SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ 323 દ્વારા સારી રીતે નિદાનને જાણતા તે વૈદ્યો વમન, છર્દન તથા અવપીડન અને કવલ ગ્રાહથી શલ્ય નો ઉદ્ધાર કરવા માટે, શકિદત માછીમારના ગળામાંથી મત્સ્યના કાંટા ને કાઢવાની ઇચ્છા કરે છે. પરન્તુ તેમાં તેઓ સફળ ન થઇ શકયા અને નીકળતા પ૩ તથા લોહીને બંધ પણ તેઓ કરી ન શકયા. ત્યારે તેઓ શ્રાન્ત, તાન્ત અને પરિતાન્ત થઈને પોતપોતાના સ્થાને ગયા. ત્યારે વૈદ્યોનો ઈલાજ સફળ નહિ થવાથી નિરાશ થયેલો તે શૌરિકદત્ત મહાન વેદનાને ભોગવતો સુકાઈ ગયો, યાવતું હાડપિંજર માત્ર બાકી રહી ગયું. તે દુઃખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. હે ગૌતમ! આ રીતે તે શૌરિકદત્ત પૂર્વકત યાવતુ અશુભ કમનો ફળને ભોગવી રહ્યો છે. ભંતે ! શૌરિકા માછીમાર અહીંથી કાલમાસે કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ મહાવીર બોલ્યા. હે ગૌતમ ! 70 વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાલમામમાં કાળ કરીને રત્નપ્રભા. નામની પહેલી નકરભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું બાકીનું સંસાર-ભ્રમણ પૂર્વવતું જ જાણવું જોઇએ. યાવતું તે પૃથ્વીકાયમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી હસ્તિનાપુરમાં મત્સ્ય બનશે, ત્યાં માછીમારો દ્વારા વધને પ્રાપ્ત થઈ, ત્યાં જ હસ્તિપુરમાં એક શ્રેષ્ઠીકુળમાં જન્મ લેશે, ત્યાં તેને સમ્યક્ત્ત્વની પ્રાપ્તિ થશે. ત્યાંથી મરણ પામીને સૌધર્મ નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મશે અને ત્યાં ચારિત્ર ગ્રહણ કરીને, તેની સિદ્ધપદને પ્રાપ્ત કરશે. અધ્યયન હનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૯-દેવદત્તા) [33] હે - જંબૂ! તે કાળ અને તે સમયમાં રોહીતક નામનું ઋદ્ધ, તિમિત અને સમૃદ્ધ નગર હતું. ત્યાં પૃથિવીઅવતંક નામનું એક ઉધાન હતું, તેમાં ધરણ નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં વૈશ્રમણ દત્ત નામના રાજાનું રાજ્ય હતું. તેને શ્રી નામની રાણી હતી. તેને યુવરાજ પદથી અલંકૃત પુષ્પગંદી નામનો કુમાર હતો. તે નગરમાં દત્ત નામનો એક ગાથાપતિ રહેતો હતો, જે ધનવાન યાવતુ પોતાની જ્ઞાતિમાં ઘણો સન્માન નીય હતો, તેને કાઢી નામની પત્ની હતી. તેને સંપૂર્ણ તેમજ નિર્દોષ, પાંચ ઇન્દ્રિયોથી યુક્ત ઉત્તમ શરીરવાળી દેવદત્તા નામની એક બાલિકા હતી. તે કાળ અને તે સમયમાં પૃથિવીઅવતંસક નામનાં ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, તે વખતે ભગવાનના જયેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણા માટે ભિક્ષાર્થે ગયા, યાવતુ રાજમાર્ગમાં પધાર્યા, ત્યાં તેઓ હાથીઓ, અથ્વો અને પુરુષોને જુએ છે. તેમની વચ્ચે તેમણે અવકોટક બંધનથી બાંધેલી, કાન, નાક કાપેલી, યાવતું શૂળી વડે ભેદન કરાતી એક સ્ત્રીને જોઈ, જોઈને તેમના મનમાં પહેલાની જેમ વિચાર ઉત્પન્ન થયો, યાવત્ પહેલાની જેમ ભિક્ષા લઈને નગરમાંથી નીકળ્યા અને ભગવાનની પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા - હે ભદન્ત ! આ સ્ત્રી પૂર્વભવમાં કોણ હતી? હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં જંબુદ્વીપના ભારત વર્ષમાં સુપ્રતિષ્ઠ નામનું એક દ્ધ, તિમિત અને સમૃદ્ધ નગર હતું. ત્યાં મહારાજ મહા સેન રાજ્ય કરતા હતા. તેના અન્તપુરમાં ધારિણી વિગેરે એક હજાર રાણીઓ હતી. મહારાજ મહાસેનનો પુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy