રમાણે છે. હે ગૌતમ ! જેમ જેમ એ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતા દેવોના પૂર્વ ભવમાં તપ અને અનુષ્ઠાન, નિયમ, અને બ્રહ્મચર્ય વિગેરેનું પાલન વિગેરે ઉત્તમ કાર્ય ઉત્કૃષ્ટ હોય છે, અથવા અનુત્કૃષ્ટ હોય છે. એ એ પ્રકારથી તે દેવોના એ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતાના ભવમાં અણપણું તુલ્યપણું હોય છે, યાવતું વિગેરે ગુણોથી હીન અથવા બરાબર હોય છે. [309-311 હે ભગવન એક ચન્દ્રનો અને એક સૂર્યનો નક્ષત્ર પરિવાર મહાગ્રહ પરિવાર અને તારાઓનો પરિવાર કેટલો છે? હે ગૌતમ ! એક ચન્દ્રનો અને એક સૂર્યનો નક્ષત્રપરિવાર ૨૮,ગ્રહ પરિવાર 88 તથા ૬૬૯૭પ કોડા કોડી તારાઓનો પરિવાર છે. [312 હે ભગવન્! જંબૂતીપમાં મેરૂ પર્વતના પૂર્વ અરમાન્ડથી જ્યોતિષ્ક દેવો કેટલા દૂર રહીને તેની પ્રદક્ષિણા કરે છે? હે ગૌતમ ! જંબુદ્વીપમાં જ્યોતિષ્ક દેવો 1121 યોજન સુમેરૂ પર્વતને છોડીને તેની પ્રદક્ષિણા કરે છે. એ જ પ્રમાણે સુમેરૂની દક્ષિણ દિશાના ચરમાન્સથી પશ્ચિમદિશાના ચરમાન્તથી. અને ઉત્તર દિશાના ચરમાન્સથી 1121 યોજન દૂર રહીને જ્યોતિષ્ક દેવો તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. લોકાન્તથી 1111 યોજન દૂર પર લોકમાં જ્યોતિષ્ક દેવ છે. આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગમાંથી 790 યોજન દૂર ઉપર તરફ સૌથી નીચેના જે તારા રૂપ જ્યોતિષ્ક દેવો છે. તે મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. દેવોથી દસ યોજન દૂર અર્થાતુ 800 યોજને દૂર સૂર્યનું વિમાન મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી 90 યોજન દૂર અથતું. 880 યોજન દૂર પર ચંદ્રમાનું વિમાન મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. ચંદ્ર વિમાનથી 10 યોજન દૂર અથતું 900 યોજન ઉંચે ઉપરના તારા રૂપોનું વિમાન મંડલગતિથી પરિભ્રમણ કરે છે. સૌથી નીચેનું જે તારા રૂપ વિમાન છે, તેનાથી 10 યોજન ઉપર સૂર્યનું વિમાન ચાલે છે. ૯૦યોજન ઉપર ચંદ્રનું અને 110 યોજન ઉંચે ઉપરના તારા રૂપ વિમાન ચાલે છે. સૂર્યના વિમાનથી ચંદ્રનું વિમાન ઉપરમાં 80 યોજન દૂર આવેલ છે. એકસો. યોજન ઉપર ઉપરના તારા રૂપ વિમાન પોતાની મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. ચંદ્રના વિમાનથી ર0 યોજન દૂર રહીને સૌથી ઉપરનું તારા રૂપ વિમાન મંડલગતિથી પરિ. ભ્રમણ કરે છે. આ રીતે બધા મળીને 110 એક સો દસ યોજનના બાહલ્યમાં અને તિછ અસંખ્યાત યોજનમાં જ્યોતિષ્ક દેવોના વિમાનો કહેવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy