SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૧ પૃથ્વીકાયિકજીવોમાં કેટલા કપાય છે ? આ જીવોમાં ચારે કષાય હોય છે. સૂમ પૃથ્વીકાયિકા જીવોમાં હાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોને કેટલી વેશ્યાઓ હોય છે ? તે જીવોમાં ત્રણ વેશ્યાઓનો હોય છેકુણાલેશ્યા, નીલલેશ્યા, કાપોત વેશ્યા. આ જીવોને કેટલી ઈન્દ્રિયો હોય છે ? માત્ર એક સ્પર્શેન્દ્રિયનો જ સદ્ભાવ હોય છે. આ જીવોમાં કેટલા સમુદ્રઘાત હોય છે ? ત્રણ સમુદુઘાતો વેદના સમુદ્યાતા, કષાય સમુદુઘાત અને મારણાન્તિકસમુદ્ધાત. સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવો સંજ્ઞી હોય છે, કે અસંજ્ઞી? સંશી હોતા નથી, પણ તેઓ અસંજ્ઞી જ હોય છે. સૂર્મપૃથ્વીકાયિક જીવો ત્રીવેદવાળા હોય છે કે પુરુષવેદવાળા હોય છે, કે નપુંસક વેદવાળા હોય છે? તે જીવો ફકત નપુંસકવેદવાળા જ હોય છે. હે ભગવાન! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોમાં કેટલી પદ્ધિઓ હોય છે ? હે ગૌતમ ! તેમનામાં ચાર પયક્તિઓ હોય છે, આહાર પિિપ્ત, શરીર પયાતિ, ઈન્દ્રિય પતિ અને આનપ્રાણ હે ભગવનું છે તે સૂક્ષ્મપૃથ્વીકાયિકામાં અપયક્તિઓ કેટલી હોય છે ? હે ગૌતમ તેમનામાં ચાર અપતિઓ હોય છે, આહાર અપયક્તિ, શરીર અપતિ, ઈદ્રિય અપતિ અને શ્વાસોચ્છવાસ અપયમિ. હે ભગવનું આ જીવો શું સમ્યગુ દષ્ટિવાળા હોય છે, મિથ્યા દ્રષ્ટિવાળા હોય છે, મિદ્રષ્ટિ હોય છે ! હે ગૌતમ ! તે ફકત મિથ્યાદ્રષ્ટિ હોય છે. હે ભગવન્! સૂર્મપૃથ્વીકાયિકજીવ ચક્ષુર્દશનવાળો હોય છે? કે અક્ષર્દર્શન વાળો હોય છે? કે અવધિદર્શનવાળો હોય છે? કેવળદેશવાળો હોય છે? હે ગૌતમ ! આ જીવો ફકત અચકુર્દર્શનવાળો જ હોય છે. હે ભગવન્! સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીવો શું જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે? હે ગૌતમ!આ કાયિકજીવો નિયમથી જ અજ્ઞાની હોય છે. હે ગૌતમ ! આ સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીવો શું મનોયોગવાળા હોય છે? કે વચનયોગવાળા હોય ? કે કાયયોગવાળો હોય છે? તેઓ ફકત કાયયોગવાળા જ હોય છે. હે ભગવન્! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો શું સાકરોપયોગ વાળા હોય છે ? કે અનાકારોપયોગવાળા હોય છે ? સાકાર ઉપગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન્! તે સૂક્ષ્મપૃથ્વીકાયિકા જીવો કેવો આહાર કરે છે? હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ તેઓ અનંત પ્રદેશોવાળા દ્રવ્યોનો આહાર કરે છે. ક્ષેત્રની અપેક્ષાએ તેઓ અસંખ્યાત પ્રદેશો માં અવગઢ થયેલાં દ્રવ્યોનો આહાર કરે છે. કાળની અપેક્ષાએ તેઓ કોઈ એક સમયની સ્થિતિવાળાં, અથવા જઘન્ય મધ્યમ સ્થિતિવાળાં અથવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં દ્રવ્યોનો આહાર કરે છે. ભાવની અપેક્ષાએ તેઓ વર્ણવાળાં, ગંધવાળાં, રસવાળાં અને સ્પર્શવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, ભાવની અપેક્ષા જે વર્ણવાળાં દ્રવ્યોનો તેઓ આહાર કરે છે, તે શું એક વર્ણવાળાં હોય છે, કે બે વર્ણવાળો હોય છે? કે ત્રણ વર્ણવાળાં હોય છે? કે ચાર વર્ણવાળાં હોય છે? કે પાંચ વર્ણવાળાં હોય છે. હે ગૌતમ! સામાન્ય ર્દષ્ટિએ વિચાર કરવામાં આવે તો તે સૂક્ષ્મપૃથ્વિ કાયિકા જીવો એક વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે.યાવતુ પાંચ વર્ણવાળાં દ્રવ્યોનોપણઆહારકરે છે. હે ભગવન્! જો તે સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવો વર્ણની અપેક્ષાએ કાળા વર્ણવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, તો શું તેઓ એક ગણા કાળાવર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, બેથી લઈને દશ ગણા કાળાવવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, સંખ્યાત, અસંખ્યાત એને અનંતગણા કાળાવર્ણ વાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. એજ પ્રમાણે તેઓ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy