SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 794 રાયuસેયિં-(૨૪) નાટકોમાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ ઢોલ વગેરે પહોળાં, વીણા વગેરે તાંતવાળાં,ઝાંઝવગેરેનકર અને શંખ વગેરે પોલાં એમચારજીતનાંવાજાં વગાડેલાંઉન્સિ પ્ત પાદ વૃદ્ધ મંદ અને રોચિત એમચારપ્રકારે નૃત્ય કરેલું. દાર્શતિકપ્રત્યંતિક સામાન્ય તોપનિપાતનિક અને લોકમધ્યાવસાનિક એમ ચાર જતના અભિનયો ભજવી બતા વેલા.હવે તેદેવકુમાર અને દેવકુમારીઓ ગૌતમાદિક શ્રમણ નિગોને એ બત્રીશે પ્રકાર નું દિવ્ય નાટક દેખાડી તથા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રક્રિયા દઈ તેમને વાંદી નમી જે તરફ પોતાનો અધિપતિ સૂર્યાભદેવ હતો તે તરફ ગયાં અને હાથ જોડી પોતાના એ અધિપતિને જય વિજયથી વધાવી તેઓએ જણાવ્યું કે આપે કરેલી આજ્ઞા પ્રમાણે અમેશ્રમણભગવાન મહાવીર પાસે જઈ બત્રીશે પ્રકારનું એ દિવ્ય નાટક દેખાડી આવ્યાં. રિપીત્યારબાદ એ સૂયભદેવ પોતાની તે દિવ્ય દેવમાયાને સંકેલી લઈ એક ક્ષણમાં હતો તેવો એકાકી બની ગયો. પછી તે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ વાંદી નમી પોતાના પૂર્વોક્ત પરિવાર સાથે એ દિવ્ય યાન વિમાન ઉપર ચડી જ્યાંથી આવ્યો હતો ત્યાં જ પાછો ચાલ્યો ગયો. 2i] એના ગયા પછી ભગવાન મહાવીરને વાંદી નમીને નમ્રપણે ગૌતમ આ પ્રમાણે બોલ્યા: હે ભગવન્! તે સૂયભિદેવની એ દિવ્ય દેવમયા, એ દિવ્ય દેવદ્યુતિ. એ દિવ્ય દેવાનુભાવ કયાં ગયો? કયાં સમાઈ ગયો? –હે ગૌતમ! સૂર્યાભદેવે સર્જેલી એ દેવમાયા તેના શરીરમાં ગઈ, હે ભગવનું તે કયા કારણથી એમ બન્યું? - હે ગૌતમ ! બહાર અને અંદર છાણ વગેરેથી લીંપેલી પેલી ફરતી વંડીવાળી બંધ બારણાવાળી ઉડી અને પવન ન ભરાય એવી જેમ કોઈ એક મોટી શિખરબંધી શાળા હોય,એ શાળાની પાસે માણસોનું એક મોટું ટોળું ઊભું હોય અને એ વખતે એ ટોળું આકાશમાં એક મોટું પાણીભર્યું વાદળું જૂએ તથા એ વાદળું હમણાં જ વરસશે એમ ટોળાને લાગે તો જેમ એ ટોળું પાસેની એ શાળામાં પેસી જાય, તેમ એ દેવમાયા સૂયભના શરીરમાં સમાઈ ગઈ અથવા એ શાળા બહાર ઊભેલું ટોળું પોતાની સામે ચડી આવતા. વંટોળિયાને જુએ તોપણ જેમ એ પાસેની શાળામાં પેસી જાય, તેમ એ દેવમાયા સૂયભના શરીરમાં સમાઈ ગઈ એમ મેં કહ્યું છે. વળી, ગૌતમે પૂછ્યું કે - [27]- ભગવન્! સૂયભિદેવનું સૂયભવિમાન કયાં જણાવેલું છે? હે ગૌતમ! જબૂદીપ નામના દ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણે આ રત્નપ્રભા 101 નામની પૃથ્વી છે, તેનાં રમણીય સમતલ ભૂભાગથી ઉંચે ચંદ્ર સૂર્ય ગ્રહણ નક્ષત્ર અને તારકાઓ આવેલાં છે, ત્યાંથી આગળ ઘણાં યોજના સેંકડો યોજનો હજારો યોજનો લાખો યોજનો કરોડો યોજનો અને લાખ કરોડો યોજનો ઉંચે ઉંચે દૂર જઈએ ત્યારે ત્યાં સૌધર્મકલ્પ નામનો કલ્પ જણાવેલો છે, એ કલ્પ પૂર્વ પશ્ચિમ લાંબો, ઉત્તર દક્ષિણ પહોળો, આકારે અર્ધચંદ્રસમાન સંસ્થિત છે, કિરણોના પ્રકાશથી ઝગઝગતો છે. તેની લંબાઈ પહોળાઈ અસંખ્ય કોયનુકોટિ યોજન છે અને તેનો ઘેરાવો પણ તેટલોજ છે. એ સૌધર્મકલ્પમાં સૌધર્મ દેવોમાં બત્રીસ લાખ વિમાનાવાસો હોય છે એમ કહ્યું છે. એ બધા વિમાનાવાસો સર્વરત્નમય દર્શનીય અને અસાધારણ સુંદરતાવાળા છે. તે વિમાનોની વચ્ચોવચ્ચ પાંચ અવતંસકો જણાવેલા છે ? અશોક અવતંસક, સપ્તપર્ણ અવતંસક, ચંપક અવતસક, ચૂતક અવતંસક અને વચ્ચે સૌધમવતંસક. એ પાંચે અવતંસકો પણ સર્વરત્નમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy