SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 772 હવાઈયું - (51) ગંધ, માળા, અલંકા રથી જીવનપર્યત નિવૃત્ત છે. કોઇ નાનાદિથી નિવૃત્ત નથી. એજ પ્રકારે બીજા પણ જેટલાં સાવઘયોગયુક્ત અને માયાજનિત તથા જીવોના પ્રાણોને પરિતાપ આપનાર વ્યાપાર છે તેનાથી કેટલાંક અંશે જીવનપર્યત વિરત થયા છે કેટલાંક અંશે વિરત થયા નથી. જે આ પ્રમાણે શ્રમણોપાસક છે-જીવ, અજીવના યથાર્થ જ્ઞાતા હોય, પુષ્ય, પાપ ને જેણે સારી રીતે સમજેલ છે. આવ. સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષના. સ્વરૂપને જાણનાર, દવ, અસુરકુમાર, નાગકુમાર, યક્ષ, રાક્ષસ, કિન્નર, દ્વિપુરુષ, ગરુડ, ગંધર્વ તેમજ મહોરગાદિ દેવોથી પણ નિગ્રંથ પ્રવચનથી જરા પણ ચલાયમાન થઈ શકે નહિ. આ નિગ્રંથ પ્રવચનમાં જેમની શ્રદ્ધા નિઃશંક્તિ છે, અભિલાષા રહિત છે, ગુણથી ભરપુર છે. ફળમાં જેની અસંદિગ્ધ શ્રદ્ધા છે, લબ્ધાર્થ છે, ગૃહીતાર્થ છે, પૂછાયેલ છે, ચારે બાજુથી સારી રીતે ગ્રહણ કરાયેલ છે, વિશેષ નિર્ણાયક છે, જેની નસેનસમાં પ્રવચન પ્રતિ અનુરાગ છે એવા શ્રાવકો કહે છે કે હે આયુષ્યમાનું! આ નિગ્રંથ પ્રવચન જ મોક્ષનું કારણ છે. માટે એ જ પરમાર્થ છે. શેષ અનર્થનાં કારણ છે. તેઓના ઘરના આગળીયા ખુલ્લા હોય છે, જેમના દ્વાર ખુલ્લા છે. રાજાના અંતઃપુરમાં જવા આવવામાં કોઈ અટકાવી શકતા નથી, ઘણાં પ્રકારના શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપ વાસથી આત્માને ભાવિત કરતાં વિચરે છે તથા ચતુર્દશી, આઠમ, અમાવસ્યા, પૂર્ણિ માના દિવસે પૌષધ કરે છે. સારી રીતે પાલન કરે છે. શ્રમણ નિગ્રંથોને અસન, પાન, ખાદ્ય, સ્વાદિમ આ ચાર પ્રકારના આહારથીતેમજવસ્ત્ર,પાત્ર,કંબલ રજોહરણ, ઔષધ, ભેષજ તેમજ પાઢિયારી વસ્તુ જેવી કે તાજોઠ, પાટ, શય્યા, સસ્તારાકાદિથી મુનિઓને પ્રતિલાભિત કરતા વિચરે છે. વિચરતા અંતે ભક્તપ્રત્યાખ્યાન કરે છે. તે અનેક ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને આલોચના પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ. કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ છે. સ્થિતિ 22 સાગરોપમની છે. તેઓ આરાધક છે, તેઓ કે જે ગામ, આકર યાવતું સન્નિવેશમાં મનુષ્યો થાય તેમાં કેટલાંક સાધુઓ હોય છે જે આરંભથી રહિત છે. પરિગ્રહથી રહિત છે. ધાર્મિક છે યાવતુ ધર્મથી આજી વિકા ચલાવનાર છે. સુશીલ, સુવ્રતી, ધર્મધ્યાનથી ચિત્તને આનંદિત રાખનાર, સર્વ પ્રકારની પ્રાણિતાપથી વિરક્ત છે યાવતુ સમસ્ત પરિગ્રહથી વિરક્ત છે. સમસ્ત ક્રોધ, માન, માયા, લોભ યાવતુ મિથ્યાદર્શન શલ્યથી વિરક્ત છે. સર્વ આરંભ સમારંભથી વિરક્ત છે. સર્વ કરવા તથા કરાવવાથી વિરક્ત છે. સર્વ પ્રકારની પચન, પાચનક્રિયાથી વિરક્ત છે. સમસ્ત પ્રકારના કુટ્ટણ, પિટ્ટણ, તર્જન, તાડન, વધ, બંધ, પરિકલેશથી વિર ક્ત છે. સંપૂર્ણ સ્નાન, મદન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, માલા, અલંકાર થી રહિત છે. તેમજ આ પ્રકારના બીજા પણ સાવદ્યયોગવાળા, માયાજનિત કાર્યો છે કે જેમાં પ્રાણીઓને પરિતાપ ભોગવવો પડે છે તે સર્વ કાયથી વિરક્ત હોય છે. તે અણગાર સમિતિ, ભાષા સમિતિ વાવતુ નિગ્રંથપ્રવચનને આગળ કરીને જ વિચરે છે. તે અણગાર ભગવંત આ પ્રકારના આચારથી વિચરતા તેમાંથી કેટલાંક ભગવાનોને અનંત યાવતુ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તેઓ તે કેવળ પર્યાયિનું ઘણાં વર્ષો સુધી પાલન કરે છે. પાલન કરીને ભક્તપ્રત્યાખ્યાન કરે છે. અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005072
Book TitleAgam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy