SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 10 જીવાજીવાભિગમ-૧-દ છે. (1) સંસાર સમાપક જીવાભિગમ અને (2) અસંસાર સમાપત્રક જીવાભિગમ. [7] હે ભગવાન્ ! અસંસાર સમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? તેના કેટલા પ્રકાર છે? (1) અન્નતર સિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ અને (2) પરંપર સિદ્ધ અસંસાર સમાપન્નક, હે ભગવાન્ ! અનન્તર સિદ્ધ અસંસારસમાપત્રક જીવા ભિગમ કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! અનન્તસિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ પંદર પ્રકારનો કહ્યા છે. તીર્થસિદ્ધથી લઈને અનેક સિદ્ધ પર્યત હે ભગવન્! પરમ્પર સિદ્ધ સંસાર સમાપત્ર જીવાભિ ગમ-કેટલા પ્રકારે છે? હે ગૌતમ ! પરસ્પર સિદ્ધ અસંસાર સમાપત્રક જીવાભિગમ અનેક પ્રકારનો કહ્યો છે. (1) પ્રથમ સમયમાં સિદ્ધ (૨)દ્વિતીય સમયમાં સિદ્ધ, ઈત્યાદિ અનંત સમય સિદ્ધ પર્યંતના. [8] હે ભગવાન્ ! સંસારસમાપત્રક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ ! સંસાર સમાપત્રક જીવોના પ્રકાર વિશે નવ માન્યતાઓ છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપત્રક જીવો બે પ્રકારના હોય છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપક જીવો ત્રણ પ્રકારના હોય છે. કોઈ કહે છે કે સંસાર સમાપન્નક જીવો ચાર પ્રકારના હોય છે. કોઈ કહે છે કે-સંસાર સમાપત્રક જીવો પાંચ પ્રકારના હોય છે. આ પ્રકારે સંસાર સમાપન્નક જીવોના દસ પર્યન્તના પ્રકારો સર્વજી લેવા. [9] તે નવ પ્રતિપત્તિઓમાંની કેટલાક આચાર્યોની એવી જે માન્યતા છે કે સંસાર સમાપત્રક જીવોના બે પ્રકારો કહે છે.ને આ પ્રમાણે (1) ત્રસ અને (2) સ્થાવર. [10] હે ભગવાન! સ્થાવર જીવોનું સ્વરૂપ કેવું છે સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે. (1) પૃથ્વીકાયિક, (2) અકાયિક અને (3) વનસ્પતિકાયિક, [11] હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! પૃથ્વી કાયિક જીવો બે પ્રકારના કહ્યા છે..(૧) સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને (2) બાદર પૃથ્વીકાયિક. [12] હે ભગવાન! સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના કેટલા પ્રકાર છે? બે પ્રકારના (1) પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક અને (2) અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક. [13] સૂક્ષ્મ જીવોના 23 દ્વાર અહીં પ્રકટ કરવામાં આવ્યાં છે. સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીના શરીરની વક્તવ્યતા,તેમની અવગાહનાની વક્તવ્યતા,સંહનનની વક્ત વ્યતા, સંસ્થાનની, કષાયોની, સંજ્ઞાવિષયક, લેગ્યા વિષયક, તેમની ઈન્દ્રિયો સંબંધી, સમઘાત. સંબંધી, સંડી અસંશી સંબંધી, વેદ સંબંધી, પતિક અપતિ, દ્રષ્ટિની, દર્શનની. જ્ઞાનની, યોગની, ઉપયોગની, આહાર સંબંધી, ઉપપાત ની, સ્થિતિની, સમુદ્ર ઘાતની, ચ્યવનની અને ગતિ આગતિ વક્તવ્યતા. [14] હે ભગવાન! તે સૂક્ષ્મકાયિક જીવોને કેટલા શરીર હોય છે? ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર, તેજસ શરીર અને (3) કાર્મણશરીર. ભગવનું આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોના શરીરની અવગાહન કેટલી મોટી કહી છે ? ઓછામાં ઓછી અવગાહ ના આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણ કહી છે. અને વધારેમાં વધારે અવગાહના પણ આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે કહી છે. હે ભગવન! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોના શરીર કેવાં હનનવાળાં હોય છે ? હે ગૌતમ ! સેવાર્ડ સંહનન વાળો હોય છે ? હે ભગવન્! આ સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવો કેવાં સંસ્થાનવાળા હોય છે ? તેમના શરીરનો આકાર મસૂર અને ચન્દ્રના જેવા હોય છે. હે ભગવન્! આ સૂક્ષ્મ " For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy