SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 33% વિવાગસૂર્ય-રા૩/૩૯ નિવાસ કરતા હતા. તેમણે પુષ્પદત્ત અણગારને પ્રતિલાભિત કયાં આહાર દાન દીધું. પછી મનુષ્ય આયુષ્ય બાંધ્યું. આયુષ્યપૂર્ણ થવા પર અહીં સુજાતકુમારના રૂપમાં વીરપુર નામના નગરમાં ઉત્પન થયા વાવતું મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર ગ્રહણ કરી, સિદ્ધ થશે. | અધ્યયન ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ૪-સુવાસવકુમાર) [40] જંબૂ ! વિજયપુર નામનું એક નગર હતું. ત્યાં નન્દનવન ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અશોક નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાંના રાજાનું નામ વાસવદત્ત હતું. તેની કૃષ્ણાદેવી નામની રાણી હતી અને સુવાસવ નામનો રાજકુમાર હતો. તેનો ભદ્રા પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ભગવાનું મહાવીર સ્વામી પધાર્યા ત્યારે સુવાસવકુમારે તેમની પાસે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો પછી ગૌતમ સ્વામીએ તેના પૂર્વભવનો વૃત્તાન્ત પૂછયો, પ્રભુએ કહ્યું - ગૌતમ ! કોસાંબી નગરી હતી ત્યાં ધનપાલ નામનો રાજા હતો. તેણે વૈશ્રમણભદ્ર નામના અણગારને આહાર આપ્યો મનુષ્યઆયુનો બંધ કર્યો. તે અહીં સુવાસવકુમારના રૂપમાં ઉત્પન્ન થયો. વાવ મુનિવૃત્તિને ધારણ કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત થયો. અધ્યયન કનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપ-જિનદાસ કુમાર) [40] જંબૂ! સૌગન્ધિકા નામની નગરી હતી. ત્યાં નીલાશોક નામનું ઉઘાન હતું. તે ઉદ્યાનમાં સુકાલ નામક પક્ષ નું યક્ષાયતન હતું. નગરીમાં મહારાજ અપ્રતિહત રાજ્ય કરતા હતા તેમની સુકુષ્ણા નામની રાણી હતી. પુત્રનું નામ મહાચન્દ્ર કુમાર હતું. તેની અહંદુત્તા નામની પત્ની હતી, તેનો જિનદાસ નામનો એક પુત્ર હતો. તે સમયે તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. જિનદાસ ભગવાન્ પાસે પાંચ અણુવ્રતાદિ રૂપ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામીએ ભગવાને તેનો પૂર્વભવ પૂછયો અને ભગવાનું મહા વીર આ પ્રમાણે પ્રતિપાદન કરવા લાગ્યા. ગૌતમ ! માધ્ય મિકા નામની નગરી હતી. મહારાજ મેઘરથ ત્યાંના રાજા હતા. સુધમઅણગારને મહારાજ મેઘરથે આહાર આપ્યો. તેનાથી મનુષ્ય આયનો બંધ કર્યો અને અહીં જન્મ લઈને યાવતુ આ જ ભવમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન -વૈશ્રમણકુમાર) [[41] હે જંબૂ! કનકપુર નામનું નગર હતું ત્યાં શ્વેતાશોક નામનું ઉદ્યાન હતું અને તેમાં વીરભદ્ર નામના યક્ષનું મન્દિર હતું. ત્યાં મહારાજ પ્રિયચંદ્રનું રાજ્ય હતું. તેની રાણીનું નામ સુભદ્રાદેવી હતું. યુવરાજ પદ પર અલંકૃત કુમારનું નામ વૈશ્રમણ હતું. તેમનો શ્રીદેવી પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. યુવરાજના પુત્ર ધનપતિ કુમારે ભગવાન પાસે શ્રાવકના વ્રતોને ગ્રહણ કર્યા. ગૌતમ દ્વારા પૂર્વભવની પૃચ્છા. ધનપતિકુમાર પૂર્વભવમાં મણિપદા નગરીનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy