SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 316 વિવાગસૂર્ય- 130 [30] ત્યાર બાદ તે દુર્યોધન જેલરનો જીવ નરકભૂમિથી નીકળીને એ જ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર બંધુશ્રીએ બાળકને જન્મ આપ્યો. બારમે દિવસે માતાપિતાઓએ તે બાળકનું નામ “નર્દિષણ' રાખ્યું પાવતુ યુવરાજ પદ આપ્યું. ત્યાર બાદ રાજ્ય અને અતઃપુરમાં અત્યન્ત આસક્ત એવો તે નણિકુમાર શ્રીદામ રાજાને મારીને તેના સ્થાન પર પોતે આવીને મત્રી આદિની સાથે રાજ્યલક્ષ્મીને વધારવાની તથા પાલન કરવાની ઇચ્છા કરવા લાગ્યો. તે માટે તે નન્દિષેણ કુમાર મહારાજા શ્રીદામ ના અનેક આન્તરિક છિદ્રો જોવા લાગ્યો અને વિરહની પ્રતીક્ષા કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. ત્યાર બાદ તે શ્રીદામ રાજાના વધનો પ્રસંગ પ્રાપ્ત ન થવાથી કુમાર નન્દિષેણે કોઈ વખતે ચિત્ર નામના નાઈ - હજામને બોલાવીને કહ્યું કે - હે દેવાનુપ્રિય! તું શ્રીદાસ રાજાના સર્વ સ્થાનો, સર્વ ભૂમિકાઓ જાણી છે તથા અન્તઃપુરમાં સર્વત્ર સ્વેચ્છાપૂર્વક આવી જઈ શકે છે, અને શ્રીદામ રાજનું વારંવાર અલંકાર કર્મ કરે છે, તેથી હે દેવાનુપ્રિય! જ્યારે તું રાજાના અલંકાર કર્મ કરતો હો તે સમયે રાજની ગરદનમાં અસ્તરો ખુંચાડી દે તો હું તને અધું રાજ્ય આપી દઈશ. ત્યારબાદ તું અમારી સાથે ઉત્તમ કામભોગોનો ભોગ કરતો આનંદપૂર્વક સમય વ્યતીત કરજે ત્યારબાદ મિત્ર નામના નાઈએ કુમાર નદિષેણના ઉક્ત વચનને સ્વીકારી લીધું. પરંતુ થોડા સમય પછી તેના મનમાં એ વિચાર ઉત્પન્ન થયો કે જે કોઈપણ રીતે આ વાતનો પત્તો શ્રીદામ રાજાને મળી જાય તો ન જાણે તે મને કેવા કુમોતથી મારે ? આ વિચાર આવતાં જ તે ભયભીત. ત્રસ્ત, ઉદ્વિગ્ન તેમજ સંજાતભય થઈ ગયો અને તત્કાળ જ જ્યાં શ્રીદામ રાજા હતા, ત્યાં આવ્યો. કહેલા લાગ્યો - હે સ્વામી ! ખરેખર, નન્દિષેણ કુમાર રાજ્યમાં મૂર્ણિત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈને આપનો વધ કરવાનું ઇચ્છી રહ્યો છે. તે આપને મારીને પોતે જ રાજ્ય લક્ષ્મીને વધારવાની અને ભોગવવાની ઉત્કટ અભિલાષા સેવી રહ્યો છે. શ્રીદામ રાજા એ ચિત્ર પાસેથી આ વાતને સાંભળીને તેના પર વિચાર કર્યો અને અત્યંત ક્રોધમાં આવી ને નદિષણને પોતાના અનુચરો દ્વારા પકડાવીને આ પ્રમાણે તેને મારવામાં આવે એવો આદેશ રાજ્યપુરૂષોને કર્યો. હે ગૌતમ! આ નન્દિષેણ પુત્ર આ રીતે પોતે કરેલા અશુભ કર્મોના ફળને ભોગવી રહ્યો છે. હે ભગવન્! નન્દિષેણ કુમાર અહીંથી મૃત્યુ સમયે કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે નર્દિષેણ કુમાર 60 વર્ષની પરમ આયુને ભોગવીને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું શેષસંસાર ભ્રમણ પૂર્વવતું સમજી લેવું, પૃથ્વીકાયમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થશે, ત્યાં માછીમારો દ્વારા વધને પ્રાપ્ત થતાં ફરી તે જ હસ્તિનાપુર નગરમાં એ શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યકત્વને પ્રાપ્ત કરશે, ત્યાંથી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં ચારિત્ર ગ્રહણ કરશે અને ચારિત્રનું યથાવિધિ પાલન કરીને તેના પ્રભાવથી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરીને સર્વ પ્રકારના દુઃખોનો અન્ત કરશે. | અધ્યયનઃ ની મનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy