SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ a14 વિવાગસૂર્ય-૧૨૮ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શૂળી પર ચઢાવ વાથી કાળ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામક પ્રથમ નરક ભૂમિમાં ઉત્પન્ન થશે, તેમજ પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના સંસાર ભ્રમણની જેમ સંસાર ભ્રમણ કરશે. ત્યાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મૃગરૂપે જન્મ લેશે. ત્યાં જાળમાં ફસાવીને મારનાર શિકારીઓ દ્વારા મારી નાખવા પર તે આ હસ્તિનાપુર નગરમાં શ્રેષ્ઠ કુળમાં પુત્રરૂપે જન્મ ધારણ કરશે. ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરશે અને કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવીને મહાવિ દેહ ક્ષેત્રમાં ઉત્પન થશે. ત્યાં અણગાર વૃત્તિને ધારણ કરીને સંયમ રાધના દ્વારા કમોનો ક્ષય કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. મોક્ષે જશે. અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન નંદિસેસ ) [29] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં મથુરા નગરી હતી. ત્યાં ભંડીર ઉદ્યાન હતું. તેમાં સુદર્શન ચક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદાસ રાજા રાજ્ય કરતો હતો, તેની બંધુશ્રી રાણી હતી. તેમનો સવગ સંપૂર્ણ અને પરમ સુન્દર યુવરાજ પદથી અલંકૃત નન્દિવર્ધન નામનો પુત્ર હતો. શ્રીદાસ રાજાને સામ, ભેદ, દંડ અને દાનનીતિમાં નિપુણ સુબંધુ મંત્રી હતો. તે મંત્રીનો બહુમિત્રી પુત્ર નામનો એક બાળક હતો, જે સવાંગ સંપન્ન અને રૂપવાન હતો તથા તે શ્રીદાસ રાજાને ચિત્ર નામનો, અલંકારી નાઈ-હતો. તે રાજાનું અનેક પ્રકારે અલંકારિક કર્મ કરતો હતો. તે રાજાજ્ઞાથી સર્વસ્થાનોમાં, સર્વભૂમિકાઓ તથા અન્તઃપુરમાં પ્રતિબંધરહિત ગમનાગમનકરતો હતો.તેકાળઅનેતેસમયમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા, પરિષદ્ અને રાજા નીકળ્યાં યાવતું પાછા ચાલ્યા ગયા. તે સમયે ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામી ભિક્ષાર્થે ગમન કરતાં યાવતું રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેમણે હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને જોયા તથા તે પુરષોની વચ્ચે રહેલા યાવતુ નરનારીઓથી ઘેરાયેલા એક પુરુષને પણ જોયો. રાજપુરુષો તેને ચન્દર - અગ્નિની સમાન તપેલા લોહમય સિંહાસન પર બેસાડે છે, બેસાડીને કોઈ જસતના રસથી ભરેલા, કોઈ સીસાના રસથી ભરેલા અને કોઈ કળકળ શબ્દ કરતા ગરમ પાણીથી ભરેલા અને ક્ષારયુક્ત તેલથી પૂર્ણ, અગ્નિની સમાન તપેલા લોખંડના ઘડાઓથી અભિષેક કરી રહ્યા છે. ત્યાર બાદ તેને લોખંડની સાણસીથી પકડીને અગ્નિની સમાન તપેલા લોખંડનો અઢારસરો હાર, નવસરો હાર તથા મુકુટ પહેરાવે છે. આ જોઈને ગૌતમસ્વામીને પૂર્વવતુ વિચાર ઉત્પન્ન થયો. હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપ નામના દ્વીપમાં સ્થિત ભારત વર્ષ ક્ષેત્રમાં સિંહાપુર નગર હતું. ત્યાં સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તેને દુર્યોધન નામનો એક કારાગૃહ રક્ષક - જેલર હતો, જે અધમ યાવતું મુશ્કેલીઓથી પ્રસન્ન થનાર હતો. તેને ત્યાં અનેક પ્રકારની લોહમય કુંડીઓ હતી જેમાંથી કેટલીક પિગા બેલા ગરમ તામ્રથી પૂર્ણ હતી, કેટલીક જસતના ગરમ રસથી પરિપૂર્ણ હતી, સીસાથી પરિપૂર્ણ હતી, કેટલીક ચૂનામિશ્રિત ઊકાળેલા જળથી ભરેલી અને કેટલીક ક્ષારયુક્ત તેલથી ભરેલી હતી કે જે અગ્નિ પર જ મૂકેલી રહેતી હતી. દુર્યોધન નામના તે જેલર પાસે અનેક ઊંટોના પૃષ્ઠભાગ સમાન મોટા મોટા અનેક મટકા હતાં. તેમાંથી કેટલાંક ઘોડાના મૂત્રથી ભરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy