SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 312 વિવાગસૂર્ય-૧જાર પોતાની બહેન સુદર્શન સાથે મનુષ્યસંબન્ધી પ્રધાન કામભોગનું સેવન કરતો જીવન વ્યતીત કરશે. ત્યાર બાદ કોઈ વખતે તે શકટ કુમાર પોતાની મેળેજ કુટગ્રાહિત્ત્વને પ્રાપ્ત કરીને સમય વ્યતીત કરશે. ત્યારે કૂટગ્રહ બનેલો તે શકટ મહાઅધમ યાવતું દુwત્યાનન્દ થશે અને આવા કમોં કરનાર, તેવા કાર્યોને જ મુખ્યરૂપે માનનાર અને તેનાજ જ્ઞાનવાળો તેમજ આજ પાપ કર્મોને પોતાનું સર્વોત્તમ આચરણ માનતો, અધર્મ પ્રધાન કૃત્યોથી તે ઘણાં પાપ કર્મોને ઉપાર્જિત કરીને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. તેનું સંસારભ્રમણ પૂર્વવતુ જાણી લેવું ત્યાંથી નીકળીને તે સીધો વારાણસી નગરીમાં મત્સ્યરૂપે જન્મ લેશે. ત્યાં માછીમાર દ્વારા વધને પ્રાપ્ત થયેલો તે ફરી તે જ વારણસી નગરીમાં એક શ્રેષ્ઠિકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યકત્વને તથા સાધુધર્મને પ્રાપ્ત કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવતા બનશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સાધુવૃત્તિનું સમ્યકરૂપે પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. કેવળજ્ઞાનથી સમસ્ત પદાથોને જાણશે સંપૂર્ણ કમથી રહિત થઈ જશે અને સર્વ દુઃખોનો અન્ત કરશે. અધ્યયનઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપ-બૃહસ્પત્તિદત્ત) રિ૭] હે જંબૂ ! તે કાળ અને તે સમયમાં કૌશાંબી નામની શ્રદ્ધ-ભવનાદિકથી યુક્ત, સ્વિમિત-સ્વ ચક્ર, પરચક્રના ભયથી રહિત અને સમૃદ્ધિથી પરિપૂર્ણ નગરી હતી. તેની બહાર ચંદ્રાવતરણનું ઉદ્યાન હતું. તેમાં સ્વૈતભદ્રયક્ષનું યક્ષાયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેની મૃગાવતી રાણી હતી. ઉદયન નામનો એક કુમાર હતો, તે સર્વેન્દ્રિય સમ્પન તેમજ યુવરાજ હતો. તે ઉદયન કુમારની પદ્માવતી નામની એક રાણી હતી. તે શતાનીકનો સોમદત્ત નામનો એક પુરો હિત હતો. તે અન્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આદિ નો સંપૂર્ણ જ્ઞાતા હતો. સોમદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્ની હતી તથા સોમ દત્તની પુત્ર અને વસુદત્તા નો આત્મજ બૃહસ્પતિદત્ત નામનો એક સવાંગસંપન અને રૂપવાન બાળક હતો. તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી નગરીની બહાર સ્થિત ચાવતરણ ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે ભગવનું ગૌતમ સ્વામી પૂર્વવતું કૌશાંબી નગરીમાં ભિક્ષા માટે ગયા અને રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને તથા તે પુરુષોની વચ્ચે એક વધ્ય પુરુષને પણ જોયો. તેને જોઈને મનમાં ચિન્તન કરવા લાગ્યા અને પાછા આવીને ભગવાનને તેના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા, હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપમાં સ્થિત ભારતવર્ષ નામક ક્ષેત્રમાં સર્વતોભદ્ર નામનું ત્રદ્ધ, સિમિત અને સમૃદ્ધ નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો એક પુરોહિત હતો. જે ચારેય વેદોનો સંપૂર્ણ જ્ઞાતા હતો. મહેશ્વરદત્તપુરોહિત જિતશત્રુ રાજાના રાજ્ય અને બળની વૃદ્ધિ માટે પ્રતિદિન એક બ્રાહ્મણ બાળક, એક ક્ષત્રિય બાળક, એક વૈશ્ય બાળક અને એક શુદ્ર બાળકને પકડાવી લેતો હતો અને પકડાવીને જીવતાં જ તેમના હૃદયોના માંસપિંડોને કાઢી લેતો હતો. કાઢીને જિતશત્રુ રાજાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy